શરદ પવારે NCPમાં કર્યા મોટા ફેરફાર! સુપ્રિયા સુલેને સોંપવામાં આવી મોટી જવાબદારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-10 16:22:33

એનસીપીમાં શરદ પવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની પુત્રીને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રિયા સુલેની નિયુક્તિ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. તે સિવાય પ્રફૂલ પટેલને પણ આ જ જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની જાહેરાત ખુદ શરદ પવારે કરી છે. મહત્વનું છે શરદ પવારે પોતાના ભત્રીજા અજીત પવારને કોઈ જવાબદારી નથી સોંપી. સુપ્રીયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે.

 


સુપ્રિયા સુલેને મળી મોટી જવાબદારી!

લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મહારાષ્ટ્રની એનસીપી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની દીકરીને તેમજ પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે. મોટી જવાબદારી મળ્યા બાદ સુપ્રિયાએ આટલી મોટી જવાબદારી સોંપવા બદલ પક્ષના સાથીદારોનો, પક્ષના કાર્યકરોનો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. 


વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે - શરદ પવાર

છેલ્લા ઘણા સમયથી વિપક્ષને એક કરવા અનેક પાર્ટીઓ કાર્ય કરી રહી છે. ત્યારે વિપક્ષની એકતા માટે નિવેદન આપતા શરદ પવારે કહ્યું કે વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે, મને વિશ્વાસ છે કે આ દેશના લોકો અમને મદદ કરશે. 23મીએ આપણે બધા બિહારમાં મળીશું, ચર્ચા કરીશું અને કાર્યક્રમ લાવીશું અને દેશભરમાં યાત્રા કરીને એને લોકો સમક્ષ રજૂ કરશે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.