મહારાષ્ટ્રમાં શિંદે સરકારને મોટી રાહત, CJIએ કહ્યું ધારાસભ્યોની અયોગ્યતા અંગે સુપ્રીમ કોર્ટ ન લઈ શકે નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-11 14:28:38

શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગુરૂવારે 11 મેના રોજ ચુકાદો સંભળાવ્યો છે.એકનાથ શિંદે અને 15 અન્ય ધારાસભ્યોને જુન 2022માં તત્કાલિન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સામે બળવો કરવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે કે નહીં તે મામલે સુપ્રીમ કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે. કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રનો આ કેસ મોટી બેંચ પાસે જશે. સુપ્રીમ કોર્ટની બંધારણ બેંચે મહારાષ્ટ્રના રાજકીય સંક્ટનો કેસ 7 જજોની મોટી બેંચને સોંપી દીધો છે. વર્ષ 2022ના મહારાષ્ટ્ર રાજનિતી સંકટને લઈ શિવસેનાના ઉધ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જુથ દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે.


ઠાકરે જુથને મોટો ઝટકો


CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટીસ હિમા કોહલી, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મોરારીએ કહ્યું કે સ્પિકરે અસલી વ્હીપની તપાસ કરી નહોંતી. કોર્ટે કહ્યું કે સ્પિકરે માત્ર રાજકીય દળો દ્વારા નિયુક્ત વ્હિપને જ માન્યતા આપવી જોઈતી હતી.કોર્ટે કહ્યું કે સ્પિકરને બંને જુથ બન્યા અંગે જાણકારી હતી. બેંચે કહ્યું કે શિંદે જુથના ગોગાવલેને ચીફ વ્હીપ માનવાનો નિર્ણય ખોટો હતો. મહારાષ્ટ્રમાં વ્હિપને પાર્ટીથી અલગ કરી દીધા. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે અયોગ્યતા અંગે નિર્ણય લેશે નહીં. સ્પીકરને આ મામલે ઝડપથી નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે પક્ષમાં ભાગલા અયોગ્યતાની કાર્યવાહીથી બચવાનો આધાર બની શકે નહીં. ઉદ્ધવને મુખ્ય મંત્રી તરીકે ફરીથી સ્થાપિત કરી શકતા નથી.  


રાજ્યપાલ માત્ર બંધારણને વફાદાર રહે: સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે રાજ્યપાલે એવું ન કરવું જોઈએ જે તેમને બંધારણે આપ્યું નથી. જો સરકાર અને સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા સ્થગિત કરવાનો પ્રયાસ કરશે તો રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે. પરંતુ આ મામલે ધારાસભ્યોએ રાજ્યપાલને લખેલા પત્રમાં એવું નથી કહ્યું કે તેઓ એમવીએ સરકારને હટાવવા માંગે છે. માત્ર પોતાની પાર્ટીના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે કોઈપણ પક્ષમાં અસંતોષ ફ્લોર ટેસ્ટનો આધાર ન હોવો જોઈએ. રાજ્યપાલને જે પણ દરખાસ્તો મળી હતી તે સ્પષ્ટ નથી. અસંતુષ્ટ ધારાસભ્યો નવી પાર્ટી બનાવી રહ્યા છે કે ક્યાંક વિલીનીકરણ કરી રહ્યા છે તે જાણી શકાયું નથી. 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.