બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરમાં ચોરી, પોલીસે બે લોકોની અટકાયત કરી


  • Published By :
  • Published Date : 2023-06-15 22:33:53

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના મુંબઈમાં જુહુ સ્થિત ઘરમાં ચોરી થઈ છે. ચોરીની ઘટના આ ઘટના બાદ મુંબઈ પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના એક સપ્તાહ જૂની છે. પોલીસને આજે ગુરુવાર, 15 જૂનના રોજ મીડિયા એજન્સીને જાણ કરી હતી કે ગયા અઠવાડિયે અભિનેત્રીના ઘરમાંથી કથિત રીતે કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે શિલ્પા શેટ્ટી હાલમાં મુંબઈમાં નથી. તે પરિવાર સાથે ઈટાલીમાં રજાઓ માણી રહી છે.


બે લોકોની અટકાયત બાદ કરી પૂછપરછ

 

શિલ્પાના 'કિનારા' બંગલાના હાઉસકીપિંગ મેનેજરે ચોરીની ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જુહુ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી. અભિનેત્રીના ઘરે ઘરફોડ ચોરી થઈ અને તેમાં કેટલીક કિંમતી વસ્તુઓ ગુમ થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બે લોકોની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી હતી. 



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.