NCP પ્રમુખ શરદ પવારના રાજીનામાના નિર્ણય મુદ્દે પ્રફુલ પટેલે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-03 20:24:22

શરદ પવારે NCP પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી ત્યારથી તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો શરદ પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન, એનસીપી પ્રમુખના પદ પર નિર્ણય લેવા માટે રચાયેલી પાર્ટીની સમિતિ પર, NCPના ઉપ પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું કે જો તે સમિતિની બેઠક બોલાવવાની જરૂર પડશે, તો અમે તમને આવતીકાલે જણાવીશું. તેમણે એમ પણ કહ્યું કે હું  NCP અધ્યક્ષ પદનો દાવેદાર નથી. NCP અધ્યક્ષ બનવામાં મને કોઈ રસ નથી.


પાર્ટીમાં કોઈ જુથવાદ નથી- પ્રફુલ પટેલ


પ્રફુલ પટેલને જ્યારે પુછવામાં આવ્યું કે શું પાર્ટીના આંતરિક રાજકારણના કારણે શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે? આ અંગે તેમણે જણાવ્યું કે પાર્ટી એકજુથ છે. પવાર સાહેબના સમર્થનમાં તમામ એક સાથે ઉભા છે. પાર્ટી એકજુથ જ રહેશે, હજુ સુધી કોઈ જુથ સામે આવ્યું નથી.


નવા અધ્યક્ષનો કોઈ સવાલ જ નથી


NCP ઉપાધ્યક્ષે કહ્યું કે જ્યાં સુધી શરદ પવારના રાજીનામા અંગે કોઈ આખરી નિર્ણય નથી આવી જતો ત્યા સુધી કોઈ બીજા અધ્યક્ષને લઈને કોઈ સવાલ જ નથી ઉઠતો. અંગત રીતે હું આ જવાબદારી માટે તૈયાર નથી. હું પહેલાથી જ પાર્ટીનો ઉપાધ્યક્ષ છું, આ ખુબ જ ગૌરવશાળી પદ છે. વળી મારા પર પહેલાથી જ ઘણી જવાબદારી છે. આ માટે મને પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવામાં કોઈ રસ નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.