તલાકના સમાચાર વચ્ચે શોએબ મલિકે પત્ની સાનિયા મિર્ઝાને બર્થ-ડે વિશ કર્યું, ફોટો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-15 20:40:02

ભારતની ખ્યાનનામ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છુટાછેડાના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. જો કે આ સમાચાર વચ્ચે આજે શોએબ મલિકે પત્ની સાનિયાની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી લખ્યું- તમને જન્મદિવસની શુભકામનાઓ સાનિયા, તમને સ્વસ્થ અને સુખીજીવનની શુભેચ્છા. આજના દિવસનો સંપૂર્ણ આનંદ માણો'. આ તસવીર પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે.


સાનિયાએ તેનો 36મો જન્મદિન મનાવ્યો


સાનિયા મિર્ઝાએ તેના મિત્રો સાથે તેનો 36મો જન્મદિવસ મનાવ્યો હતો. આ જન્મદિન પાર્ટીમાં શોએબ મલિક ક્યાંય પણ જોવા મળ્યો ન હતો. સાનિયાએ તેની હોલિવુડ ફ્રેન્ડ અને ફિલ્મમેકર ફરાહ ખાન તથા ગાયિકા અનન્યા બિરલા  સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ફરાહ અને સાનિયાએ તેના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ શેઅર કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે શોએબના આ બર્થ ડે વિશ પર સાનિયા મિર્ઝાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. 




તલાકના સમાચાર કે અફવા

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છૂટાછેડાની તૈયારી કરી રહ્યાં છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બંને અલગ-અલગ રહે છે. રિપોર્ટ્સમાં ખાલી આટલું કહેવામાં આવી રહ્યું છે કે શોએબે તેના એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે દગો કર્યો હતો. શોએબની મેનેજમેન્ટ ટીમનો ભાગ અને બંનેના કોમન મિત્રએ પણ દાવો કર્યો હતો બંને સત્તાવાર રીતે છૂટાછેડા લઈ ચૂક્યાં છે. કેટલીક ઔપચારિકતાઓ છે, હાલ બંને અલગ-અલગ રહે છે. સાનિયા દુબઈમાં છે, જ્યારે મલિક પાકિસ્તાનમાં છે. 


સેલિબ્રિટી કપલે 2010માં લગ્ન કર્યા હતા


શોએબ અને સાનિયાએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતાં. બંનેનો એક દીકરો ઈઝહાન છે. તેનો જન્મ લગ્નનાં 10 વર્ષ પછી 2018માં થયો હતો. 30 ઓક્ટોબરે સાનિયા અને શોએબ છેલ્લી વખતે દીકરા ઈઝહાનના જન્મદિવસ પર એકસાથે જોવા મળ્યાં હતાં.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે