મનોબળ દ્રઢ કરવા મનુષ્યએ કરવી માં શૈલપુત્રીની આરાધના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 09:50:14

આજથી માં આદ્યશક્તિને પ્રિય એવી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.  નવરાત્રીના પ્રથમ નોરતે માં શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. હિમાલયની પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સ્થિરતા આવે છે.  દ્રઢ મનોબળ મેળવવા માંને પ્રાર્થના કરવી જોઈએ. માતા શૈલપુત્રીને પ્રકૃતિનું સ્વરૂપ માનવામાં આવે છે. 

Shailaputri Devi ( Navratri First Day Goddess): Story, Puja, Beej Mantra in  English & Hindi - Rudra Centre

આ મંત્રથી માં શૈલપુત્રી થાય છે પ્રસન્ન

નવરાત્રીમાં ચંડીપાઠના પાઠનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંડીપાઠ કરવાથી માતા પ્રસન્ન થાય છે. જો ચંડીપાઠ ન થાય તો માતા શૈલપુત્રીના વિશેષ મંત્રનો જાપ કરી તેમની આરાધના કરી શકાય છે. માં શૈલપુત્રીનો મંત્ર - 

वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।

અર્થાત- હે માં તમે બધા મનુષ્યોને મનોવાંછિત ફળ આપનારા છો. વૃષભ પર સવાર થઈ તમે ત્રિશુળ અને કમળ ધારણ કરી ભક્તોને આશીર્વાદ આપો છો. તમારા ભાલમાં પર ચંદ્ર શોભે છે. હે જગદંબા તમે યશસ્વિની છો. તમે સમસ્ત જગતને યશ તેમજ તમામ સુખ આપનારા છો. તમે ભક્તોનું રક્ષણ કરનાર છો. માતા શૈલપુત્રીને સફેદ રંગ વધારે પ્રિય છે. પ્રથમ દિવસે સફેદ વસ્ત્ર પહેરવાથી માતા શૈલપુત્રી જલ્દી પ્રસન્ન થાય છે.


પ્રથમ દિવસે કયું નૈવેદ્ય માંને કરાય છે અર્પણ

નવરાત્રીના નવ દિવસ દરમિયાન અલગ અલગ ભોગ માંને અર્પણ કરવામાં આવે છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે નૈવેદ્ય તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે. ઘીનો ભોગ ધરાવવાથી તમામ રોગોમાંથી મનુષ્યને મુક્તિ મળે છે.   



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.