થ્રીલ, એક્શનથી ભરપૂર હશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ, શું તમે જોયું ફિલ્મનું ટ્રેલર?


  • Published By :
  • Published Date : 2023-01-10 13:27:09

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે અને તેમની સાથે સાથે દિપીકા પાદુકોણ, જોન અબરાહમ પણ જોવા મળશે. થોડા સમય પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું અને દર્શકોને ખૂબ પસંદ પણ આવ્યું હતું. ત્યારે આજે ટ્રેલર રિલીઝ થયું છે જેમાં શાહરૂખ ખાન અને જોન એબ્રાહમ વચ્ચે જબરદસ્ત ફાઈટ જોવા મળશે. આ ફિલ્મમાં ડિંપલ કપાડિયા પણ જોવા મળશે.


ટિઝર બાદ ટ્રેલર આવી રહ્યું છે પસંદ 

પઠાણ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે. 25 જાન્યુઆરીએ ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં જોરદાર એક્શન જોવા મળશે. યશરાજ ફિલ્મના ઓફિશિયલ પેજ પર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક્શન, થ્રિલ અને સસ્પેન્સ ત્રણેય જોવા મળશે. આ ફિલ્મમાં જોનને આતંકવાદી ગૃપનો સભ્ય બતાવવામાં આવ્યો છે. ભારત પર તેની નજર હોય છે. ત્યારે દેશને બચાવા શાહરૂખ ખાન સ્પાઈ એજન્ટ તરીકે જોવા મળશે. 

વિવાદો વચ્ચે 'પઠાણ' દેશની પહેલી ફિલ્મ હશે જે ICE ફોર્મેટમાં રિલીઝ થશે, જાણો  શું છે આ ટેક્નોલોજી

ચર્ચાનું કેન્દ્ર રહી છે પઠાણ ફિલ્મ 

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક જગ્યા પર આ ફિલ્મનો વિરોધ કરવામાં  આવ્યો હતો. બોયકોટનો ટ્રેન્ડ પણ ફરી ઉઠ્યો હતો. બેશરમ રંગ ગીતમાં દિપીકાના કપડાના રંગને લઈ લોકોએ ભારે વિરોધ નોંઘાવ્યો હતો. વિરોધ વધતા ફિલ્મમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ અને દિપીકાની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે. ડિમ્પલ કાપડિયા પણ આ ફિલ્મમાં જોવા મળશે,    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.