શત્રુઘ્ન સિંહાએ PMને માર્યો ટોણો, "મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીના સારા દિવસો પુરા થયા છે"


  • Published By :
  • Published Date : 2023-02-23 14:57:33

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપ સામે વિપક્ષો એકજુથ થવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે હજુ સુધી સંગઠીત થઈ શક્યા નથી. આ અંગે ટીએમસીના સાંસદ શત્રુઘ્ન સિંહાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે લાંબા સમયથી તે વાત સાંભળી રહ્યા છીએ કે આગામી નેતા કોણ હશે. જ્યારે નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે લોકો આવા જ સવાલો કરતા હતા જો કે આ બાબતો પાયાવગરની છે. મહત્વની બાબત એ છે કે કોને પ્રધાનમંત્રી બનવાથી રોકવાના છે, તે અંગે સ્પષ્ટતા હોવી જોઈએ.


 મમતા બેનર્જીની કરી પ્રશંસા


અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિંહાએ તેમની પાર્ટી ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમને એક કુશળ નેતા ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આગામી વર્ષે તે એક ગેમ ચેન્જર નેતા સાબિત થશે. 


PM મોદીને માર્યો ટોણો


શત્રુઘ્ન સિંહાએ બીજેપી નેતા અને પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે એવું લાગે છે કે મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીના સારા દિવસે પુરા થયા છે. તેમણે ભાજપ પર ટોણો માર્યો કે ભાજપ વન મેન શો અને ટૂ મેન આર્મી થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે શત્રુઘ્ન સિંહા ઘણા લાંબા સમય સુધી ભાજપા સાથે સંકળાયેલા રહ્યા હતા, તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે. જો કે ચાર વર્ષ પહેલા તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.