અમેરિકામાં 2 બેંક ડૂબતા ભારતીય શેરબજાર ધરાશાયી, સેન્સેક્સ 897.28 અને 258.60 પોઈન્ટનો કડાકો


  • Published By :
  • Published Date : 2023-03-13 19:10:01

ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી, પરંતુ બપોર બાદ પાસા પલટાયા હતા. ભારે વેચવાલીના કારણે ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં નિફ્ટી અને સેન્સેક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ 897.28 પોઈન્ટના ઘટાડા સાથે 58,237.85 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 258.60 પોઈન્ટ ઘટીને 17154.30ની સપાટીએ પહોંચી ગયો હતો. આ સમયગાળા દરમિયાન ઇન્ડસઇન્ડના શેરમાં સૌથી વધુ લગભગ છ ટકાનો ઘટાડો નોંધાયો હતો.


અમેરિકાની બેંકો તુટતા રોકાણકારો નિરાશ


સિલિકોન વેલી બેંક (SVB) અને પછી સિગ્નેચર બેંકેના પતનના કારણે રોકાણકારોમાં હડકંપ મચી ગયો છે. રોકાણકારો અમેરિકન બેંકોની નાણાકીય સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. તેની અસર ભારતીય બેંકિંગ શેરો પર જોવા મળી છે. સોમવારે પ્રાઈવેટ અને સરકારી બંને બેંકોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. SVBના ડૂબવાની અસર યુરોપિયન શેરબજાર પર પણ જોવા મળી છે.


સરકારી અને પ્રાઈવેટ બેંકોના શેર તૂટ્યા


બજાર બંધ થતાં સમયે, તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સૌથી મોટો ઘટાડો નિફ્ટી બેન્કમાં 2.39 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્ક 2.56 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 2.91 ટકા અને નિફ્ટી મીડિયામાં 2.54 ટકા જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી ઓટોમાં 2.27 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 1.92 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.24 ટકા અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસમાં 1.74 ટકાનો ઘટાડો નોંધાયો હતો.


રોકાણકારોના લગભગ 7.3 લાખ ડૂબ્યા


છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરબજારના રોકાણકારોને લગભગ 7.3 લાખ કરોડનું નુકસાન થયું છે. આ દરમિયાન સેન્સેક્સ 2110 પોઈન્ટ સુધી તુટ્યો છે. માત્ર સોમવારે જ રોકાણકારોએ લગભગ 4 લાખ રૂપિયા ગુમાવ્યા છે. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 258.95 લાખ કરોડ થયું હતું. ગયા શુક્રવારે તે રૂ. 262.94 કરોડ હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.