Shikhar Dhawan:પુત્ર જોરાવરના જન્મદિવસે ભાવુક થયા શિખર ધવન, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી આ ઈમોશનલ પોસ્ટ


  • Published By :
  • Published Date : 2023-12-26 22:52:36

ભારતીય ટીમમાંથી બહાર રહેલો ઓપનર શિખર ધવન પણ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. ધવન અને તેની પત્ની આયેશા મુખર્જીના છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે આ મામલો કોર્ટમાં હતો ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. ધવન અને આયેશાએ ઓક્ટોબરમાં છૂટાછેડા લીધા હતા. આજે ધવનના પુત્ર જોરાવરનો જન્મદિવસ છે. પોતાના પુત્રના જન્મદિવસના અવસર પર ધવને ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે મેં મારા દીકરાને જોયાને એક વર્ષ થઈ ગયું છે અને હવે લગભગ 3 મહિનાથી દરેક જગ્યાએથી મને બ્લોક કરી દેવામાં આવ્યો છે. શિખર ધવનની આ પોસ્ટ વાંચી તેના ચાહકો પણ ભાવુક થઈ ગયા હતા.


ધવન અને આયેશાના થયા છે છૂટાછેડા


ધવન અને આયેશા મુખર્જીના છૂટાછેડા થઈ ગયા છે. આ વર્ષે 4 ઓક્ટોબરે દિલ્હીની ફેમિલી કોર્ટે ધવનને આયેશા મુખર્જીથી છૂટાછેડા મંજૂર કર્યા હતા. કોર્ટે સ્વીકાર્યું કે આયેશાએ શિખરને માનસિક ત્રાસ આપતી હતી. જોકે, કોર્ટે પુત્રની કસ્ટડી અંગે કોઈ નિર્ણય આપ્યો ન હતો. કોર્ટે કહ્યું હતું કે, ધવન તેના પુત્ર સાથે ભારત અને ઓસ્ટ્રેલિયામાં જરૂરી સમય વિતાવી શકે છે, અને તેની સાથે વીડિયો કોલ પર વાત કરી શકે છે. પણ છેલ્લા એક વર્ષથી ધવને પોતાના દીકરાને જોયો નથી અને શિખર ધવનને શોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે જેના કારણે ધવન એક વર્ષથી એકના એક દીકરાને જોઈ શક્યો નથી...


ઈમોશનલ પોસ્ટમાં શિખર ધવને લખ્યું છે કે


'मुझे आखिरी बार तुम्हें देखे हुए अब एक साल हो चुका है। अब लगभग तीन महीने से मुझे हर जगह से ब्लॉक कर दिया गया है, इसलिए तुम्हारे जन्मदिन के खास मौके पर, वही पुरानी तस्वीर पोस्ट करके तुम्हें कहना चाहता हूं... मेरे बेटे तुम्हें जन्मदिन की हार्दिक शुभकामनाएं। भले ही सीधे जुड़ न पाऊं पर मैं टेलीपैथी से तुम्हारे साथ हमेशा जुड़ा रहता हूं। मुझे तुम पर बेहद गर्व है, और मुझे पता है कि तुम बहुत अच्छा कर रहे हो और बढ़िया इंसान बन रहे हो। पापा तुम्हें हमेशा याद करते हैं और तुमसे बहुत प्यार करते हैं। અને બીજું ઘણું બધુ લખ્યું હતું.


2012માં આયેશા સાથે થયા હતા લગ્ન


ધવને વર્ષ 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન નાગરિક આયેશાનો જન્મ ભારતમાં થયો હતો. તેના પિતા ભારતીય છે અને માતા બ્રિટિશ મૂળની છે. શિખર કરતાં 10 વર્ષ મોટી આયેશા કિક બોક્સર છે અને તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે. આયેશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા. આ લગ્ન પછી આયેશાને બે દીકરીઓ આલિયા અને રિયા હતી. શિખરે આયેશાની દીકરીઓને દત્તક લીધી હતી. ધવનનો પરિવાર આયેશા સાથેના લગ્નની વિરુદ્ધ હતો. તે ઈચ્છતો ન હતો કે તે છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે જે તેના કરતા 10 વર્ષ મોટી હતી અને તેને બે દીકરીઓ હતી. જોકે બાદમાં પરિવારે આ સંબંધને મંજૂરી આપી હતી. 2012માં શીખ પરંપરાથી લગ્ન કર્યા હતા. શિખરના લગ્નમાં વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરોએ ઉપસ્થિત રહ્યા હતા.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.