શાહરૂખની ફિલ્મ "પઠાણ"ને લઈ વિવાદ વકર્યો, અયોધ્યાના મહંતે થિયેટરોને ફૂંકી મારવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-15 13:51:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની ફિલ્મને લઈ વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હવે અયોધ્યાના મહંત રાજુ દાસે આ  ફિલ્મનો બાયકોટ કરવાની અપીલ કરી છે. રાજુ દાસે શાહરૂખ ખાન પર સનાતન ધર્મની મજાક અને હિંદુ દેવી દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેમણે જે પણ થિયેટરમાં ફિલ્મ પઠાણ લાગી હોય તેને ફૂંકી મારવાની હાંકલ કરી હતી.  


પઠાણ ફિલ્મનો વિરોધ શા માટે?


પઠાણ ફિલ્મમાં દીપિકા પદુકોણે ભગવા રંગની બિકિની પહેરી છે. રાજુ દાસે સવાલ કર્યો કે ભગવા રંગની બિકીની પહેરવાની શું જરૂર છે?. શાહરૂખ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ બધુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જ કરવામાં આવે છે. તેમણે લોકોને જેવા સાથે તેવા થવાની અપીલ કરી હતી.


હિંદુ મહાસભાના અધ્યક્ષે પણ કર્યો વિરોધ


હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ આ ફિલ્મને લઈ વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે આ ભગવો રંગ છે અને પઠાણ ફિલ્મમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે. પઠાણમાં ભગવાનું અપમાન ભારત સહન નહીં કરે. તેણે કહ્યું- શાહરૂખ ખાન અને દીપિકાની આગામી ફિલ્મ પઠાણમાં જે રીતે ભગવા રંગના કપડા અશ્લીલ રીતે પહેરવામાં આવ્યા છે અને તેને પહેરીને બેશરમ રંગ ગીત ગાયું છે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. તેમણે કહ્યું, "હું હિંદુ સમુદાયને વિનંતી કરું છું કે પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરે.".


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલિઝ નહીં થાય


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલીઝ નહીં થાય, મધ્યપ્રદેશના મંત્રીએ ચેતવણી આપી છે કે જો દીપિકાના કપડાં અને ફિલ્મના કેટલાક સીન બદલવામાં નહીં આવે તો તેઓ તેમના રાજ્યમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ કહ્યું- ફિલ્મ પઠાણના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણનો પોશાક ખૂબ જ વાંધાજનક છે અને ગીત ભ્રષ્ટ માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. ગીતોના દ્રશ્યો અને કોસ્ચ્યુમમાં સુધારો કરવો જોઈએ, નહીં તો ફિલ્મને મધ્યપ્રદેશમાં મંજૂરી છે કે નહીં તે અંગે વિચારવું પડશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.