શરદ પવારે NCPમાં કર્યા મોટા ફેરફાર! સુપ્રિયા સુલેને સોંપવામાં આવી મોટી જવાબદારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-10 16:22:33

એનસીપીમાં શરદ પવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની પુત્રીને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રિયા સુલેની નિયુક્તિ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. તે સિવાય પ્રફૂલ પટેલને પણ આ જ જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની જાહેરાત ખુદ શરદ પવારે કરી છે. મહત્વનું છે શરદ પવારે પોતાના ભત્રીજા અજીત પવારને કોઈ જવાબદારી નથી સોંપી. સુપ્રીયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે.

 


સુપ્રિયા સુલેને મળી મોટી જવાબદારી!

લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મહારાષ્ટ્રની એનસીપી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની દીકરીને તેમજ પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે. મોટી જવાબદારી મળ્યા બાદ સુપ્રિયાએ આટલી મોટી જવાબદારી સોંપવા બદલ પક્ષના સાથીદારોનો, પક્ષના કાર્યકરોનો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. 


વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે - શરદ પવાર

છેલ્લા ઘણા સમયથી વિપક્ષને એક કરવા અનેક પાર્ટીઓ કાર્ય કરી રહી છે. ત્યારે વિપક્ષની એકતા માટે નિવેદન આપતા શરદ પવારે કહ્યું કે વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે, મને વિશ્વાસ છે કે આ દેશના લોકો અમને મદદ કરશે. 23મીએ આપણે બધા બિહારમાં મળીશું, ચર્ચા કરીશું અને કાર્યક્રમ લાવીશું અને દેશભરમાં યાત્રા કરીને એને લોકો સમક્ષ રજૂ કરશે.    




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.