કાગવડ ખાતે યોજાયો ખોડલધામનો સાતમો પાટોત્સવ, નવા ટ્રસ્ટીઓની કરાઈ વરણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-21 12:51:01

રાજકોટના કાગવડ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠાના 6 વર્ષ પૂર્ણ થવાના આનંદમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી મંડળમાં નવા 51 ટ્રસ્ટીને ઉમેરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના દીકરી અનાર પટેલનો સમાવેશ થાય છે. અનાર પટેલ ખોડલધામના ટ્રસ્ટી બની ગયા છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજારોહણ

કાગવડ ખાતે ખોડલધામનો પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ ધામે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ નિમીત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખોડલધામ પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ મા ખોડલને ધજા ચડાવી હતી. 



 

મોટી સંખ્યામાં પાટીદારો રહ્યા ઉપસ્થિત

આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં કેડીલા ગ્રુપના માલિક બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડિયા, નિરમા ગ્રુપના કરશન પટેલ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. લેઉવા પાટીદારના કૂળદેવી ખોડલધામ ખાતે મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. નરેશ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે ખોડલધામ માત્ર મંદિર નહીં એક વિચાર છે. વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.       



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.