બાંગ્લાદેશની ચૂંટણીમાં સતત પાંચમીવાર જીતી શેખ હસીના, 223 સીટો પર થયો વિજય, અટકળોનો અંત


  • Published By :
  • Published Date : 2024-01-08 14:36:06

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી શેખ હસીનાને તેમના પાંચમા કાર્યકાળ માટે જીત મળી છે. આ પરિણામોના કારણે સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય સર્જાયું છે. નવેમ્બરની શરૂઆતમાં જ્યારે ઈલેક્શનની જાહેરાત થઈ હતી ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીએ  ચૂંટણીનો બહિષ્કારની ઘોષણા કરી હતી. આ જાહેરાત થઈ ત્યારથી જ શેખ હસિનાનું પીએમ બનવાનું નક્કી થઈ ગયું હતું. શેખ હસિનાની આવામી લીગ પાર્ટીને બે-તૃતિયાંશ બહુમતી મળી છે. જો કે ચૂંટણીની સૌથી રસપ્રદ બાબત એ છે કે શેખ હસિનાની પાર્ટી આવામી લીગ બાદ સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. તમામ મોટા રાજકીય પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર  કરતા અપક્ષ ઉમેદવારોની જીત આસાન બની ગઈ હતી. શેખ હસીનાની પાર્ટી આવામી લીગને 223 સીટો મળી છે જ્યારે અપક્ષ ઉમેદવારોને 63 સીટ જીતી છે.  


ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા


ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દેશની સંસદમાં મુખ્ય વિપક્ષ જાતીય પાર્ટી છે, જેને 300માંથી 11 સીટ પર જીત મળી છે, જીતનારા ઉમેદવારો પહેલા આવામી લીગમાં જ હતા બાદમા પાર્ટીએ તેમને બરખાસ્ત કરતા તેમણે જાતીય પાર્ટીની રચના કરી હતી. આ ઉમેદવારો પણ આવામી લીગના ડમી ઉમેદવારો મનાય છે. આ ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા રહી છે. દુનિયાને બતાવવા માટે આવામી લીગે આવા અનેક ડમી ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખ્યા હોવાનું કહેવામાં આવે છે. 


બાંગ્લાદેશ ચૂંટણી પર દુનિયાની નજર


બાંગ્લાદેશ ચૂંટણીમાં કોની જીત થાય છે તેને લઈ વિશ્વની અગ્રણી સત્તાઓ મેદાને હતી. ભારત,ચીન,રશિયા વર્તમાન વડાપ્રધાન આવામી લીગના સમર્થનમાં હતા. જો કે અમેરિકા, પાકિસ્તાન સહિતના કેટલાક અરબ દેશો મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ને ટેકો આપ્યો હતો. અમેરિકાએ વર્તનમાન પીએમ પર દેશમાં લોકશાહી અને માનવાઅધિકાર હનનનો આરોપ લગાવ્યો હતો. જો કે ભારત સહિતના અન્ય દેશોએ અમેરિકાને બાંગ્લાદેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવા કહ્યું હતું.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.