સીમા હૈદરની UP ATSએ શરૂ કરી પૂછપરછ, આ સત્ય જાણવા માટે અજ્ઞાત સ્થળે કરાઈ રહી છે ઉલટ તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-17 22:01:33

મોબાઈલ પર PUBG ગેમ રમતા પ્રેમમાં પડ્યા બાદ પાકિસ્તાની મહિલા સીમા હૈદર ગેરકાયદેસર રીતે તેના બોયફ્રેન્ડ સચિન સાથે રહેવા માટે ભારત આવી ગઈ હતી. એક તરફ જ્યાં તેમની લવસ્ટોરી ભારતથી લઈને પાકિસ્તાન સુધી ચર્ચાનો વિષય બની છે તો બીજી તરફ સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


UP ATS કરશે પૂછપરછ


પાકિસ્તાનથી સીમા હૈદર અહીં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. સીમા હૈદરનું સત્ય જાણવા માટે UP ATSની ટીમે ગ્રેટર નોઈડા પોલીસ પાસેથી સીમા અને સચિનના નિવેદનની કોપી લીધી છે. સીમા હૈદરની અત્યાર સુધીની તપાસમાં જે હકીકતો બહાર આવી છે તે સચિન અને સીમાની પૂછપરછ કરીને ચકાસવામાં આવશે અને ત્યારબાદ ATS તેની નવેસરથી તપાસ કરશે. ઉત્તરપ્રદેશ ATS સીમા હૈદર અને તેના પરિવારની સંપૂર્ણ પ્રોફાઈલની તપાસ કરશે. તે કયા રસ્તે ભારતમાં આવી, તેને કોણ ભારતમાં લાવ્યું અને મુસાફરી દરમિયાન તેણે જે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો તે કોનો હતો અને કોણે આપ્યો હતો, આ બધા પાસાઓની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક જાણકારી મુજબ, સીમા હૈદર પહેલા પાકિસ્તાનથી દુબઈ અને પછી દુબઈ નેપાળ ગઈ હતી. બાદમાં તે નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. જેના કારણે ભારતની સુરક્ષાને લગતા કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.આ માટે ATS નોઈડા સેક્ટર 94ના પોલીસ કમાન્ડ રૂમમાં સીમા હૈદર, સચિન અને તેના પિતાની પૂછપરછ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવ્યા બાદ સીમા સીધી જ ગ્રેટર નોઈડામાં તેના પ્રેમીના ગામ પહોંચી ગઈ હતી અને ત્યાં શાંતિથી તેની સાથે રહેતી હતી. જોકે, સ્થાનિક લોકોને શંકા જતાં પોલીસ ગામમાં પહોંચી ફરિયાદ કરી હતી ત્યારે તે બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ પછી યુપી પોલીસે તેમને હરિયાણાના બલ્લભગઢથી પકડીને કોર્ટમાં રજૂ કર્યા હતા.


કોર્ટે શરતો સાથે જામીન આપ્યા હતા


કોર્ટે સીમા હૈદરને શરતી જામીન આપ્યા છે. કોર્ટે સીમા હૈદરને આદેશ આપ્યો હતો કે તે સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કર્યા વિના ભારત નહીં છોડે. એટલું જ નહીં, કોર્ટે સીમાને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે જો તે હાલનું સરનામું બદલશે તો તે અંગે કોર્ટને જાણ કરશે અને બદલાયેલા સરનામાની માહિતી પણ આપશે. કોર્ટે ત્રીજી શરત મૂકી હતી કે હવે તે ભારતમાં કોઈ ગુનો નહીં કરે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.