બાંગ્લાદેશની ચૂંટણીમાં સતત પાંચમીવાર જીતી શેખ હસીના, 223 સીટો પર થયો વિજય, અટકળોનો અંત


  • Published By :
  • Published Date : 2024-01-08 14:36:06

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી શેખ હસીનાને તેમના પાંચમા કાર્યકાળ માટે જીત મળી છે. આ પરિણામોના કારણે સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય સર્જાયું છે. નવેમ્બરની શરૂઆતમાં જ્યારે ઈલેક્શનની જાહેરાત થઈ હતી ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીએ  ચૂંટણીનો બહિષ્કારની ઘોષણા કરી હતી. આ જાહેરાત થઈ ત્યારથી જ શેખ હસિનાનું પીએમ બનવાનું નક્કી થઈ ગયું હતું. શેખ હસિનાની આવામી લીગ પાર્ટીને બે-તૃતિયાંશ બહુમતી મળી છે. જો કે ચૂંટણીની સૌથી રસપ્રદ બાબત એ છે કે શેખ હસિનાની પાર્ટી આવામી લીગ બાદ સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. તમામ મોટા રાજકીય પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર  કરતા અપક્ષ ઉમેદવારોની જીત આસાન બની ગઈ હતી. શેખ હસીનાની પાર્ટી આવામી લીગને 223 સીટો મળી છે જ્યારે અપક્ષ ઉમેદવારોને 63 સીટ જીતી છે.  


ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા


ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દેશની સંસદમાં મુખ્ય વિપક્ષ જાતીય પાર્ટી છે, જેને 300માંથી 11 સીટ પર જીત મળી છે, જીતનારા ઉમેદવારો પહેલા આવામી લીગમાં જ હતા બાદમા પાર્ટીએ તેમને બરખાસ્ત કરતા તેમણે જાતીય પાર્ટીની રચના કરી હતી. આ ઉમેદવારો પણ આવામી લીગના ડમી ઉમેદવારો મનાય છે. આ ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા રહી છે. દુનિયાને બતાવવા માટે આવામી લીગે આવા અનેક ડમી ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખ્યા હોવાનું કહેવામાં આવે છે. 


બાંગ્લાદેશ ચૂંટણી પર દુનિયાની નજર


બાંગ્લાદેશ ચૂંટણીમાં કોની જીત થાય છે તેને લઈ વિશ્વની અગ્રણી સત્તાઓ મેદાને હતી. ભારત,ચીન,રશિયા વર્તમાન વડાપ્રધાન આવામી લીગના સમર્થનમાં હતા. જો કે અમેરિકા, પાકિસ્તાન સહિતના કેટલાક અરબ દેશો મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ને ટેકો આપ્યો હતો. અમેરિકાએ વર્તનમાન પીએમ પર દેશમાં લોકશાહી અને માનવાઅધિકાર હનનનો આરોપ લગાવ્યો હતો. જો કે ભારત સહિતના અન્ય દેશોએ અમેરિકાને બાંગ્લાદેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવા કહ્યું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.