ચૂંટણી પંચના નિર્ણય સામે ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, કાલે સુનાવણી થશે


  • Published By :
  • Published Date : 2023-02-20 20:12:36

ચૂંટણી પંચના નિર્ણય બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ સાથેની બેઠક બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાસેથી બધું જ છીનવી લેવામાં આવ્યું છે. અમારી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લેવામાં આવ્યું છે, પરંતુ ઠાકરે નામ છીનવી શકતા નથી. ચૂંટણી પંચના નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, આવતીકાલથી સુનાવણી શરૂ થશે.


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમમાં કરી અરજી


ઉદ્ધવ ઠાકરેના જૂથે સોમવારે (20 ફેબ્રુઆરી, 2023) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ 'શિવસેના' અને ચૂંટણી પ્રતીક ધનુષ અને તીર ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.


ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું કે ચૂંટણી પંચે અમારી દલીલોને સંપૂર્ણપણે અવગણી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યું છે. ECI દ્વારા આ મુદ્દા પર નિર્ણય લેવા માટે ખોટા માપદંડો અપનાવવામાં આવ્યા છે. જોકે, આ મામલે ક્યારે સુનાવણી થશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી.


એકનાથ શિંદે જુથે કરી કેવિયેટ


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તો વિરોધી એકનાથ શિંદે જુથે પણ પણ એક કેવિયેટ દાખલ કરી દીધી છે.  આ કેવિયેટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો ચૂંટણી પંચના નિર્ણયને ઉધ્ધવ જુથ પડકારે છે તો કોર્ટ તેમના વલણને પણ સાંભળે અને કોઈ એકપક્ષીય ચુકાદો ન આપે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.