જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા! રાજૌરીમાં આતંકવાદીનું થયું એન્કાઉન્ટર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-02 11:15:29

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત સુરક્ષાબળો દ્વારા એન્ટાઉન્ટર કરવામાં આવ્યું છે તેવા સમાચાર સામે આવ્યા છે. જમ્મુના રાજૌરી જિલ્લામાં સુરક્ષાબળોએ બે આતંકીને ઠાર માર્યા છે. 2 જૂન એટલે કે આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરક્ષાબળોને આતંકી છૂપાયા હોવાની માહિતી મળી જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મળતી માહિતી અનુસાર એક આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે.

     

એક આતંકવાદીને ઠાર મરાયો!

જમ્મુ કાશ્મીરથી અનેક વખત આતંકી હમુલા થયા હોવાની માહિતી મળતી હોય છે.આતંકી હુમલામાં અનેક જવાનો શહીદ થઈ જતા હોય છે. થોડા સમય પહેલા આતંકીહુમલો થયો હતો જેમાં પાંચ જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે આતંકવાદીઓ છૂપ્યા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. જેને લઈ પહેલી જૂને મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા બળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોને સફળતા મળી છે. ફાયરિંગ દરમિયાન એક આતંકી માર્યા હોવાના સમાચાર મળ્યા છે. 


અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખી વધારાઈ સુરક્ષા!

મહત્વનું છે કે થોડા સમય બાદ અમરનાથ યાત્રાની શરૂઆત થવાની છે. યાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અમરનાથ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રાને જોતા શ્રીનગર પોલીસે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ પણ કરી હતી. સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થયેલી ગોળીબારીને ધ્યાનમાં રાખી એરિયાને સીલ કરી દીધો છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.