Gondalમાં ક્ષત્રિય સમાજની બેઠક બાદ Padminiba Valaનું ચોંકાવનારું નિવેદન, સાંભળો નિવેદનોને


  • Published By :
  • Published Date : 2024-03-30 14:47:31

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા નિવદેનને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય સમાજ આ નિવેદનને કારણે રોષે ભરાયેલો છે. અનેક જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી અને વિરોધ પણ કરવામાં આવ્યો. વિવાદ શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહ્યો છે. વિવાદ શાંત કરવા માટે જયરાજસિંહ જાડેજા સામે આવ્યા હતા. ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક ગણેશગઢમાં થઈ. આ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ ફરી માફી માગી. આ બેઠકમાં જયરાજસિંહે નિવેદન આપ્યું કે આ વિવાદનો હવે અંત આવ્યો છે જેનાથી ક્ષત્રિય સમાજના આગેવાનો સેહમત નથી કાર્યક્ર્મ પૂરો થયા બાદ આ મામલે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી છે. 

જયરાજસિંહ જાડેજાએ આપી પ્રતિક્રિયા 

ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જ્યાં આગેવાનો અને પરષોત્તમ રૂપાલા બધા હાજર હતા. રૂપાલાએ ફરી માફી પણ માંગી. જયરાજસિંહ જાડેજાએ જાહેર મંચ પરથી એલાન કર્યું કે આ વિવાદનો હવે અંત આવ્યો છે. જેનાથી ક્ષત્રિય સમાજના આગેવાનો સહેમત નથી તેવું લાગે છે. કાર્યક્રમ પૂરો થયા બાદ આ મામલે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી જેમાં તે અસહેમત હોય તેવું દેખાઈ આવ્યું. 


કાર્યક્રમ બાદ સામે આવી પદ્મિની બાની પ્રતિક્રિયા  

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે , જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અહીંયાથી અંત છે. તો જયરાજભાઇ અહીંથી અંત નથી થતો. તમે એક ક્ષત્રિયના દીકરા છો અને અમે પણ ક્ષત્રિયની દીકરીઓ છીએ. અહીંયાથી અંત નથી ભાઈ. તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો ભાઈ. બહેનોની ધરપકડ કરી છે તો રૂપાલાભાઇની ધરપકડ કેમ નથી કરતા? આજે રૂપાલાભાઈ વિરૂદ્ધ કેટલી ફરિયાદો નોંધાઈ છે. મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે, જે રાજનીતિમાં હોય તે કોઇપણ ગુનો કરી શકે છે. તેમને છૂટ છે. 


રાજકીય રોટલા શેકવા તમે આ બધુ કરો છો - પદ્મિની બા

વધુમાં તેમણે કહ્યું કે મારા ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ કરી છે. તે અમને માફક નથી આવ્યું. રાજકીય લેવલે આપણા સમાજના આટલા બધા બેઠાં બેઠાં લોકો જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજની બહેનોની એક સમાજ માટે થઈને ધરપકડ કરી હોય. તે તદ્દન રાષ્ટ્રીય લેવેલ જે પણ ક્ષત્રિય સમાજના ભાઇઓ છે તેમને શરમ આવી જોઇએ. કે તમે ત્યાં બેઠાં બેઠાં જોતા હતા અને આપણી બહેનો સમાજ માટે લડવા આવી છે અને એની આબરૂં માટે લડવા આવી છે તેની તમે ધરપકડ કરી અને તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટીકીટ માટે તમે આ બધું બંધ કરો.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .