જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા! રાજૌરીમાં આતંકવાદીનું થયું એન્કાઉન્ટર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-02 11:15:29

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત સુરક્ષાબળો દ્વારા એન્ટાઉન્ટર કરવામાં આવ્યું છે તેવા સમાચાર સામે આવ્યા છે. જમ્મુના રાજૌરી જિલ્લામાં સુરક્ષાબળોએ બે આતંકીને ઠાર માર્યા છે. 2 જૂન એટલે કે આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરક્ષાબળોને આતંકી છૂપાયા હોવાની માહિતી મળી જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મળતી માહિતી અનુસાર એક આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે.

     

એક આતંકવાદીને ઠાર મરાયો!

જમ્મુ કાશ્મીરથી અનેક વખત આતંકી હમુલા થયા હોવાની માહિતી મળતી હોય છે.આતંકી હુમલામાં અનેક જવાનો શહીદ થઈ જતા હોય છે. થોડા સમય પહેલા આતંકીહુમલો થયો હતો જેમાં પાંચ જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે આતંકવાદીઓ છૂપ્યા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. જેને લઈ પહેલી જૂને મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા બળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોને સફળતા મળી છે. ફાયરિંગ દરમિયાન એક આતંકી માર્યા હોવાના સમાચાર મળ્યા છે. 


અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખી વધારાઈ સુરક્ષા!

મહત્વનું છે કે થોડા સમય બાદ અમરનાથ યાત્રાની શરૂઆત થવાની છે. યાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અમરનાથ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રાને જોતા શ્રીનગર પોલીસે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ પણ કરી હતી. સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થયેલી ગોળીબારીને ધ્યાનમાં રાખી એરિયાને સીલ કરી દીધો છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.