મનોબળ દ્રઢ કરવા મનુષ્યએ કરવી માં શૈલપુત્રીની આરાધના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 09:50:14

આજથી માં આદ્યશક્તિને પ્રિય એવી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.  નવરાત્રીના પ્રથમ નોરતે માં શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. હિમાલયની પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સ્થિરતા આવે છે.  દ્રઢ મનોબળ મેળવવા માંને પ્રાર્થના કરવી જોઈએ. માતા શૈલપુત્રીને પ્રકૃતિનું સ્વરૂપ માનવામાં આવે છે. 

Shailaputri Devi ( Navratri First Day Goddess): Story, Puja, Beej Mantra in  English & Hindi - Rudra Centre

આ મંત્રથી માં શૈલપુત્રી થાય છે પ્રસન્ન

નવરાત્રીમાં ચંડીપાઠના પાઠનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંડીપાઠ કરવાથી માતા પ્રસન્ન થાય છે. જો ચંડીપાઠ ન થાય તો માતા શૈલપુત્રીના વિશેષ મંત્રનો જાપ કરી તેમની આરાધના કરી શકાય છે. માં શૈલપુત્રીનો મંત્ર - 

वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।

અર્થાત- હે માં તમે બધા મનુષ્યોને મનોવાંછિત ફળ આપનારા છો. વૃષભ પર સવાર થઈ તમે ત્રિશુળ અને કમળ ધારણ કરી ભક્તોને આશીર્વાદ આપો છો. તમારા ભાલમાં પર ચંદ્ર શોભે છે. હે જગદંબા તમે યશસ્વિની છો. તમે સમસ્ત જગતને યશ તેમજ તમામ સુખ આપનારા છો. તમે ભક્તોનું રક્ષણ કરનાર છો. માતા શૈલપુત્રીને સફેદ રંગ વધારે પ્રિય છે. પ્રથમ દિવસે સફેદ વસ્ત્ર પહેરવાથી માતા શૈલપુત્રી જલ્દી પ્રસન્ન થાય છે.


પ્રથમ દિવસે કયું નૈવેદ્ય માંને કરાય છે અર્પણ

નવરાત્રીના નવ દિવસ દરમિયાન અલગ અલગ ભોગ માંને અર્પણ કરવામાં આવે છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે નૈવેદ્ય તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે. ઘીનો ભોગ ધરાવવાથી તમામ રોગોમાંથી મનુષ્યને મુક્તિ મળે છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.