ચૂંટણી પંચના નિર્ણય સામે ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, કાલે સુનાવણી થશે


  • Published By :
  • Published Date : 2023-02-20 20:12:36

ચૂંટણી પંચના નિર્ણય બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ સાથેની બેઠક બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાસેથી બધું જ છીનવી લેવામાં આવ્યું છે. અમારી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લેવામાં આવ્યું છે, પરંતુ ઠાકરે નામ છીનવી શકતા નથી. ચૂંટણી પંચના નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, આવતીકાલથી સુનાવણી શરૂ થશે.


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમમાં કરી અરજી


ઉદ્ધવ ઠાકરેના જૂથે સોમવારે (20 ફેબ્રુઆરી, 2023) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ 'શિવસેના' અને ચૂંટણી પ્રતીક ધનુષ અને તીર ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.


ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું કે ચૂંટણી પંચે અમારી દલીલોને સંપૂર્ણપણે અવગણી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યું છે. ECI દ્વારા આ મુદ્દા પર નિર્ણય લેવા માટે ખોટા માપદંડો અપનાવવામાં આવ્યા છે. જોકે, આ મામલે ક્યારે સુનાવણી થશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી.


એકનાથ શિંદે જુથે કરી કેવિયેટ


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તો વિરોધી એકનાથ શિંદે જુથે પણ પણ એક કેવિયેટ દાખલ કરી દીધી છે.  આ કેવિયેટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો ચૂંટણી પંચના નિર્ણયને ઉધ્ધવ જુથ પડકારે છે તો કોર્ટ તેમના વલણને પણ સાંભળે અને કોઈ એકપક્ષીય ચુકાદો ન આપે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.