રિલીઝ થઈ Shahrukh Khanની ફિલ્મ Jawan, ભરપૂર એક્શનથી ભરેલી છે ફિલ્મ, કિંગ ખાનના ફેન્સમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ


  • Published By :
  • Published Date : 2023-09-07 19:56:45

 થોડા સમય પહેલા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આવી હતી જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારે આજે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ કિંગ ખાનના ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઈ તહેવાર હોય તેવો માહોલ તેવો ઉત્સાહ ફેન્સમાં જોવા મળ્યો હતો. ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર જવાન ફિલ્મને જોવા માટે વહેલી સવારથી લોકો પહોંચી ગયા હતા. ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ પણ  કરી લેવામાં આવ્યું હતું. 

ફિલ્મને લઈ ફેન્સમાં હતો અનેરો ઉત્સાહ  

જવાન ફિલ્મને લઈ શાહરૂખ ખાનના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મોટા પડદા પર શાહરૂખ ખાનને જોવા માટે આતુર હતા. જ્યારથી જવાન ફિલ્મનું ટ્રીઝર રિલીઝ થયું ત્યારથી ફેન્સમાં ફિલ્મને લઈ excitment વધી રહી હતી. તે બાદ એક્શનથી ભરેલું ટ્રેલર આવ્યું. માત્ર થોડા સમયની અંદર જ ટ્રેલરને મિલીયનની સંખ્યામાં વ્યુ મળી ગયા હતા. ફેન્સ 7 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા હતા. આજે એટલે કે 7 સપ્ટેમ્બરે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. એડવાન્સ બુકિંગ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા હતા.     

શું છે ફિલ્મની સ્ટોરી?

જો ફિલ્મના સ્ટોરીની વાત કરીએ તો આખા ફિલ્મ દરમિયાન અલગ અલગ રોલમાં શાહરૂખ ખાન નજરે પડે છે. ફિલ્મની શરૂઆત એક ટ્રેન હાઈજેકથી થાય છે. હાઈજેક કરનારે યાત્રિઓને બદલે કૃષિમંત્રીથી વાત કરવાની ડિમાન્ડ રાખી. કૃષિમંત્રીને એક અમાઉન્ટ માગે છે, જેને પાંચ મીનિટની અંદર અરેન્જ કરવી સરકાર માટે પણ અશક્ય હતું. એ ટ્રેનમાં બહુ મોટા બિસનેસમેનની દીકરી પણ મુસાફરી કરી રહી હોય છે. ટ્રેન હાઈઝેક કરવા વાળાની એક સલાહ છે કે સરકાર બિઝનેસમેનના દેવાને માફ કરી શકે છે તો ટ્રેનમાં ફસાયેલા લોકોની જીંદગીને બચાવવા તેમની (બિસનેસમેન)ની મદદ પણ લઈ શકે છે. આ આખી કહાણી પૂર્ણ થાય છે. રકમ મળ્યા બાદ 7 લાખ ખેડૂતોના દેવા ચૂકવાઈ ગયા હોય છે. આખી ફિલ્મ દરમિયાન શાહરૂખ ખાન અલગ અલગ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ અનેક ફિલ્મના રેકોર્ડ પણ તોડી શકે છે. 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.