તલાકના સમાચાર વચ્ચે શોએબ મલિકે પત્ની સાનિયા મિર્ઝાને બર્થ-ડે વિશ કર્યું, ફોટો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-15 20:40:02

ભારતની ખ્યાનનામ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છુટાછેડાના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. જો કે આ સમાચાર વચ્ચે આજે શોએબ મલિકે પત્ની સાનિયાની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી લખ્યું- તમને જન્મદિવસની શુભકામનાઓ સાનિયા, તમને સ્વસ્થ અને સુખીજીવનની શુભેચ્છા. આજના દિવસનો સંપૂર્ણ આનંદ માણો'. આ તસવીર પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે.


સાનિયાએ તેનો 36મો જન્મદિન મનાવ્યો


સાનિયા મિર્ઝાએ તેના મિત્રો સાથે તેનો 36મો જન્મદિવસ મનાવ્યો હતો. આ જન્મદિન પાર્ટીમાં શોએબ મલિક ક્યાંય પણ જોવા મળ્યો ન હતો. સાનિયાએ તેની હોલિવુડ ફ્રેન્ડ અને ફિલ્મમેકર ફરાહ ખાન તથા ગાયિકા અનન્યા બિરલા  સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ફરાહ અને સાનિયાએ તેના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ શેઅર કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે શોએબના આ બર્થ ડે વિશ પર સાનિયા મિર્ઝાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. 




તલાકના સમાચાર કે અફવા

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છૂટાછેડાની તૈયારી કરી રહ્યાં છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બંને અલગ-અલગ રહે છે. રિપોર્ટ્સમાં ખાલી આટલું કહેવામાં આવી રહ્યું છે કે શોએબે તેના એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે દગો કર્યો હતો. શોએબની મેનેજમેન્ટ ટીમનો ભાગ અને બંનેના કોમન મિત્રએ પણ દાવો કર્યો હતો બંને સત્તાવાર રીતે છૂટાછેડા લઈ ચૂક્યાં છે. કેટલીક ઔપચારિકતાઓ છે, હાલ બંને અલગ-અલગ રહે છે. સાનિયા દુબઈમાં છે, જ્યારે મલિક પાકિસ્તાનમાં છે. 


સેલિબ્રિટી કપલે 2010માં લગ્ન કર્યા હતા


શોએબ અને સાનિયાએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતાં. બંનેનો એક દીકરો ઈઝહાન છે. તેનો જન્મ લગ્નનાં 10 વર્ષ પછી 2018માં થયો હતો. 30 ઓક્ટોબરે સાનિયા અને શોએબ છેલ્લી વખતે દીકરા ઈઝહાનના જન્મદિવસ પર એકસાથે જોવા મળ્યાં હતાં.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.