શરદ પવારે NCPમાં કર્યા મોટા ફેરફાર! સુપ્રિયા સુલેને સોંપવામાં આવી મોટી જવાબદારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-10 16:22:33

એનસીપીમાં શરદ પવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની પુત્રીને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રિયા સુલેની નિયુક્તિ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. તે સિવાય પ્રફૂલ પટેલને પણ આ જ જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની જાહેરાત ખુદ શરદ પવારે કરી છે. મહત્વનું છે શરદ પવારે પોતાના ભત્રીજા અજીત પવારને કોઈ જવાબદારી નથી સોંપી. સુપ્રીયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે.

 


સુપ્રિયા સુલેને મળી મોટી જવાબદારી!

લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મહારાષ્ટ્રની એનસીપી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની દીકરીને તેમજ પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે. મોટી જવાબદારી મળ્યા બાદ સુપ્રિયાએ આટલી મોટી જવાબદારી સોંપવા બદલ પક્ષના સાથીદારોનો, પક્ષના કાર્યકરોનો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. 


વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે - શરદ પવાર

છેલ્લા ઘણા સમયથી વિપક્ષને એક કરવા અનેક પાર્ટીઓ કાર્ય કરી રહી છે. ત્યારે વિપક્ષની એકતા માટે નિવેદન આપતા શરદ પવારે કહ્યું કે વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે, મને વિશ્વાસ છે કે આ દેશના લોકો અમને મદદ કરશે. 23મીએ આપણે બધા બિહારમાં મળીશું, ચર્ચા કરીશું અને કાર્યક્રમ લાવીશું અને દેશભરમાં યાત્રા કરીને એને લોકો સમક્ષ રજૂ કરશે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.