મહારાષ્ટ્રમાં શિંદે સરકારને મોટી રાહત, CJIએ કહ્યું ધારાસભ્યોની અયોગ્યતા અંગે સુપ્રીમ કોર્ટ ન લઈ શકે નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-11 14:28:38

શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગુરૂવારે 11 મેના રોજ ચુકાદો સંભળાવ્યો છે.એકનાથ શિંદે અને 15 અન્ય ધારાસભ્યોને જુન 2022માં તત્કાલિન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સામે બળવો કરવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે કે નહીં તે મામલે સુપ્રીમ કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે. કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રનો આ કેસ મોટી બેંચ પાસે જશે. સુપ્રીમ કોર્ટની બંધારણ બેંચે મહારાષ્ટ્રના રાજકીય સંક્ટનો કેસ 7 જજોની મોટી બેંચને સોંપી દીધો છે. વર્ષ 2022ના મહારાષ્ટ્ર રાજનિતી સંકટને લઈ શિવસેનાના ઉધ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જુથ દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે.


ઠાકરે જુથને મોટો ઝટકો


CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટીસ હિમા કોહલી, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મોરારીએ કહ્યું કે સ્પિકરે અસલી વ્હીપની તપાસ કરી નહોંતી. કોર્ટે કહ્યું કે સ્પિકરે માત્ર રાજકીય દળો દ્વારા નિયુક્ત વ્હિપને જ માન્યતા આપવી જોઈતી હતી.કોર્ટે કહ્યું કે સ્પિકરને બંને જુથ બન્યા અંગે જાણકારી હતી. બેંચે કહ્યું કે શિંદે જુથના ગોગાવલેને ચીફ વ્હીપ માનવાનો નિર્ણય ખોટો હતો. મહારાષ્ટ્રમાં વ્હિપને પાર્ટીથી અલગ કરી દીધા. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે અયોગ્યતા અંગે નિર્ણય લેશે નહીં. સ્પીકરને આ મામલે ઝડપથી નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે પક્ષમાં ભાગલા અયોગ્યતાની કાર્યવાહીથી બચવાનો આધાર બની શકે નહીં. ઉદ્ધવને મુખ્ય મંત્રી તરીકે ફરીથી સ્થાપિત કરી શકતા નથી.  


રાજ્યપાલ માત્ર બંધારણને વફાદાર રહે: સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે રાજ્યપાલે એવું ન કરવું જોઈએ જે તેમને બંધારણે આપ્યું નથી. જો સરકાર અને સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા સ્થગિત કરવાનો પ્રયાસ કરશે તો રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે. પરંતુ આ મામલે ધારાસભ્યોએ રાજ્યપાલને લખેલા પત્રમાં એવું નથી કહ્યું કે તેઓ એમવીએ સરકારને હટાવવા માંગે છે. માત્ર પોતાની પાર્ટીના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે કોઈપણ પક્ષમાં અસંતોષ ફ્લોર ટેસ્ટનો આધાર ન હોવો જોઈએ. રાજ્યપાલને જે પણ દરખાસ્તો મળી હતી તે સ્પષ્ટ નથી. અસંતુષ્ટ ધારાસભ્યો નવી પાર્ટી બનાવી રહ્યા છે કે ક્યાંક વિલીનીકરણ કરી રહ્યા છે તે જાણી શકાયું નથી. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.