સીમા હૈદરની UP ATSએ શરૂ કરી પૂછપરછ, આ સત્ય જાણવા માટે અજ્ઞાત સ્થળે કરાઈ રહી છે ઉલટ તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-17 22:01:33

મોબાઈલ પર PUBG ગેમ રમતા પ્રેમમાં પડ્યા બાદ પાકિસ્તાની મહિલા સીમા હૈદર ગેરકાયદેસર રીતે તેના બોયફ્રેન્ડ સચિન સાથે રહેવા માટે ભારત આવી ગઈ હતી. એક તરફ જ્યાં તેમની લવસ્ટોરી ભારતથી લઈને પાકિસ્તાન સુધી ચર્ચાનો વિષય બની છે તો બીજી તરફ સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


UP ATS કરશે પૂછપરછ


પાકિસ્તાનથી સીમા હૈદર અહીં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. સીમા હૈદરનું સત્ય જાણવા માટે UP ATSની ટીમે ગ્રેટર નોઈડા પોલીસ પાસેથી સીમા અને સચિનના નિવેદનની કોપી લીધી છે. સીમા હૈદરની અત્યાર સુધીની તપાસમાં જે હકીકતો બહાર આવી છે તે સચિન અને સીમાની પૂછપરછ કરીને ચકાસવામાં આવશે અને ત્યારબાદ ATS તેની નવેસરથી તપાસ કરશે. ઉત્તરપ્રદેશ ATS સીમા હૈદર અને તેના પરિવારની સંપૂર્ણ પ્રોફાઈલની તપાસ કરશે. તે કયા રસ્તે ભારતમાં આવી, તેને કોણ ભારતમાં લાવ્યું અને મુસાફરી દરમિયાન તેણે જે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો તે કોનો હતો અને કોણે આપ્યો હતો, આ બધા પાસાઓની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક જાણકારી મુજબ, સીમા હૈદર પહેલા પાકિસ્તાનથી દુબઈ અને પછી દુબઈ નેપાળ ગઈ હતી. બાદમાં તે નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. જેના કારણે ભારતની સુરક્ષાને લગતા કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.આ માટે ATS નોઈડા સેક્ટર 94ના પોલીસ કમાન્ડ રૂમમાં સીમા હૈદર, સચિન અને તેના પિતાની પૂછપરછ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવ્યા બાદ સીમા સીધી જ ગ્રેટર નોઈડામાં તેના પ્રેમીના ગામ પહોંચી ગઈ હતી અને ત્યાં શાંતિથી તેની સાથે રહેતી હતી. જોકે, સ્થાનિક લોકોને શંકા જતાં પોલીસ ગામમાં પહોંચી ફરિયાદ કરી હતી ત્યારે તે બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ પછી યુપી પોલીસે તેમને હરિયાણાના બલ્લભગઢથી પકડીને કોર્ટમાં રજૂ કર્યા હતા.


કોર્ટે શરતો સાથે જામીન આપ્યા હતા


કોર્ટે સીમા હૈદરને શરતી જામીન આપ્યા છે. કોર્ટે સીમા હૈદરને આદેશ આપ્યો હતો કે તે સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કર્યા વિના ભારત નહીં છોડે. એટલું જ નહીં, કોર્ટે સીમાને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે જો તે હાલનું સરનામું બદલશે તો તે અંગે કોર્ટને જાણ કરશે અને બદલાયેલા સરનામાની માહિતી પણ આપશે. કોર્ટે ત્રીજી શરત મૂકી હતી કે હવે તે ભારતમાં કોઈ ગુનો નહીં કરે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.