મનોબળ દ્રઢ કરવા મનુષ્યએ કરવી માં શૈલપુત્રીની આરાધના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 09:50:14

આજથી માં આદ્યશક્તિને પ્રિય એવી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.  નવરાત્રીના પ્રથમ નોરતે માં શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. હિમાલયની પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સ્થિરતા આવે છે.  દ્રઢ મનોબળ મેળવવા માંને પ્રાર્થના કરવી જોઈએ. માતા શૈલપુત્રીને પ્રકૃતિનું સ્વરૂપ માનવામાં આવે છે. 

Shailaputri Devi ( Navratri First Day Goddess): Story, Puja, Beej Mantra in  English & Hindi - Rudra Centre

આ મંત્રથી માં શૈલપુત્રી થાય છે પ્રસન્ન

નવરાત્રીમાં ચંડીપાઠના પાઠનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંડીપાઠ કરવાથી માતા પ્રસન્ન થાય છે. જો ચંડીપાઠ ન થાય તો માતા શૈલપુત્રીના વિશેષ મંત્રનો જાપ કરી તેમની આરાધના કરી શકાય છે. માં શૈલપુત્રીનો મંત્ર - 

वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।

અર્થાત- હે માં તમે બધા મનુષ્યોને મનોવાંછિત ફળ આપનારા છો. વૃષભ પર સવાર થઈ તમે ત્રિશુળ અને કમળ ધારણ કરી ભક્તોને આશીર્વાદ આપો છો. તમારા ભાલમાં પર ચંદ્ર શોભે છે. હે જગદંબા તમે યશસ્વિની છો. તમે સમસ્ત જગતને યશ તેમજ તમામ સુખ આપનારા છો. તમે ભક્તોનું રક્ષણ કરનાર છો. માતા શૈલપુત્રીને સફેદ રંગ વધારે પ્રિય છે. પ્રથમ દિવસે સફેદ વસ્ત્ર પહેરવાથી માતા શૈલપુત્રી જલ્દી પ્રસન્ન થાય છે.


પ્રથમ દિવસે કયું નૈવેદ્ય માંને કરાય છે અર્પણ

નવરાત્રીના નવ દિવસ દરમિયાન અલગ અલગ ભોગ માંને અર્પણ કરવામાં આવે છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે નૈવેદ્ય તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે. ઘીનો ભોગ ધરાવવાથી તમામ રોગોમાંથી મનુષ્યને મુક્તિ મળે છે.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .