થ્રીલ, એક્શનથી ભરપૂર હશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ, શું તમે જોયું ફિલ્મનું ટ્રેલર?


  • Published By :
  • Published Date : 2023-01-10 13:27:09

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે અને તેમની સાથે સાથે દિપીકા પાદુકોણ, જોન અબરાહમ પણ જોવા મળશે. થોડા સમય પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું અને દર્શકોને ખૂબ પસંદ પણ આવ્યું હતું. ત્યારે આજે ટ્રેલર રિલીઝ થયું છે જેમાં શાહરૂખ ખાન અને જોન એબ્રાહમ વચ્ચે જબરદસ્ત ફાઈટ જોવા મળશે. આ ફિલ્મમાં ડિંપલ કપાડિયા પણ જોવા મળશે.


ટિઝર બાદ ટ્રેલર આવી રહ્યું છે પસંદ 

પઠાણ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે. 25 જાન્યુઆરીએ ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં જોરદાર એક્શન જોવા મળશે. યશરાજ ફિલ્મના ઓફિશિયલ પેજ પર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક્શન, થ્રિલ અને સસ્પેન્સ ત્રણેય જોવા મળશે. આ ફિલ્મમાં જોનને આતંકવાદી ગૃપનો સભ્ય બતાવવામાં આવ્યો છે. ભારત પર તેની નજર હોય છે. ત્યારે દેશને બચાવા શાહરૂખ ખાન સ્પાઈ એજન્ટ તરીકે જોવા મળશે. 

વિવાદો વચ્ચે 'પઠાણ' દેશની પહેલી ફિલ્મ હશે જે ICE ફોર્મેટમાં રિલીઝ થશે, જાણો  શું છે આ ટેક્નોલોજી

ચર્ચાનું કેન્દ્ર રહી છે પઠાણ ફિલ્મ 

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક જગ્યા પર આ ફિલ્મનો વિરોધ કરવામાં  આવ્યો હતો. બોયકોટનો ટ્રેન્ડ પણ ફરી ઉઠ્યો હતો. બેશરમ રંગ ગીતમાં દિપીકાના કપડાના રંગને લઈ લોકોએ ભારે વિરોધ નોંઘાવ્યો હતો. વિરોધ વધતા ફિલ્મમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ અને દિપીકાની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે. ડિમ્પલ કાપડિયા પણ આ ફિલ્મમાં જોવા મળશે,    



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.