વેસ્ટ આફ્રિકન દેશ સેનેગલમાં ગમખ્વાર અકસ્માત, 40થી વધુ લોકોના મોત, 87થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-08 21:36:48

વેસ્ટ આફ્રિકન દેશ સેનેગલમાં ભયંકર રોડ એક્સિડન્ટ થયો છે. કેફ્રાઇન ક્ષેત્રના ગિવીમાં નેશનલ હાઈવે પર બે બસ સામસામી ટકરાઈ હતી જેમાં ઓછામાં ઓછા 40થી વધુ લોકોના મોત થયા હતા તથા ઘણા ઘાયલ થયા હતા. મૃતકોનો આંકડો વધી શકે છે કારણ કે ઘાયલોમાં ઘણા ગંભીર છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક બસનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે તે બેકાબૂ બની ગઈ અને બીજી બસ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ મેકી સેલૈએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.


ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા


અગ્નિશમન દળના અધિકારીએ AFPને જણાવ્યું હતું કે, રવિવારે મધ્ય સેનેગલના કેફ્રીન શહેર નજીક બે બસો અથડાતાં  40થી વધુ લોકોના મોત થયા હતા.અકસ્માતને પગલે, જે નં. 1 રાષ્ટ્રીય માર્ગે રવિવારે સવારે 3.15 વાગ્યે સ્થાનિક સમય મુજબ (03:15 GMT) તમામ ઘાયલોને કેફ્રીન હોસ્પિટલ અને મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.


રાષ્ટ્રપતિ મેકી સૈલે દુ:ખ વ્યક્ત કર્યું 


રાષ્ટ્રપતિ મેકી સૈલે જણાવ્યું હતું કે કાફરીન ક્ષેત્રના ગનીબી ગામમાં સવારે લગભગ 3.30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 40 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકો ઘાયલ થયા. તેમણે કહ્યું કે હું ગનીબીમાં થયેલા અકસ્માતના સમાચારથી ખૂબ જ દુખી છું, હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.


ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત


રાષ્ટ્રપતિએ સેનેગલમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ માર્ગ સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે રોડ અકસ્માત નેશનલ રોડ નંબર-1 પર થયો હતો. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, એક બસનું ટાયર પંક્ચર થતા તે બીજી બસ સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 87 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.