ભત્રીજા અજીતના બળવા પર શરદ પવારનો હુંકાર, 'આવા બળવા મેં પહેલા પણ જોયા છે, પાર્ટીને ફરી ઉભી કરીને બતાવીશ'


  • Published By :
  • Published Date : 2023-07-02 18:44:35

મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારે શિંદે-ફડણવીસ સરકારને ટેકો આપવાનો સંકલ્પ લેતાં આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે NCPના 9 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શરદ પવારનો પક્ષ છોડીને સરકારમાં સામેલ થવાના અજિત પવારના નિર્ણયને પવાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. શરદ પવારે આ સમગ્ર ઘટના પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પાર્ટીમાં બળવા અંગે પવારે કહ્યું કે અન્ય લોકો માટે તે નવું હશે પરંતુ મારા માટે તે કોઈ નવી બાબત નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે "શું થયું તેની મને ચિંતા નથી. હું ફરીથી પાર્ટીને ઉભી કરીને તમને બતાવીશ".


શરદ પવારે શું કહ્યું?


શરદ પવારે કહ્યું કે બે દિવસ પહેલા દેશના વડાપ્રધાને કહ્યું હતું કે NCP પાર્ટી ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટી છે. આ પ્રસંગે તેમણે સિંચાઈ કૌભાંડ અને શિખર બેંકનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આજે કેબિનેટમાં તેમણે NCPના નેતાઓને શપથ લેવડાવ્યા હતા. મતલબ કે તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા નહોતા. તેમણે પક્ષ અને જેમની સામે આક્ષેપો કર્યા હતા તેમને નિર્દોષ જાહેર કર્યા છે. હું મોદીનો આભાર માનું છું.


હું જ પાર્ટી છું-શરદ પવાર


શરદ પવારે વધુમાં કહ્યું કે હવે બીજો પ્રશ્ન... અમારા કેટલાક સાથીઓએ પાર્ટીના સ્ટેન્ડથી અલગ સ્ટેન્ડ લીધું છે. ગઈ કાલે મેં 6 જુલાઈએ પાર્ટીના કેટલાક અગ્રણી લોકોની બેઠક બોલાવવાની વાત કરી હતી. આ બેઠકમાં સંગઠનાત્મક ફેરફાર અંગે વિચારી રહ્યા હતા પરંતુ તે પહેલા પાર્ટીના કેટલાક સાથીઓએ અલગ વલણ અપનાવ્યું હતું. અમે સ્ટેન્ડ લીધું છે કે અમે જ પક્ષ છીએ.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.