અમેરિકામાં 2 બેંક ડૂબતા ભારતીય શેરબજાર ધરાશાયી, સેન્સેક્સ 897.28 અને 258.60 પોઈન્ટનો કડાકો


  • Published By :
  • Published Date : 2023-03-13 19:10:01

ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી, પરંતુ બપોર બાદ પાસા પલટાયા હતા. ભારે વેચવાલીના કારણે ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં નિફ્ટી અને સેન્સેક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ 897.28 પોઈન્ટના ઘટાડા સાથે 58,237.85 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 258.60 પોઈન્ટ ઘટીને 17154.30ની સપાટીએ પહોંચી ગયો હતો. આ સમયગાળા દરમિયાન ઇન્ડસઇન્ડના શેરમાં સૌથી વધુ લગભગ છ ટકાનો ઘટાડો નોંધાયો હતો.


અમેરિકાની બેંકો તુટતા રોકાણકારો નિરાશ


સિલિકોન વેલી બેંક (SVB) અને પછી સિગ્નેચર બેંકેના પતનના કારણે રોકાણકારોમાં હડકંપ મચી ગયો છે. રોકાણકારો અમેરિકન બેંકોની નાણાકીય સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. તેની અસર ભારતીય બેંકિંગ શેરો પર જોવા મળી છે. સોમવારે પ્રાઈવેટ અને સરકારી બંને બેંકોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. SVBના ડૂબવાની અસર યુરોપિયન શેરબજાર પર પણ જોવા મળી છે.


સરકારી અને પ્રાઈવેટ બેંકોના શેર તૂટ્યા


બજાર બંધ થતાં સમયે, તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સૌથી મોટો ઘટાડો નિફ્ટી બેન્કમાં 2.39 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્ક 2.56 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 2.91 ટકા અને નિફ્ટી મીડિયામાં 2.54 ટકા જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી ઓટોમાં 2.27 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 1.92 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.24 ટકા અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસમાં 1.74 ટકાનો ઘટાડો નોંધાયો હતો.


રોકાણકારોના લગભગ 7.3 લાખ ડૂબ્યા


છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરબજારના રોકાણકારોને લગભગ 7.3 લાખ કરોડનું નુકસાન થયું છે. આ દરમિયાન સેન્સેક્સ 2110 પોઈન્ટ સુધી તુટ્યો છે. માત્ર સોમવારે જ રોકાણકારોએ લગભગ 4 લાખ રૂપિયા ગુમાવ્યા છે. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 258.95 લાખ કરોડ થયું હતું. ગયા શુક્રવારે તે રૂ. 262.94 કરોડ હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.