શાહરૂખની ફિલ્મ "પઠાણ"ને લઈ વિવાદ વકર્યો, અયોધ્યાના મહંતે થિયેટરોને ફૂંકી મારવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-15 13:51:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની ફિલ્મને લઈ વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હવે અયોધ્યાના મહંત રાજુ દાસે આ  ફિલ્મનો બાયકોટ કરવાની અપીલ કરી છે. રાજુ દાસે શાહરૂખ ખાન પર સનાતન ધર્મની મજાક અને હિંદુ દેવી દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેમણે જે પણ થિયેટરમાં ફિલ્મ પઠાણ લાગી હોય તેને ફૂંકી મારવાની હાંકલ કરી હતી.  


પઠાણ ફિલ્મનો વિરોધ શા માટે?


પઠાણ ફિલ્મમાં દીપિકા પદુકોણે ભગવા રંગની બિકિની પહેરી છે. રાજુ દાસે સવાલ કર્યો કે ભગવા રંગની બિકીની પહેરવાની શું જરૂર છે?. શાહરૂખ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ બધુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જ કરવામાં આવે છે. તેમણે લોકોને જેવા સાથે તેવા થવાની અપીલ કરી હતી.


હિંદુ મહાસભાના અધ્યક્ષે પણ કર્યો વિરોધ


હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ આ ફિલ્મને લઈ વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે આ ભગવો રંગ છે અને પઠાણ ફિલ્મમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે. પઠાણમાં ભગવાનું અપમાન ભારત સહન નહીં કરે. તેણે કહ્યું- શાહરૂખ ખાન અને દીપિકાની આગામી ફિલ્મ પઠાણમાં જે રીતે ભગવા રંગના કપડા અશ્લીલ રીતે પહેરવામાં આવ્યા છે અને તેને પહેરીને બેશરમ રંગ ગીત ગાયું છે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. તેમણે કહ્યું, "હું હિંદુ સમુદાયને વિનંતી કરું છું કે પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરે.".


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલિઝ નહીં થાય


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલીઝ નહીં થાય, મધ્યપ્રદેશના મંત્રીએ ચેતવણી આપી છે કે જો દીપિકાના કપડાં અને ફિલ્મના કેટલાક સીન બદલવામાં નહીં આવે તો તેઓ તેમના રાજ્યમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ કહ્યું- ફિલ્મ પઠાણના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણનો પોશાક ખૂબ જ વાંધાજનક છે અને ગીત ભ્રષ્ટ માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. ગીતોના દ્રશ્યો અને કોસ્ચ્યુમમાં સુધારો કરવો જોઈએ, નહીં તો ફિલ્મને મધ્યપ્રદેશમાં મંજૂરી છે કે નહીં તે અંગે વિચારવું પડશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે