બાંગ્લાદેશની ચૂંટણીમાં સતત પાંચમીવાર જીતી શેખ હસીના, 223 સીટો પર થયો વિજય, અટકળોનો અંત


  • Published By :
  • Published Date : 2024-01-08 14:36:06

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી શેખ હસીનાને તેમના પાંચમા કાર્યકાળ માટે જીત મળી છે. આ પરિણામોના કારણે સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય સર્જાયું છે. નવેમ્બરની શરૂઆતમાં જ્યારે ઈલેક્શનની જાહેરાત થઈ હતી ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીએ  ચૂંટણીનો બહિષ્કારની ઘોષણા કરી હતી. આ જાહેરાત થઈ ત્યારથી જ શેખ હસિનાનું પીએમ બનવાનું નક્કી થઈ ગયું હતું. શેખ હસિનાની આવામી લીગ પાર્ટીને બે-તૃતિયાંશ બહુમતી મળી છે. જો કે ચૂંટણીની સૌથી રસપ્રદ બાબત એ છે કે શેખ હસિનાની પાર્ટી આવામી લીગ બાદ સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. તમામ મોટા રાજકીય પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર  કરતા અપક્ષ ઉમેદવારોની જીત આસાન બની ગઈ હતી. શેખ હસીનાની પાર્ટી આવામી લીગને 223 સીટો મળી છે જ્યારે અપક્ષ ઉમેદવારોને 63 સીટ જીતી છે.  


ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા


ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દેશની સંસદમાં મુખ્ય વિપક્ષ જાતીય પાર્ટી છે, જેને 300માંથી 11 સીટ પર જીત મળી છે, જીતનારા ઉમેદવારો પહેલા આવામી લીગમાં જ હતા બાદમા પાર્ટીએ તેમને બરખાસ્ત કરતા તેમણે જાતીય પાર્ટીની રચના કરી હતી. આ ઉમેદવારો પણ આવામી લીગના ડમી ઉમેદવારો મનાય છે. આ ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા રહી છે. દુનિયાને બતાવવા માટે આવામી લીગે આવા અનેક ડમી ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખ્યા હોવાનું કહેવામાં આવે છે. 


બાંગ્લાદેશ ચૂંટણી પર દુનિયાની નજર


બાંગ્લાદેશ ચૂંટણીમાં કોની જીત થાય છે તેને લઈ વિશ્વની અગ્રણી સત્તાઓ મેદાને હતી. ભારત,ચીન,રશિયા વર્તમાન વડાપ્રધાન આવામી લીગના સમર્થનમાં હતા. જો કે અમેરિકા, પાકિસ્તાન સહિતના કેટલાક અરબ દેશો મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ને ટેકો આપ્યો હતો. અમેરિકાએ વર્તનમાન પીએમ પર દેશમાં લોકશાહી અને માનવાઅધિકાર હનનનો આરોપ લગાવ્યો હતો. જો કે ભારત સહિતના અન્ય દેશોએ અમેરિકાને બાંગ્લાદેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવા કહ્યું હતું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી