Gondalમાં ક્ષત્રિય સમાજની બેઠક બાદ Padminiba Valaનું ચોંકાવનારું નિવેદન, સાંભળો નિવેદનોને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 14:47:31

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા નિવદેનને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય સમાજ આ નિવેદનને કારણે રોષે ભરાયેલો છે. અનેક જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી અને વિરોધ પણ કરવામાં આવ્યો. વિવાદ શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહ્યો છે. વિવાદ શાંત કરવા માટે જયરાજસિંહ જાડેજા સામે આવ્યા હતા. ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક ગણેશગઢમાં થઈ. આ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ ફરી માફી માગી. આ બેઠકમાં જયરાજસિંહે નિવેદન આપ્યું કે આ વિવાદનો હવે અંત આવ્યો છે જેનાથી ક્ષત્રિય સમાજના આગેવાનો સેહમત નથી કાર્યક્ર્મ પૂરો થયા બાદ આ મામલે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી છે. 

જયરાજસિંહ જાડેજાએ આપી પ્રતિક્રિયા 

ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જ્યાં આગેવાનો અને પરષોત્તમ રૂપાલા બધા હાજર હતા. રૂપાલાએ ફરી માફી પણ માંગી. જયરાજસિંહ જાડેજાએ જાહેર મંચ પરથી એલાન કર્યું કે આ વિવાદનો હવે અંત આવ્યો છે. જેનાથી ક્ષત્રિય સમાજના આગેવાનો સહેમત નથી તેવું લાગે છે. કાર્યક્રમ પૂરો થયા બાદ આ મામલે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી જેમાં તે અસહેમત હોય તેવું દેખાઈ આવ્યું. 


કાર્યક્રમ બાદ સામે આવી પદ્મિની બાની પ્રતિક્રિયા  

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે , જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અહીંયાથી અંત છે. તો જયરાજભાઇ અહીંથી અંત નથી થતો. તમે એક ક્ષત્રિયના દીકરા છો અને અમે પણ ક્ષત્રિયની દીકરીઓ છીએ. અહીંયાથી અંત નથી ભાઈ. તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો ભાઈ. બહેનોની ધરપકડ કરી છે તો રૂપાલાભાઇની ધરપકડ કેમ નથી કરતા? આજે રૂપાલાભાઈ વિરૂદ્ધ કેટલી ફરિયાદો નોંધાઈ છે. મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે, જે રાજનીતિમાં હોય તે કોઇપણ ગુનો કરી શકે છે. તેમને છૂટ છે. 


રાજકીય રોટલા શેકવા તમે આ બધુ કરો છો - પદ્મિની બા

વધુમાં તેમણે કહ્યું કે મારા ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ કરી છે. તે અમને માફક નથી આવ્યું. રાજકીય લેવલે આપણા સમાજના આટલા બધા બેઠાં બેઠાં લોકો જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજની બહેનોની એક સમાજ માટે થઈને ધરપકડ કરી હોય. તે તદ્દન રાષ્ટ્રીય લેવેલ જે પણ ક્ષત્રિય સમાજના ભાઇઓ છે તેમને શરમ આવી જોઇએ. કે તમે ત્યાં બેઠાં બેઠાં જોતા હતા અને આપણી બહેનો સમાજ માટે લડવા આવી છે અને એની આબરૂં માટે લડવા આવી છે તેની તમે ધરપકડ કરી અને તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટીકીટ માટે તમે આ બધું બંધ કરો.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.