શરદ પવાર NCP પ્રમુખ પદ પર રહેશે યથાવત, કોર કમિટીના પ્રસ્તાવ બાદ રાજીનામું પાછું ખેંચ્યું


  • Published By :
  • Published Date : 2023-05-05 19:36:10

રાજકારણના અઠંગ ખેલાડી મનાતા NCP નેતા શરદ પવારે આખરે તેમનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે આજે શુક્રવાર 5 મેના રોજ સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ અગાઉ  NCPના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી પાર્ટીની કોર કમિટીએ શરદ પવારના પક્ષ પ્રમુખ પદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો.


પત્રકાર પરિષદમાં શરદ પવારે શું કહ્યું?


શરદ પવારે રાજીનામું પાછું ખેંચવા મુદ્દે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે 'સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને આ તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને મેં NCP અધ્યક્ષ પદ છોડવાનો મારો નિર્ણય પાછો ખેંચ્યો છે. ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ. તેમણે વધુમાં કહ્યું કે રાજીનામા બાદ ઘણા NCP કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દુઃખી થયા હતા. મારા શુભચિંતકો અને કાર્યકરો અને પ્રિયજનોએ મને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. આ સાથે કાર્યકરોએ મને ફરીથી પ્રમુખ પદ પરત લેવા જણાવ્યું હતું. મારા તરફથી લોકોની ભાવનાઓનો અનાદર થઈ શકે નહીં. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ મને વિનંતી કરી હતી, જેમાં ઘણા રાષ્ટ્રીય પક્ષોના નેતાઓનો પણ સમાવેશ થાય છે.'


કમિટીએ  સર્વસંમતિથી રાજીનામું નામંજૂર કર્યું હતું 


આ જે સવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  (NCP)ની 18 સભ્યોની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NCP પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું નામંજુર કરવામાં આવ્યું હતું. મુંબઈમાં યોજાયેલી NCPની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. NCPની કોર કમિટીએ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ યથાવત રાખવાની વિનંતી કરતો પ્રસ્તાવ રજુ કર્યો હતો.  NCPના નેતા અને ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ મૂક્યો હતો. NCPની કોર કમિટીની બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર્ટીના નિર્ણય અંગે મીડિયાને જાણકારી આપી હતી.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.