NCP પ્રમુખ શરદ પવારના રાજીનામાના નિર્ણય મુદ્દે પ્રફુલ પટેલે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-03 20:24:22

શરદ પવારે NCP પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી ત્યારથી તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો શરદ પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન, એનસીપી પ્રમુખના પદ પર નિર્ણય લેવા માટે રચાયેલી પાર્ટીની સમિતિ પર, NCPના ઉપ પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું કે જો તે સમિતિની બેઠક બોલાવવાની જરૂર પડશે, તો અમે તમને આવતીકાલે જણાવીશું. તેમણે એમ પણ કહ્યું કે હું  NCP અધ્યક્ષ પદનો દાવેદાર નથી. NCP અધ્યક્ષ બનવામાં મને કોઈ રસ નથી.


પાર્ટીમાં કોઈ જુથવાદ નથી- પ્રફુલ પટેલ


પ્રફુલ પટેલને જ્યારે પુછવામાં આવ્યું કે શું પાર્ટીના આંતરિક રાજકારણના કારણે શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે? આ અંગે તેમણે જણાવ્યું કે પાર્ટી એકજુથ છે. પવાર સાહેબના સમર્થનમાં તમામ એક સાથે ઉભા છે. પાર્ટી એકજુથ જ રહેશે, હજુ સુધી કોઈ જુથ સામે આવ્યું નથી.


નવા અધ્યક્ષનો કોઈ સવાલ જ નથી


NCP ઉપાધ્યક્ષે કહ્યું કે જ્યાં સુધી શરદ પવારના રાજીનામા અંગે કોઈ આખરી નિર્ણય નથી આવી જતો ત્યા સુધી કોઈ બીજા અધ્યક્ષને લઈને કોઈ સવાલ જ નથી ઉઠતો. અંગત રીતે હું આ જવાબદારી માટે તૈયાર નથી. હું પહેલાથી જ પાર્ટીનો ઉપાધ્યક્ષ છું, આ ખુબ જ ગૌરવશાળી પદ છે. વળી મારા પર પહેલાથી જ ઘણી જવાબદારી છે. આ માટે મને પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવામાં કોઈ રસ નથી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.