બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરમાં ચોરી, પોલીસે બે લોકોની અટકાયત કરી


  • Published By :
  • Published Date : 2023-06-15 22:33:53

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના મુંબઈમાં જુહુ સ્થિત ઘરમાં ચોરી થઈ છે. ચોરીની ઘટના આ ઘટના બાદ મુંબઈ પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના એક સપ્તાહ જૂની છે. પોલીસને આજે ગુરુવાર, 15 જૂનના રોજ મીડિયા એજન્સીને જાણ કરી હતી કે ગયા અઠવાડિયે અભિનેત્રીના ઘરમાંથી કથિત રીતે કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે શિલ્પા શેટ્ટી હાલમાં મુંબઈમાં નથી. તે પરિવાર સાથે ઈટાલીમાં રજાઓ માણી રહી છે.


બે લોકોની અટકાયત બાદ કરી પૂછપરછ

 

શિલ્પાના 'કિનારા' બંગલાના હાઉસકીપિંગ મેનેજરે ચોરીની ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જુહુ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી. અભિનેત્રીના ઘરે ઘરફોડ ચોરી થઈ અને તેમાં કેટલીક કિંમતી વસ્તુઓ ગુમ થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બે લોકોની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી હતી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી