શરદ પવારે NCPમાં કર્યા મોટા ફેરફાર! સુપ્રિયા સુલેને સોંપવામાં આવી મોટી જવાબદારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-10 16:22:33

એનસીપીમાં શરદ પવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની પુત્રીને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રિયા સુલેની નિયુક્તિ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. તે સિવાય પ્રફૂલ પટેલને પણ આ જ જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની જાહેરાત ખુદ શરદ પવારે કરી છે. મહત્વનું છે શરદ પવારે પોતાના ભત્રીજા અજીત પવારને કોઈ જવાબદારી નથી સોંપી. સુપ્રીયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે.

 


સુપ્રિયા સુલેને મળી મોટી જવાબદારી!

લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મહારાષ્ટ્રની એનસીપી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની દીકરીને તેમજ પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે. મોટી જવાબદારી મળ્યા બાદ સુપ્રિયાએ આટલી મોટી જવાબદારી સોંપવા બદલ પક્ષના સાથીદારોનો, પક્ષના કાર્યકરોનો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. 


વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે - શરદ પવાર

છેલ્લા ઘણા સમયથી વિપક્ષને એક કરવા અનેક પાર્ટીઓ કાર્ય કરી રહી છે. ત્યારે વિપક્ષની એકતા માટે નિવેદન આપતા શરદ પવારે કહ્યું કે વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે, મને વિશ્વાસ છે કે આ દેશના લોકો અમને મદદ કરશે. 23મીએ આપણે બધા બિહારમાં મળીશું, ચર્ચા કરીશું અને કાર્યક્રમ લાવીશું અને દેશભરમાં યાત્રા કરીને એને લોકો સમક્ષ રજૂ કરશે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.