સીમા હૈદરની UP ATSએ શરૂ કરી પૂછપરછ, આ સત્ય જાણવા માટે અજ્ઞાત સ્થળે કરાઈ રહી છે ઉલટ તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-17 22:01:33

મોબાઈલ પર PUBG ગેમ રમતા પ્રેમમાં પડ્યા બાદ પાકિસ્તાની મહિલા સીમા હૈદર ગેરકાયદેસર રીતે તેના બોયફ્રેન્ડ સચિન સાથે રહેવા માટે ભારત આવી ગઈ હતી. એક તરફ જ્યાં તેમની લવસ્ટોરી ભારતથી લઈને પાકિસ્તાન સુધી ચર્ચાનો વિષય બની છે તો બીજી તરફ સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


UP ATS કરશે પૂછપરછ


પાકિસ્તાનથી સીમા હૈદર અહીં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. સીમા હૈદરનું સત્ય જાણવા માટે UP ATSની ટીમે ગ્રેટર નોઈડા પોલીસ પાસેથી સીમા અને સચિનના નિવેદનની કોપી લીધી છે. સીમા હૈદરની અત્યાર સુધીની તપાસમાં જે હકીકતો બહાર આવી છે તે સચિન અને સીમાની પૂછપરછ કરીને ચકાસવામાં આવશે અને ત્યારબાદ ATS તેની નવેસરથી તપાસ કરશે. ઉત્તરપ્રદેશ ATS સીમા હૈદર અને તેના પરિવારની સંપૂર્ણ પ્રોફાઈલની તપાસ કરશે. તે કયા રસ્તે ભારતમાં આવી, તેને કોણ ભારતમાં લાવ્યું અને મુસાફરી દરમિયાન તેણે જે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો તે કોનો હતો અને કોણે આપ્યો હતો, આ બધા પાસાઓની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક જાણકારી મુજબ, સીમા હૈદર પહેલા પાકિસ્તાનથી દુબઈ અને પછી દુબઈ નેપાળ ગઈ હતી. બાદમાં તે નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. જેના કારણે ભારતની સુરક્ષાને લગતા કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.આ માટે ATS નોઈડા સેક્ટર 94ના પોલીસ કમાન્ડ રૂમમાં સીમા હૈદર, સચિન અને તેના પિતાની પૂછપરછ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવ્યા બાદ સીમા સીધી જ ગ્રેટર નોઈડામાં તેના પ્રેમીના ગામ પહોંચી ગઈ હતી અને ત્યાં શાંતિથી તેની સાથે રહેતી હતી. જોકે, સ્થાનિક લોકોને શંકા જતાં પોલીસ ગામમાં પહોંચી ફરિયાદ કરી હતી ત્યારે તે બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ પછી યુપી પોલીસે તેમને હરિયાણાના બલ્લભગઢથી પકડીને કોર્ટમાં રજૂ કર્યા હતા.


કોર્ટે શરતો સાથે જામીન આપ્યા હતા


કોર્ટે સીમા હૈદરને શરતી જામીન આપ્યા છે. કોર્ટે સીમા હૈદરને આદેશ આપ્યો હતો કે તે સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કર્યા વિના ભારત નહીં છોડે. એટલું જ નહીં, કોર્ટે સીમાને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે જો તે હાલનું સરનામું બદલશે તો તે અંગે કોર્ટને જાણ કરશે અને બદલાયેલા સરનામાની માહિતી પણ આપશે. કોર્ટે ત્રીજી શરત મૂકી હતી કે હવે તે ભારતમાં કોઈ ગુનો નહીં કરે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.