શરદ પવાર NCP પ્રમુખ પદ પર રહેશે યથાવત, કોર કમિટીના પ્રસ્તાવ બાદ રાજીનામું પાછું ખેંચ્યું


  • Published By :
  • Published Date : 2023-05-05 19:36:10

રાજકારણના અઠંગ ખેલાડી મનાતા NCP નેતા શરદ પવારે આખરે તેમનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે આજે શુક્રવાર 5 મેના રોજ સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ અગાઉ  NCPના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી પાર્ટીની કોર કમિટીએ શરદ પવારના પક્ષ પ્રમુખ પદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો.


પત્રકાર પરિષદમાં શરદ પવારે શું કહ્યું?


શરદ પવારે રાજીનામું પાછું ખેંચવા મુદ્દે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે 'સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને આ તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને મેં NCP અધ્યક્ષ પદ છોડવાનો મારો નિર્ણય પાછો ખેંચ્યો છે. ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ. તેમણે વધુમાં કહ્યું કે રાજીનામા બાદ ઘણા NCP કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દુઃખી થયા હતા. મારા શુભચિંતકો અને કાર્યકરો અને પ્રિયજનોએ મને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. આ સાથે કાર્યકરોએ મને ફરીથી પ્રમુખ પદ પરત લેવા જણાવ્યું હતું. મારા તરફથી લોકોની ભાવનાઓનો અનાદર થઈ શકે નહીં. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ મને વિનંતી કરી હતી, જેમાં ઘણા રાષ્ટ્રીય પક્ષોના નેતાઓનો પણ સમાવેશ થાય છે.'


કમિટીએ  સર્વસંમતિથી રાજીનામું નામંજૂર કર્યું હતું 


આ જે સવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  (NCP)ની 18 સભ્યોની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NCP પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું નામંજુર કરવામાં આવ્યું હતું. મુંબઈમાં યોજાયેલી NCPની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. NCPની કોર કમિટીએ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ યથાવત રાખવાની વિનંતી કરતો પ્રસ્તાવ રજુ કર્યો હતો.  NCPના નેતા અને ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ મૂક્યો હતો. NCPની કોર કમિટીની બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર્ટીના નિર્ણય અંગે મીડિયાને જાણકારી આપી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.