શત્રુઘ્ન સિંહાએ PMને માર્યો ટોણો, "મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીના સારા દિવસો પુરા થયા છે"


  • Published By :
  • Published Date : 2023-02-23 14:57:33

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપ સામે વિપક્ષો એકજુથ થવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે હજુ સુધી સંગઠીત થઈ શક્યા નથી. આ અંગે ટીએમસીના સાંસદ શત્રુઘ્ન સિંહાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે લાંબા સમયથી તે વાત સાંભળી રહ્યા છીએ કે આગામી નેતા કોણ હશે. જ્યારે નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે લોકો આવા જ સવાલો કરતા હતા જો કે આ બાબતો પાયાવગરની છે. મહત્વની બાબત એ છે કે કોને પ્રધાનમંત્રી બનવાથી રોકવાના છે, તે અંગે સ્પષ્ટતા હોવી જોઈએ.


 મમતા બેનર્જીની કરી પ્રશંસા


અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિંહાએ તેમની પાર્ટી ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમને એક કુશળ નેતા ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આગામી વર્ષે તે એક ગેમ ચેન્જર નેતા સાબિત થશે. 


PM મોદીને માર્યો ટોણો


શત્રુઘ્ન સિંહાએ બીજેપી નેતા અને પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે એવું લાગે છે કે મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીના સારા દિવસે પુરા થયા છે. તેમણે ભાજપ પર ટોણો માર્યો કે ભાજપ વન મેન શો અને ટૂ મેન આર્મી થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે શત્રુઘ્ન સિંહા ઘણા લાંબા સમય સુધી ભાજપા સાથે સંકળાયેલા રહ્યા હતા, તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે. જો કે ચાર વર્ષ પહેલા તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.