તલાકના સમાચાર વચ્ચે શોએબ મલિકે પત્ની સાનિયા મિર્ઝાને બર્થ-ડે વિશ કર્યું, ફોટો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-15 20:40:02

ભારતની ખ્યાનનામ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છુટાછેડાના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. જો કે આ સમાચાર વચ્ચે આજે શોએબ મલિકે પત્ની સાનિયાની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી લખ્યું- તમને જન્મદિવસની શુભકામનાઓ સાનિયા, તમને સ્વસ્થ અને સુખીજીવનની શુભેચ્છા. આજના દિવસનો સંપૂર્ણ આનંદ માણો'. આ તસવીર પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે.


સાનિયાએ તેનો 36મો જન્મદિન મનાવ્યો


સાનિયા મિર્ઝાએ તેના મિત્રો સાથે તેનો 36મો જન્મદિવસ મનાવ્યો હતો. આ જન્મદિન પાર્ટીમાં શોએબ મલિક ક્યાંય પણ જોવા મળ્યો ન હતો. સાનિયાએ તેની હોલિવુડ ફ્રેન્ડ અને ફિલ્મમેકર ફરાહ ખાન તથા ગાયિકા અનન્યા બિરલા  સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ફરાહ અને સાનિયાએ તેના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ શેઅર કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે શોએબના આ બર્થ ડે વિશ પર સાનિયા મિર્ઝાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. 




તલાકના સમાચાર કે અફવા

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છૂટાછેડાની તૈયારી કરી રહ્યાં છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બંને અલગ-અલગ રહે છે. રિપોર્ટ્સમાં ખાલી આટલું કહેવામાં આવી રહ્યું છે કે શોએબે તેના એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે દગો કર્યો હતો. શોએબની મેનેજમેન્ટ ટીમનો ભાગ અને બંનેના કોમન મિત્રએ પણ દાવો કર્યો હતો બંને સત્તાવાર રીતે છૂટાછેડા લઈ ચૂક્યાં છે. કેટલીક ઔપચારિકતાઓ છે, હાલ બંને અલગ-અલગ રહે છે. સાનિયા દુબઈમાં છે, જ્યારે મલિક પાકિસ્તાનમાં છે. 


સેલિબ્રિટી કપલે 2010માં લગ્ન કર્યા હતા


શોએબ અને સાનિયાએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતાં. બંનેનો એક દીકરો ઈઝહાન છે. તેનો જન્મ લગ્નનાં 10 વર્ષ પછી 2018માં થયો હતો. 30 ઓક્ટોબરે સાનિયા અને શોએબ છેલ્લી વખતે દીકરા ઈઝહાનના જન્મદિવસ પર એકસાથે જોવા મળ્યાં હતાં.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.