ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, શિવસેના નામ અને મૂળ ચૂંટણી પ્રતીક ગુમાવ્યું


  • Published By :
  • Published Date : 2023-02-17 20:47:19

શિવસેનાના નામ અને પાર્ટીના પ્રતીક પરના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે તંગદીલી ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે, ચૂંટણી પંચે મોટો નિર્ણય લેતા શિવસેનાનું નામ અને પક્ષનું ચિહ્ન ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લીધું છે. ચૂંટણી પંચે પક્ષનું નામ અને શિવસેનાનું પ્રતીક 'ધનુષ્ય-બાણ' એકનાથ શિંદે જૂથને સોંપી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે બંને જૂથો શિવસેનાના નામ અને ધનુષ અને તીરના મૂળ ચૂંટણી પ્રતીક પર દાવો કરી રહ્યા છે.


ઉધ્ધવ ઠાકરેને મોટો ઝટકો


કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેના પાર્ટીનું નામ અને ધનુષ્ય અને બાળનું પ્રતિક એકનાથ શિંદે જુથને સોંપી દેતા ઉધ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. બાળ ઠાકરેએ સ્થાપેલી શિવસેના પાર્ટીના નામ અને પ્રતિક પરથી હવે ઠાકરે પરિવારનો કોઈ હક રહેશે નહીં. મહારાષ્ટ્રની રાજનિતીમાં ઉધ્ધવ ઠાકરેની રાજનિતીના વળતા પાણી કહીં શકાય.


બંને જુથને મળ્યા હતા બે અલગ પ્રતિક


શિવસેનાના નામ અને ધનુષ અને તીરના મૂળ ચૂંટણી પ્રતીક પર દાવો કરી રહ્યા હતા. તેથી આ સમગ્ર મામલો ચૂંટણી પંચમાં પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં યોજાયેલી પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા બંને જૂથોને બે અલગ અલગ પ્રતિક ફાળવવામાં આવ્યા હતા. જેમાં શિંદે જૂથને બે તલવાર અને એક ઢાલ, ઉદ્ધવ જૂથને મશાલનું પ્રતિક આપવામાં આવ્યું હતું.


ઠાકરે જૂથે કર્યો વિરોધ


ચૂંટણી પંચના આ નિર્ણય બાદ શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સાંસદ સંજય રાઉતે ટ્વીટ કર્યું કે તેની સ્ક્રિપ્ટ તૈયાર હતી. દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો છે. જોકે એવું કહેવામાં આવ્યું હતું કે પરિણામ અમારી તરફેણમાં આવશે. પરંતુ હવે એક ચમત્કાર થયો છે. લડતા રહો, સંજય રાઉતે કહ્યું કે ઉપરથી નીચે સુધી પાણીની જેમ કરોડો રૂપિયા વહાવી દેવામાં આવ્યા છે. અમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જનતા અમારી સાથે છે. પરંતુ અમે લોકોના દરબારમાં નવું પ્રતીક લઈને જઈશું અને શિવસેનાને  ફરી  ઉભી કરીને બતાવીશું, આ લોકશાહીની હત્યા છે. અમે કાયદાની લડાઈ પણ લડીશું. ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપનું એજન્ટ છે. ભાજપ માટે કામ કરે છે. હવે દેશની જનતાનો વિશ્વાસ જાગ્યો છે.


CM શિંદેએ નિર્ણયને આવકાર્યો


ચૂંટણી પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આ લોકશાહીની જીત છે. લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. આ સત્યની જીત છે. આ બાળાસાહેબના વિચારોની જીત છે. એકનાથ શિંદેએ કહ્યું કે આ લાખો કાર્યકરોની જીત છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.