સીમા હૈદરની UP ATSએ શરૂ કરી પૂછપરછ, આ સત્ય જાણવા માટે અજ્ઞાત સ્થળે કરાઈ રહી છે ઉલટ તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-17 22:01:33

મોબાઈલ પર PUBG ગેમ રમતા પ્રેમમાં પડ્યા બાદ પાકિસ્તાની મહિલા સીમા હૈદર ગેરકાયદેસર રીતે તેના બોયફ્રેન્ડ સચિન સાથે રહેવા માટે ભારત આવી ગઈ હતી. એક તરફ જ્યાં તેમની લવસ્ટોરી ભારતથી લઈને પાકિસ્તાન સુધી ચર્ચાનો વિષય બની છે તો બીજી તરફ સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


UP ATS કરશે પૂછપરછ


પાકિસ્તાનથી સીમા હૈદર અહીં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. સીમા હૈદરનું સત્ય જાણવા માટે UP ATSની ટીમે ગ્રેટર નોઈડા પોલીસ પાસેથી સીમા અને સચિનના નિવેદનની કોપી લીધી છે. સીમા હૈદરની અત્યાર સુધીની તપાસમાં જે હકીકતો બહાર આવી છે તે સચિન અને સીમાની પૂછપરછ કરીને ચકાસવામાં આવશે અને ત્યારબાદ ATS તેની નવેસરથી તપાસ કરશે. ઉત્તરપ્રદેશ ATS સીમા હૈદર અને તેના પરિવારની સંપૂર્ણ પ્રોફાઈલની તપાસ કરશે. તે કયા રસ્તે ભારતમાં આવી, તેને કોણ ભારતમાં લાવ્યું અને મુસાફરી દરમિયાન તેણે જે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો તે કોનો હતો અને કોણે આપ્યો હતો, આ બધા પાસાઓની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક જાણકારી મુજબ, સીમા હૈદર પહેલા પાકિસ્તાનથી દુબઈ અને પછી દુબઈ નેપાળ ગઈ હતી. બાદમાં તે નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. જેના કારણે ભારતની સુરક્ષાને લગતા કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.આ માટે ATS નોઈડા સેક્ટર 94ના પોલીસ કમાન્ડ રૂમમાં સીમા હૈદર, સચિન અને તેના પિતાની પૂછપરછ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવ્યા બાદ સીમા સીધી જ ગ્રેટર નોઈડામાં તેના પ્રેમીના ગામ પહોંચી ગઈ હતી અને ત્યાં શાંતિથી તેની સાથે રહેતી હતી. જોકે, સ્થાનિક લોકોને શંકા જતાં પોલીસ ગામમાં પહોંચી ફરિયાદ કરી હતી ત્યારે તે બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ પછી યુપી પોલીસે તેમને હરિયાણાના બલ્લભગઢથી પકડીને કોર્ટમાં રજૂ કર્યા હતા.


કોર્ટે શરતો સાથે જામીન આપ્યા હતા


કોર્ટે સીમા હૈદરને શરતી જામીન આપ્યા છે. કોર્ટે સીમા હૈદરને આદેશ આપ્યો હતો કે તે સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કર્યા વિના ભારત નહીં છોડે. એટલું જ નહીં, કોર્ટે સીમાને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે જો તે હાલનું સરનામું બદલશે તો તે અંગે કોર્ટને જાણ કરશે અને બદલાયેલા સરનામાની માહિતી પણ આપશે. કોર્ટે ત્રીજી શરત મૂકી હતી કે હવે તે ભારતમાં કોઈ ગુનો નહીં કરે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.