રિલીઝ થઈ Shahrukh Khanની ફિલ્મ Jawan, ભરપૂર એક્શનથી ભરેલી છે ફિલ્મ, કિંગ ખાનના ફેન્સમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ


  • Published By :
  • Published Date : 2023-09-07 19:56:45

 થોડા સમય પહેલા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આવી હતી જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારે આજે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ કિંગ ખાનના ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઈ તહેવાર હોય તેવો માહોલ તેવો ઉત્સાહ ફેન્સમાં જોવા મળ્યો હતો. ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર જવાન ફિલ્મને જોવા માટે વહેલી સવારથી લોકો પહોંચી ગયા હતા. ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ પણ  કરી લેવામાં આવ્યું હતું. 

ફિલ્મને લઈ ફેન્સમાં હતો અનેરો ઉત્સાહ  

જવાન ફિલ્મને લઈ શાહરૂખ ખાનના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મોટા પડદા પર શાહરૂખ ખાનને જોવા માટે આતુર હતા. જ્યારથી જવાન ફિલ્મનું ટ્રીઝર રિલીઝ થયું ત્યારથી ફેન્સમાં ફિલ્મને લઈ excitment વધી રહી હતી. તે બાદ એક્શનથી ભરેલું ટ્રેલર આવ્યું. માત્ર થોડા સમયની અંદર જ ટ્રેલરને મિલીયનની સંખ્યામાં વ્યુ મળી ગયા હતા. ફેન્સ 7 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા હતા. આજે એટલે કે 7 સપ્ટેમ્બરે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. એડવાન્સ બુકિંગ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા હતા.     

શું છે ફિલ્મની સ્ટોરી?

જો ફિલ્મના સ્ટોરીની વાત કરીએ તો આખા ફિલ્મ દરમિયાન અલગ અલગ રોલમાં શાહરૂખ ખાન નજરે પડે છે. ફિલ્મની શરૂઆત એક ટ્રેન હાઈજેકથી થાય છે. હાઈજેક કરનારે યાત્રિઓને બદલે કૃષિમંત્રીથી વાત કરવાની ડિમાન્ડ રાખી. કૃષિમંત્રીને એક અમાઉન્ટ માગે છે, જેને પાંચ મીનિટની અંદર અરેન્જ કરવી સરકાર માટે પણ અશક્ય હતું. એ ટ્રેનમાં બહુ મોટા બિસનેસમેનની દીકરી પણ મુસાફરી કરી રહી હોય છે. ટ્રેન હાઈઝેક કરવા વાળાની એક સલાહ છે કે સરકાર બિઝનેસમેનના દેવાને માફ કરી શકે છે તો ટ્રેનમાં ફસાયેલા લોકોની જીંદગીને બચાવવા તેમની (બિસનેસમેન)ની મદદ પણ લઈ શકે છે. આ આખી કહાણી પૂર્ણ થાય છે. રકમ મળ્યા બાદ 7 લાખ ખેડૂતોના દેવા ચૂકવાઈ ગયા હોય છે. આખી ફિલ્મ દરમિયાન શાહરૂખ ખાન અલગ અલગ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ અનેક ફિલ્મના રેકોર્ડ પણ તોડી શકે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.