અમેરિકામાં 2 બેંક ડૂબતા ભારતીય શેરબજાર ધરાશાયી, સેન્સેક્સ 897.28 અને 258.60 પોઈન્ટનો કડાકો


  • Published By :
  • Published Date : 2023-03-13 19:10:01

ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી, પરંતુ બપોર બાદ પાસા પલટાયા હતા. ભારે વેચવાલીના કારણે ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં નિફ્ટી અને સેન્સેક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ 897.28 પોઈન્ટના ઘટાડા સાથે 58,237.85 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 258.60 પોઈન્ટ ઘટીને 17154.30ની સપાટીએ પહોંચી ગયો હતો. આ સમયગાળા દરમિયાન ઇન્ડસઇન્ડના શેરમાં સૌથી વધુ લગભગ છ ટકાનો ઘટાડો નોંધાયો હતો.


અમેરિકાની બેંકો તુટતા રોકાણકારો નિરાશ


સિલિકોન વેલી બેંક (SVB) અને પછી સિગ્નેચર બેંકેના પતનના કારણે રોકાણકારોમાં હડકંપ મચી ગયો છે. રોકાણકારો અમેરિકન બેંકોની નાણાકીય સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. તેની અસર ભારતીય બેંકિંગ શેરો પર જોવા મળી છે. સોમવારે પ્રાઈવેટ અને સરકારી બંને બેંકોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. SVBના ડૂબવાની અસર યુરોપિયન શેરબજાર પર પણ જોવા મળી છે.


સરકારી અને પ્રાઈવેટ બેંકોના શેર તૂટ્યા


બજાર બંધ થતાં સમયે, તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સૌથી મોટો ઘટાડો નિફ્ટી બેન્કમાં 2.39 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્ક 2.56 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 2.91 ટકા અને નિફ્ટી મીડિયામાં 2.54 ટકા જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી ઓટોમાં 2.27 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 1.92 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.24 ટકા અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસમાં 1.74 ટકાનો ઘટાડો નોંધાયો હતો.


રોકાણકારોના લગભગ 7.3 લાખ ડૂબ્યા


છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરબજારના રોકાણકારોને લગભગ 7.3 લાખ કરોડનું નુકસાન થયું છે. આ દરમિયાન સેન્સેક્સ 2110 પોઈન્ટ સુધી તુટ્યો છે. માત્ર સોમવારે જ રોકાણકારોએ લગભગ 4 લાખ રૂપિયા ગુમાવ્યા છે. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 258.95 લાખ કરોડ થયું હતું. ગયા શુક્રવારે તે રૂ. 262.94 કરોડ હતું.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.