ચૂંટણી પંચના નિર્ણય સામે ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, કાલે સુનાવણી થશે


  • Published By :
  • Published Date : 2023-02-20 20:12:36

ચૂંટણી પંચના નિર્ણય બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ સાથેની બેઠક બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાસેથી બધું જ છીનવી લેવામાં આવ્યું છે. અમારી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લેવામાં આવ્યું છે, પરંતુ ઠાકરે નામ છીનવી શકતા નથી. ચૂંટણી પંચના નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, આવતીકાલથી સુનાવણી શરૂ થશે.


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમમાં કરી અરજી


ઉદ્ધવ ઠાકરેના જૂથે સોમવારે (20 ફેબ્રુઆરી, 2023) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ 'શિવસેના' અને ચૂંટણી પ્રતીક ધનુષ અને તીર ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.


ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું કે ચૂંટણી પંચે અમારી દલીલોને સંપૂર્ણપણે અવગણી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યું છે. ECI દ્વારા આ મુદ્દા પર નિર્ણય લેવા માટે ખોટા માપદંડો અપનાવવામાં આવ્યા છે. જોકે, આ મામલે ક્યારે સુનાવણી થશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી.


એકનાથ શિંદે જુથે કરી કેવિયેટ


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તો વિરોધી એકનાથ શિંદે જુથે પણ પણ એક કેવિયેટ દાખલ કરી દીધી છે.  આ કેવિયેટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો ચૂંટણી પંચના નિર્ણયને ઉધ્ધવ જુથ પડકારે છે તો કોર્ટ તેમના વલણને પણ સાંભળે અને કોઈ એકપક્ષીય ચુકાદો ન આપે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.