શાહરૂખ ખાન અમેરિકામાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા, નાકની સર્જરી કરાવવી પડી


  • Published By :
  • Published Date : 2023-07-04 19:44:45

શાહરૂખ ખાનને લઈને મોટા સમાચાર આવ્યા છે.  તે શૂટિંગ દરમિયાન ખરાબ રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેમને સર્જરી કરાવવી પડી હતી. શાહરૂખ ખાન અમેરિકાના લોસ એન્જલસમાં શૂટિંગ કરી રહ્યા હતા, તે શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. શાહરૂખને નાકમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું લોહી વહેતું બંધ કરવા માટે સર્જરી કરાવવી પડી હતી. અભિનેતાની તબિયત સારી છે અને તે ભારત પરત ફર્યા છે.


નાકની સર્જરી કરવામાં આવી


ડૉક્ટરોએ અભિનેતાની ટીમને જાણ કરી હતી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને રક્તસ્ત્રાવ રોકવા માટે તેમના નાકની નાની સર્જરી કરાવવાની જરૂર પડી છે. મીડિયા રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "ઓપરેશન બાદ શાહરૂખને નાક પર પટ્ટી બાંધેલી જોવામાં આવી હતી અને હવે તે સ્વદેશમાં પાછો ફર્યો છે અને ઘરે આરામ કરી રહ્યા છે."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.