રિલીઝ થઈ Shahrukh Khanની ફિલ્મ Jawan, ભરપૂર એક્શનથી ભરેલી છે ફિલ્મ, કિંગ ખાનના ફેન્સમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ


  • Published By :
  • Published Date : 2023-09-07 19:56:45

 થોડા સમય પહેલા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આવી હતી જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારે આજે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ કિંગ ખાનના ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઈ તહેવાર હોય તેવો માહોલ તેવો ઉત્સાહ ફેન્સમાં જોવા મળ્યો હતો. ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર જવાન ફિલ્મને જોવા માટે વહેલી સવારથી લોકો પહોંચી ગયા હતા. ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ પણ  કરી લેવામાં આવ્યું હતું. 

ફિલ્મને લઈ ફેન્સમાં હતો અનેરો ઉત્સાહ  

જવાન ફિલ્મને લઈ શાહરૂખ ખાનના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મોટા પડદા પર શાહરૂખ ખાનને જોવા માટે આતુર હતા. જ્યારથી જવાન ફિલ્મનું ટ્રીઝર રિલીઝ થયું ત્યારથી ફેન્સમાં ફિલ્મને લઈ excitment વધી રહી હતી. તે બાદ એક્શનથી ભરેલું ટ્રેલર આવ્યું. માત્ર થોડા સમયની અંદર જ ટ્રેલરને મિલીયનની સંખ્યામાં વ્યુ મળી ગયા હતા. ફેન્સ 7 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા હતા. આજે એટલે કે 7 સપ્ટેમ્બરે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. એડવાન્સ બુકિંગ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા હતા.     

શું છે ફિલ્મની સ્ટોરી?

જો ફિલ્મના સ્ટોરીની વાત કરીએ તો આખા ફિલ્મ દરમિયાન અલગ અલગ રોલમાં શાહરૂખ ખાન નજરે પડે છે. ફિલ્મની શરૂઆત એક ટ્રેન હાઈજેકથી થાય છે. હાઈજેક કરનારે યાત્રિઓને બદલે કૃષિમંત્રીથી વાત કરવાની ડિમાન્ડ રાખી. કૃષિમંત્રીને એક અમાઉન્ટ માગે છે, જેને પાંચ મીનિટની અંદર અરેન્જ કરવી સરકાર માટે પણ અશક્ય હતું. એ ટ્રેનમાં બહુ મોટા બિસનેસમેનની દીકરી પણ મુસાફરી કરી રહી હોય છે. ટ્રેન હાઈઝેક કરવા વાળાની એક સલાહ છે કે સરકાર બિઝનેસમેનના દેવાને માફ કરી શકે છે તો ટ્રેનમાં ફસાયેલા લોકોની જીંદગીને બચાવવા તેમની (બિસનેસમેન)ની મદદ પણ લઈ શકે છે. આ આખી કહાણી પૂર્ણ થાય છે. રકમ મળ્યા બાદ 7 લાખ ખેડૂતોના દેવા ચૂકવાઈ ગયા હોય છે. આખી ફિલ્મ દરમિયાન શાહરૂખ ખાન અલગ અલગ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ અનેક ફિલ્મના રેકોર્ડ પણ તોડી શકે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.