કાગવડ ખાતે યોજાયો ખોડલધામનો સાતમો પાટોત્સવ, નવા ટ્રસ્ટીઓની કરાઈ વરણી


  • Published By :
  • Published Date : 2023-01-21 12:51:01

રાજકોટના કાગવડ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠાના 6 વર્ષ પૂર્ણ થવાના આનંદમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી મંડળમાં નવા 51 ટ્રસ્ટીને ઉમેરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના દીકરી અનાર પટેલનો સમાવેશ થાય છે. અનાર પટેલ ખોડલધામના ટ્રસ્ટી બની ગયા છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજારોહણ

કાગવડ ખાતે ખોડલધામનો પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ ધામે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ નિમીત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખોડલધામ પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ મા ખોડલને ધજા ચડાવી હતી. 



 

મોટી સંખ્યામાં પાટીદારો રહ્યા ઉપસ્થિત

આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં કેડીલા ગ્રુપના માલિક બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડિયા, નિરમા ગ્રુપના કરશન પટેલ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. લેઉવા પાટીદારના કૂળદેવી ખોડલધામ ખાતે મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. નરેશ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે ખોડલધામ માત્ર મંદિર નહીં એક વિચાર છે. વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.