75 વર્ષે શરદ યાદવે લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંંજલિ


  • Published By :
  • Published Date : 2023-01-13 11:20:24

જેડીયુના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન થયું છે. આ અંગેની માહિતી તેમની પુત્રીએ ટ્વિટ કરીને આપી હતી. 75 વર્ષે ગુરૂગ્રામની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. થોડા કલાકો બાદ તેમના નિધનના સમાચાર સામે આવ્યા. તેમના નિધનના સમાચાર આપતા તેમની પુત્રીએ લખ્યું કે પપ્પા નથી રહ્યા.


રાજકીય જગતમાં વ્યાપી શોકની લાગણી  

બિહારની રાજનીતિમાં શરદ યાદવ અલગ જ ઓળખ ઉભી કરી છે. નિતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ બંનેની સાથે રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ તબિયતને કારણે તેઓ રાજનીતિથી દુર થઈ ગયા હતા. તેમના નિધનના સમાચાર આવતા રાજનીતિ જગતમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. તેમના અંતિમ સંસ્કાર મધ્યપ્રદેશમાં કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર સામે આવતા અનેક દિગ્ગજ નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. 



અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે શરદ યાદવના નિધનના સમાચાર સાંભળી દુ:ખ થયું. લાંબા સમય સુધી તેઓ સાર્વજનિક જીવનમાં તેમણે પોતાને સાંસદ અને મંત્રીના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા.  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધનના સમાચાર સાંભળી ખુબ દુ:ખ થયું. શરદ યાદવ સાથે મારા ગહેરા સંબંધ હતા. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. તે ઉપરાંત લાલુ યાદવ, રાષ્ટ્રપતિ, બિહારના ઉપમુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓએ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.   




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.