જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા! રાજૌરીમાં આતંકવાદીનું થયું એન્કાઉન્ટર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-02 11:15:29

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત સુરક્ષાબળો દ્વારા એન્ટાઉન્ટર કરવામાં આવ્યું છે તેવા સમાચાર સામે આવ્યા છે. જમ્મુના રાજૌરી જિલ્લામાં સુરક્ષાબળોએ બે આતંકીને ઠાર માર્યા છે. 2 જૂન એટલે કે આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરક્ષાબળોને આતંકી છૂપાયા હોવાની માહિતી મળી જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મળતી માહિતી અનુસાર એક આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે.

     

એક આતંકવાદીને ઠાર મરાયો!

જમ્મુ કાશ્મીરથી અનેક વખત આતંકી હમુલા થયા હોવાની માહિતી મળતી હોય છે.આતંકી હુમલામાં અનેક જવાનો શહીદ થઈ જતા હોય છે. થોડા સમય પહેલા આતંકીહુમલો થયો હતો જેમાં પાંચ જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે આતંકવાદીઓ છૂપ્યા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. જેને લઈ પહેલી જૂને મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા બળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોને સફળતા મળી છે. ફાયરિંગ દરમિયાન એક આતંકી માર્યા હોવાના સમાચાર મળ્યા છે. 


અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખી વધારાઈ સુરક્ષા!

મહત્વનું છે કે થોડા સમય બાદ અમરનાથ યાત્રાની શરૂઆત થવાની છે. યાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અમરનાથ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રાને જોતા શ્રીનગર પોલીસે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ પણ કરી હતી. સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થયેલી ગોળીબારીને ધ્યાનમાં રાખી એરિયાને સીલ કરી દીધો છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.