NCPની કોર કમિટીએ શરદ પવારનું રાજીનામું ફગાવ્યું, પાર્ટી પ્રમુખ તરીકે યથાવત રહેવાની કરી વિનંતી


  • Published By :
  • Published Date : 2023-05-05 13:45:07

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  (NCP)ના પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું નામંજુર કરવામાં આવ્યું છે. મુંબઈમાં ચાલી રહેલી NCPની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. NCPની કોર કમિટીએ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ યથાવત રાખવાની વિનંતી કરતો પ્રસ્તાવ રજુ કર્યો છે.  NCP નેતા પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ મૂક્યો છે. NCPની કોર કમિટીની બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.


NCP ઉપાધ્યક્ષે આપી જાણકારી


NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર્ટીના નિર્ણય અંગે જાણકારી આપી હતી.તેમણે કહ્યું કે શરદ પવારે 2 મેના રોજ અચાનક જ તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. તેમના આ નિર્ણય અમને પણ આશ્ચર્ય થયું હતું. જો કે આ જે અમે આ મુદ્દે બેઠક યોજીને પવાર સાહેબને વિનંતી કરી હતી કે તે તેમનો કાર્યકાળ પૂરો કરે. 


સર્વસંમતિથી રાજીનામું નામંજૂર


પ્રફુલ્લ પટેલે કહ્યું કે પવાર સાહેબે અમને જાણ કર્યા વિના જ નિર્ણય લઈ લીધો હતો. પક્ષના કાર્યકરો અને નેતાઓની તમામ માંગણીઓને ધ્યાનમાં લઈને આજે અમે બેઠક યોજી હતી અને સમિતિએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. સમિતિ સર્વસંમતિથી આ રાજીનામું નામંજૂર કર્યું છે અને અમે તેમને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રહેવા અને તેમની ફરજો અને જવાબદારીઓ નિભાવવાની વિનંતી કરીએ છીએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.