75 વર્ષે શરદ યાદવે લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંંજલિ


  • Published By :
  • Published Date : 2023-01-13 11:20:24

જેડીયુના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન થયું છે. આ અંગેની માહિતી તેમની પુત્રીએ ટ્વિટ કરીને આપી હતી. 75 વર્ષે ગુરૂગ્રામની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. થોડા કલાકો બાદ તેમના નિધનના સમાચાર સામે આવ્યા. તેમના નિધનના સમાચાર આપતા તેમની પુત્રીએ લખ્યું કે પપ્પા નથી રહ્યા.


રાજકીય જગતમાં વ્યાપી શોકની લાગણી  

બિહારની રાજનીતિમાં શરદ યાદવ અલગ જ ઓળખ ઉભી કરી છે. નિતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ બંનેની સાથે રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ તબિયતને કારણે તેઓ રાજનીતિથી દુર થઈ ગયા હતા. તેમના નિધનના સમાચાર આવતા રાજનીતિ જગતમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. તેમના અંતિમ સંસ્કાર મધ્યપ્રદેશમાં કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર સામે આવતા અનેક દિગ્ગજ નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. 



અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે શરદ યાદવના નિધનના સમાચાર સાંભળી દુ:ખ થયું. લાંબા સમય સુધી તેઓ સાર્વજનિક જીવનમાં તેમણે પોતાને સાંસદ અને મંત્રીના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા.  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધનના સમાચાર સાંભળી ખુબ દુ:ખ થયું. શરદ યાદવ સાથે મારા ગહેરા સંબંધ હતા. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. તે ઉપરાંત લાલુ યાદવ, રાષ્ટ્રપતિ, બિહારના ઉપમુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓએ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.