ભત્રીજા અજીતના બળવા પર શરદ પવારનો હુંકાર, 'આવા બળવા મેં પહેલા પણ જોયા છે, પાર્ટીને ફરી ઉભી કરીને બતાવીશ'


  • Published By :
  • Published Date : 2023-07-02 18:44:35

મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારે શિંદે-ફડણવીસ સરકારને ટેકો આપવાનો સંકલ્પ લેતાં આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે NCPના 9 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શરદ પવારનો પક્ષ છોડીને સરકારમાં સામેલ થવાના અજિત પવારના નિર્ણયને પવાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. શરદ પવારે આ સમગ્ર ઘટના પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પાર્ટીમાં બળવા અંગે પવારે કહ્યું કે અન્ય લોકો માટે તે નવું હશે પરંતુ મારા માટે તે કોઈ નવી બાબત નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે "શું થયું તેની મને ચિંતા નથી. હું ફરીથી પાર્ટીને ઉભી કરીને તમને બતાવીશ".


શરદ પવારે શું કહ્યું?


શરદ પવારે કહ્યું કે બે દિવસ પહેલા દેશના વડાપ્રધાને કહ્યું હતું કે NCP પાર્ટી ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટી છે. આ પ્રસંગે તેમણે સિંચાઈ કૌભાંડ અને શિખર બેંકનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આજે કેબિનેટમાં તેમણે NCPના નેતાઓને શપથ લેવડાવ્યા હતા. મતલબ કે તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા નહોતા. તેમણે પક્ષ અને જેમની સામે આક્ષેપો કર્યા હતા તેમને નિર્દોષ જાહેર કર્યા છે. હું મોદીનો આભાર માનું છું.


હું જ પાર્ટી છું-શરદ પવાર


શરદ પવારે વધુમાં કહ્યું કે હવે બીજો પ્રશ્ન... અમારા કેટલાક સાથીઓએ પાર્ટીના સ્ટેન્ડથી અલગ સ્ટેન્ડ લીધું છે. ગઈ કાલે મેં 6 જુલાઈએ પાર્ટીના કેટલાક અગ્રણી લોકોની બેઠક બોલાવવાની વાત કરી હતી. આ બેઠકમાં સંગઠનાત્મક ફેરફાર અંગે વિચારી રહ્યા હતા પરંતુ તે પહેલા પાર્ટીના કેટલાક સાથીઓએ અલગ વલણ અપનાવ્યું હતું. અમે સ્ટેન્ડ લીધું છે કે અમે જ પક્ષ છીએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.