મહારાષ્ટ્રમાં શિંદે સરકારને મોટી રાહત, CJIએ કહ્યું ધારાસભ્યોની અયોગ્યતા અંગે સુપ્રીમ કોર્ટ ન લઈ શકે નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-11 14:28:38

શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગુરૂવારે 11 મેના રોજ ચુકાદો સંભળાવ્યો છે.એકનાથ શિંદે અને 15 અન્ય ધારાસભ્યોને જુન 2022માં તત્કાલિન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સામે બળવો કરવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે કે નહીં તે મામલે સુપ્રીમ કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે. કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રનો આ કેસ મોટી બેંચ પાસે જશે. સુપ્રીમ કોર્ટની બંધારણ બેંચે મહારાષ્ટ્રના રાજકીય સંક્ટનો કેસ 7 જજોની મોટી બેંચને સોંપી દીધો છે. વર્ષ 2022ના મહારાષ્ટ્ર રાજનિતી સંકટને લઈ શિવસેનાના ઉધ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જુથ દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે.


ઠાકરે જુથને મોટો ઝટકો


CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટીસ હિમા કોહલી, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મોરારીએ કહ્યું કે સ્પિકરે અસલી વ્હીપની તપાસ કરી નહોંતી. કોર્ટે કહ્યું કે સ્પિકરે માત્ર રાજકીય દળો દ્વારા નિયુક્ત વ્હિપને જ માન્યતા આપવી જોઈતી હતી.કોર્ટે કહ્યું કે સ્પિકરને બંને જુથ બન્યા અંગે જાણકારી હતી. બેંચે કહ્યું કે શિંદે જુથના ગોગાવલેને ચીફ વ્હીપ માનવાનો નિર્ણય ખોટો હતો. મહારાષ્ટ્રમાં વ્હિપને પાર્ટીથી અલગ કરી દીધા. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે અયોગ્યતા અંગે નિર્ણય લેશે નહીં. સ્પીકરને આ મામલે ઝડપથી નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે પક્ષમાં ભાગલા અયોગ્યતાની કાર્યવાહીથી બચવાનો આધાર બની શકે નહીં. ઉદ્ધવને મુખ્ય મંત્રી તરીકે ફરીથી સ્થાપિત કરી શકતા નથી.  


રાજ્યપાલ માત્ર બંધારણને વફાદાર રહે: સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે રાજ્યપાલે એવું ન કરવું જોઈએ જે તેમને બંધારણે આપ્યું નથી. જો સરકાર અને સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા સ્થગિત કરવાનો પ્રયાસ કરશે તો રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે. પરંતુ આ મામલે ધારાસભ્યોએ રાજ્યપાલને લખેલા પત્રમાં એવું નથી કહ્યું કે તેઓ એમવીએ સરકારને હટાવવા માંગે છે. માત્ર પોતાની પાર્ટીના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે કોઈપણ પક્ષમાં અસંતોષ ફ્લોર ટેસ્ટનો આધાર ન હોવો જોઈએ. રાજ્યપાલને જે પણ દરખાસ્તો મળી હતી તે સ્પષ્ટ નથી. અસંતુષ્ટ ધારાસભ્યો નવી પાર્ટી બનાવી રહ્યા છે કે ક્યાંક વિલીનીકરણ કરી રહ્યા છે તે જાણી શકાયું નથી. 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.