Gondalમાં ક્ષત્રિય સમાજની બેઠક બાદ Padminiba Valaનું ચોંકાવનારું નિવેદન, સાંભળો નિવેદનોને


  • Published By :
  • Published Date : 2024-03-30 14:47:31

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા નિવદેનને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય સમાજ આ નિવેદનને કારણે રોષે ભરાયેલો છે. અનેક જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી અને વિરોધ પણ કરવામાં આવ્યો. વિવાદ શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહ્યો છે. વિવાદ શાંત કરવા માટે જયરાજસિંહ જાડેજા સામે આવ્યા હતા. ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક ગણેશગઢમાં થઈ. આ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ ફરી માફી માગી. આ બેઠકમાં જયરાજસિંહે નિવેદન આપ્યું કે આ વિવાદનો હવે અંત આવ્યો છે જેનાથી ક્ષત્રિય સમાજના આગેવાનો સેહમત નથી કાર્યક્ર્મ પૂરો થયા બાદ આ મામલે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી છે. 

જયરાજસિંહ જાડેજાએ આપી પ્રતિક્રિયા 

ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જ્યાં આગેવાનો અને પરષોત્તમ રૂપાલા બધા હાજર હતા. રૂપાલાએ ફરી માફી પણ માંગી. જયરાજસિંહ જાડેજાએ જાહેર મંચ પરથી એલાન કર્યું કે આ વિવાદનો હવે અંત આવ્યો છે. જેનાથી ક્ષત્રિય સમાજના આગેવાનો સહેમત નથી તેવું લાગે છે. કાર્યક્રમ પૂરો થયા બાદ આ મામલે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી જેમાં તે અસહેમત હોય તેવું દેખાઈ આવ્યું. 


કાર્યક્રમ બાદ સામે આવી પદ્મિની બાની પ્રતિક્રિયા  

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે , જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અહીંયાથી અંત છે. તો જયરાજભાઇ અહીંથી અંત નથી થતો. તમે એક ક્ષત્રિયના દીકરા છો અને અમે પણ ક્ષત્રિયની દીકરીઓ છીએ. અહીંયાથી અંત નથી ભાઈ. તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો ભાઈ. બહેનોની ધરપકડ કરી છે તો રૂપાલાભાઇની ધરપકડ કેમ નથી કરતા? આજે રૂપાલાભાઈ વિરૂદ્ધ કેટલી ફરિયાદો નોંધાઈ છે. મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે, જે રાજનીતિમાં હોય તે કોઇપણ ગુનો કરી શકે છે. તેમને છૂટ છે. 


રાજકીય રોટલા શેકવા તમે આ બધુ કરો છો - પદ્મિની બા

વધુમાં તેમણે કહ્યું કે મારા ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ કરી છે. તે અમને માફક નથી આવ્યું. રાજકીય લેવલે આપણા સમાજના આટલા બધા બેઠાં બેઠાં લોકો જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજની બહેનોની એક સમાજ માટે થઈને ધરપકડ કરી હોય. તે તદ્દન રાષ્ટ્રીય લેવેલ જે પણ ક્ષત્રિય સમાજના ભાઇઓ છે તેમને શરમ આવી જોઇએ. કે તમે ત્યાં બેઠાં બેઠાં જોતા હતા અને આપણી બહેનો સમાજ માટે લડવા આવી છે અને એની આબરૂં માટે લડવા આવી છે તેની તમે ધરપકડ કરી અને તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટીકીટ માટે તમે આ બધું બંધ કરો.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.