શાહરૂખની ફિલ્મ "પઠાણ"ને લઈ વિવાદ વકર્યો, અયોધ્યાના મહંતે થિયેટરોને ફૂંકી મારવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-15 13:51:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની ફિલ્મને લઈ વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હવે અયોધ્યાના મહંત રાજુ દાસે આ  ફિલ્મનો બાયકોટ કરવાની અપીલ કરી છે. રાજુ દાસે શાહરૂખ ખાન પર સનાતન ધર્મની મજાક અને હિંદુ દેવી દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેમણે જે પણ થિયેટરમાં ફિલ્મ પઠાણ લાગી હોય તેને ફૂંકી મારવાની હાંકલ કરી હતી.  


પઠાણ ફિલ્મનો વિરોધ શા માટે?


પઠાણ ફિલ્મમાં દીપિકા પદુકોણે ભગવા રંગની બિકિની પહેરી છે. રાજુ દાસે સવાલ કર્યો કે ભગવા રંગની બિકીની પહેરવાની શું જરૂર છે?. શાહરૂખ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ બધુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જ કરવામાં આવે છે. તેમણે લોકોને જેવા સાથે તેવા થવાની અપીલ કરી હતી.


હિંદુ મહાસભાના અધ્યક્ષે પણ કર્યો વિરોધ


હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ આ ફિલ્મને લઈ વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે આ ભગવો રંગ છે અને પઠાણ ફિલ્મમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે. પઠાણમાં ભગવાનું અપમાન ભારત સહન નહીં કરે. તેણે કહ્યું- શાહરૂખ ખાન અને દીપિકાની આગામી ફિલ્મ પઠાણમાં જે રીતે ભગવા રંગના કપડા અશ્લીલ રીતે પહેરવામાં આવ્યા છે અને તેને પહેરીને બેશરમ રંગ ગીત ગાયું છે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. તેમણે કહ્યું, "હું હિંદુ સમુદાયને વિનંતી કરું છું કે પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરે.".


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલિઝ નહીં થાય


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલીઝ નહીં થાય, મધ્યપ્રદેશના મંત્રીએ ચેતવણી આપી છે કે જો દીપિકાના કપડાં અને ફિલ્મના કેટલાક સીન બદલવામાં નહીં આવે તો તેઓ તેમના રાજ્યમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ કહ્યું- ફિલ્મ પઠાણના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણનો પોશાક ખૂબ જ વાંધાજનક છે અને ગીત ભ્રષ્ટ માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. ગીતોના દ્રશ્યો અને કોસ્ચ્યુમમાં સુધારો કરવો જોઈએ, નહીં તો ફિલ્મને મધ્યપ્રદેશમાં મંજૂરી છે કે નહીં તે અંગે વિચારવું પડશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.