શિન્ઝો આબેનું રાજકીય અંતિમ સંસ્કાર.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:11:13

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું આજે રાજકીય સન્માન સાથે સ્ટેટ ફ્યુનરલ ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. અહી ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી સહિતના 700થી વધુ નેતાઓએ તેમને  શ્રદ્ધાંજલિ આપી હતી . શિન્ઝો આબેને 19 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. આબેની 8 જુલાઈએ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ પછી 15 જુલાઈએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યૂ હતું. ભારતના વડાપ્રધાન મોદી સહિતના 217 જેટલા દેશના પ્રતિનિધિઑ ગઈકાલ રાતે એટલે 26 સપ્ટેમ્બર જાપાન પોહચી ગયા હતા .

 

8 જુલાઇએ થઈ હતી હત્યા.

 આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. પછી 15 જુલાઈના રોજ પરિવારની હાજરીમાં શિન્ઝોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે આજે કરવામાં આવેલ સ્ટેટ ફ્યૂનરલ પ્રતીકાત્મક છે.

 

કોને આપી શ્રદ્ધાંજલિ ?

નેતાઓ તથા જાપાનના શાહી પરિવારએ આબેને શ્રદ્ધાંજલિ આપી હતી. કુડાન્ઝાકા પાર્ક ખાતે સામાન્ય લોકો પણ આબેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શિન્ઝો આબેના અવશેષોના વિદાય સાથે સ્ટેટ ફ્યૂનરલ સેરેમનીનું સમાપન થયું હતુ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.