બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરમાં ચોરી, પોલીસે બે લોકોની અટકાયત કરી


  • Published By :
  • Published Date : 2023-06-15 22:33:53

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના મુંબઈમાં જુહુ સ્થિત ઘરમાં ચોરી થઈ છે. ચોરીની ઘટના આ ઘટના બાદ મુંબઈ પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના એક સપ્તાહ જૂની છે. પોલીસને આજે ગુરુવાર, 15 જૂનના રોજ મીડિયા એજન્સીને જાણ કરી હતી કે ગયા અઠવાડિયે અભિનેત્રીના ઘરમાંથી કથિત રીતે કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે શિલ્પા શેટ્ટી હાલમાં મુંબઈમાં નથી. તે પરિવાર સાથે ઈટાલીમાં રજાઓ માણી રહી છે.


બે લોકોની અટકાયત બાદ કરી પૂછપરછ

 

શિલ્પાના 'કિનારા' બંગલાના હાઉસકીપિંગ મેનેજરે ચોરીની ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જુહુ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી. અભિનેત્રીના ઘરે ઘરફોડ ચોરી થઈ અને તેમાં કેટલીક કિંમતી વસ્તુઓ ગુમ થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બે લોકોની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.