મહારાષ્ટ્રમાં શિંદે સરકારને મોટી રાહત, CJIએ કહ્યું ધારાસભ્યોની અયોગ્યતા અંગે સુપ્રીમ કોર્ટ ન લઈ શકે નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-11 14:28:38

શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગુરૂવારે 11 મેના રોજ ચુકાદો સંભળાવ્યો છે.એકનાથ શિંદે અને 15 અન્ય ધારાસભ્યોને જુન 2022માં તત્કાલિન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સામે બળવો કરવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે કે નહીં તે મામલે સુપ્રીમ કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે. કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રનો આ કેસ મોટી બેંચ પાસે જશે. સુપ્રીમ કોર્ટની બંધારણ બેંચે મહારાષ્ટ્રના રાજકીય સંક્ટનો કેસ 7 જજોની મોટી બેંચને સોંપી દીધો છે. વર્ષ 2022ના મહારાષ્ટ્ર રાજનિતી સંકટને લઈ શિવસેનાના ઉધ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જુથ દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે.


ઠાકરે જુથને મોટો ઝટકો


CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટીસ હિમા કોહલી, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મોરારીએ કહ્યું કે સ્પિકરે અસલી વ્હીપની તપાસ કરી નહોંતી. કોર્ટે કહ્યું કે સ્પિકરે માત્ર રાજકીય દળો દ્વારા નિયુક્ત વ્હિપને જ માન્યતા આપવી જોઈતી હતી.કોર્ટે કહ્યું કે સ્પિકરને બંને જુથ બન્યા અંગે જાણકારી હતી. બેંચે કહ્યું કે શિંદે જુથના ગોગાવલેને ચીફ વ્હીપ માનવાનો નિર્ણય ખોટો હતો. મહારાષ્ટ્રમાં વ્હિપને પાર્ટીથી અલગ કરી દીધા. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે અયોગ્યતા અંગે નિર્ણય લેશે નહીં. સ્પીકરને આ મામલે ઝડપથી નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે પક્ષમાં ભાગલા અયોગ્યતાની કાર્યવાહીથી બચવાનો આધાર બની શકે નહીં. ઉદ્ધવને મુખ્ય મંત્રી તરીકે ફરીથી સ્થાપિત કરી શકતા નથી.  


રાજ્યપાલ માત્ર બંધારણને વફાદાર રહે: સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે રાજ્યપાલે એવું ન કરવું જોઈએ જે તેમને બંધારણે આપ્યું નથી. જો સરકાર અને સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા સ્થગિત કરવાનો પ્રયાસ કરશે તો રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે. પરંતુ આ મામલે ધારાસભ્યોએ રાજ્યપાલને લખેલા પત્રમાં એવું નથી કહ્યું કે તેઓ એમવીએ સરકારને હટાવવા માંગે છે. માત્ર પોતાની પાર્ટીના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે કોઈપણ પક્ષમાં અસંતોષ ફ્લોર ટેસ્ટનો આધાર ન હોવો જોઈએ. રાજ્યપાલને જે પણ દરખાસ્તો મળી હતી તે સ્પષ્ટ નથી. અસંતુષ્ટ ધારાસભ્યો નવી પાર્ટી બનાવી રહ્યા છે કે ક્યાંક વિલીનીકરણ કરી રહ્યા છે તે જાણી શકાયું નથી. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.