Shikhar Dhawan:પુત્ર જોરાવરના જન્મદિવસે ભાવુક થયા શિખર ધવન, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી આ ઈમોશનલ પોસ્ટ


  • Published By :
  • Published Date : 2023-12-26 22:52:36

ભારતીય ટીમમાંથી બહાર રહેલો ઓપનર શિખર ધવન પણ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. ધવન અને તેની પત્ની આયેશા મુખર્જીના છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે આ મામલો કોર્ટમાં હતો ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. ધવન અને આયેશાએ ઓક્ટોબરમાં છૂટાછેડા લીધા હતા. આજે ધવનના પુત્ર જોરાવરનો જન્મદિવસ છે. પોતાના પુત્રના જન્મદિવસના અવસર પર ધવને ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે મેં મારા દીકરાને જોયાને એક વર્ષ થઈ ગયું છે અને હવે લગભગ 3 મહિનાથી દરેક જગ્યાએથી મને બ્લોક કરી દેવામાં આવ્યો છે. શિખર ધવનની આ પોસ્ટ વાંચી તેના ચાહકો પણ ભાવુક થઈ ગયા હતા.


ધવન અને આયેશાના થયા છે છૂટાછેડા


ધવન અને આયેશા મુખર્જીના છૂટાછેડા થઈ ગયા છે. આ વર્ષે 4 ઓક્ટોબરે દિલ્હીની ફેમિલી કોર્ટે ધવનને આયેશા મુખર્જીથી છૂટાછેડા મંજૂર કર્યા હતા. કોર્ટે સ્વીકાર્યું કે આયેશાએ શિખરને માનસિક ત્રાસ આપતી હતી. જોકે, કોર્ટે પુત્રની કસ્ટડી અંગે કોઈ નિર્ણય આપ્યો ન હતો. કોર્ટે કહ્યું હતું કે, ધવન તેના પુત્ર સાથે ભારત અને ઓસ્ટ્રેલિયામાં જરૂરી સમય વિતાવી શકે છે, અને તેની સાથે વીડિયો કોલ પર વાત કરી શકે છે. પણ છેલ્લા એક વર્ષથી ધવને પોતાના દીકરાને જોયો નથી અને શિખર ધવનને શોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે જેના કારણે ધવન એક વર્ષથી એકના એક દીકરાને જોઈ શક્યો નથી...


ઈમોશનલ પોસ્ટમાં શિખર ધવને લખ્યું છે કે


'मुझे आखिरी बार तुम्हें देखे हुए अब एक साल हो चुका है। अब लगभग तीन महीने से मुझे हर जगह से ब्लॉक कर दिया गया है, इसलिए तुम्हारे जन्मदिन के खास मौके पर, वही पुरानी तस्वीर पोस्ट करके तुम्हें कहना चाहता हूं... मेरे बेटे तुम्हें जन्मदिन की हार्दिक शुभकामनाएं। भले ही सीधे जुड़ न पाऊं पर मैं टेलीपैथी से तुम्हारे साथ हमेशा जुड़ा रहता हूं। मुझे तुम पर बेहद गर्व है, और मुझे पता है कि तुम बहुत अच्छा कर रहे हो और बढ़िया इंसान बन रहे हो। पापा तुम्हें हमेशा याद करते हैं और तुमसे बहुत प्यार करते हैं। અને બીજું ઘણું બધુ લખ્યું હતું.


2012માં આયેશા સાથે થયા હતા લગ્ન


ધવને વર્ષ 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન નાગરિક આયેશાનો જન્મ ભારતમાં થયો હતો. તેના પિતા ભારતીય છે અને માતા બ્રિટિશ મૂળની છે. શિખર કરતાં 10 વર્ષ મોટી આયેશા કિક બોક્સર છે અને તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે. આયેશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા. આ લગ્ન પછી આયેશાને બે દીકરીઓ આલિયા અને રિયા હતી. શિખરે આયેશાની દીકરીઓને દત્તક લીધી હતી. ધવનનો પરિવાર આયેશા સાથેના લગ્નની વિરુદ્ધ હતો. તે ઈચ્છતો ન હતો કે તે છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે જે તેના કરતા 10 વર્ષ મોટી હતી અને તેને બે દીકરીઓ હતી. જોકે બાદમાં પરિવારે આ સંબંધને મંજૂરી આપી હતી. 2012માં શીખ પરંપરાથી લગ્ન કર્યા હતા. શિખરના લગ્નમાં વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરોએ ઉપસ્થિત રહ્યા હતા.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.