શત્રુઘ્ન સિંહાએ PMને માર્યો ટોણો, "મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીના સારા દિવસો પુરા થયા છે"


  • Published By :
  • Published Date : 2023-02-23 14:57:33

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપ સામે વિપક્ષો એકજુથ થવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે હજુ સુધી સંગઠીત થઈ શક્યા નથી. આ અંગે ટીએમસીના સાંસદ શત્રુઘ્ન સિંહાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે લાંબા સમયથી તે વાત સાંભળી રહ્યા છીએ કે આગામી નેતા કોણ હશે. જ્યારે નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે લોકો આવા જ સવાલો કરતા હતા જો કે આ બાબતો પાયાવગરની છે. મહત્વની બાબત એ છે કે કોને પ્રધાનમંત્રી બનવાથી રોકવાના છે, તે અંગે સ્પષ્ટતા હોવી જોઈએ.


 મમતા બેનર્જીની કરી પ્રશંસા


અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિંહાએ તેમની પાર્ટી ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમને એક કુશળ નેતા ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આગામી વર્ષે તે એક ગેમ ચેન્જર નેતા સાબિત થશે. 


PM મોદીને માર્યો ટોણો


શત્રુઘ્ન સિંહાએ બીજેપી નેતા અને પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે એવું લાગે છે કે મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીના સારા દિવસે પુરા થયા છે. તેમણે ભાજપ પર ટોણો માર્યો કે ભાજપ વન મેન શો અને ટૂ મેન આર્મી થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે શત્રુઘ્ન સિંહા ઘણા લાંબા સમય સુધી ભાજપા સાથે સંકળાયેલા રહ્યા હતા, તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે. જો કે ચાર વર્ષ પહેલા તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.