કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું પૂર્ણ થયું શૂટિંગ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો


  • Published By :
  • Published Date : 2023-01-21 16:20:55

પોતાના નિવેદનને કારણે કંગના રનૌત હમેશા વિવાદોમાં રહેતી હોય છે. પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા છે. સાથે સાથે ઈમોશનલ નોટ પણ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું કે ફિલ્મ માટે તેમણે બધી સંપત્તિ ગીરવે મૂકી દીધી હતી.

  

સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે આજે એક એક્ટર તરીકે ઈમરજન્સી ફિલ્મનું શુટિંગ પૂર્ણ કરી લીધું છે. મને મહેસુસ થયું કે આ મારા જીવનના સૌથી સારા પળો હતા જે આજે પૂરા થયા છે. લોકોને લાગે આ એકદમ સરળતાથી થઈ ગયું પરંતુ હકીકતમાં વાસ્તવીક્તા એકદમ અલગ છે. આ ફિલ્મનું શુટિંગ કરવા મેં મારી બધી જમીન ગીરવે મૂકી દીધી હતી.  


મણિકર્ણિકા ફિલ્મના બેનર હેઠળ બની છે ફિલ્મ

પોતાની પોસ્ટમાં કંગનાએ સમગ્ર કાસ્ટ અને ક્રૂનો ફોયો શેર કર્યો હતો અને તમામનો આભાર માન્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે જેઓ મારી કાળજી કરે છે, હું તમને જણાવી દઉં કે હું અત્યારે સુરક્ષિત જગ્યા પર છું. મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે. આ ફિલ્મમાં કંગના ન કેવળ અદાકારા છે પરંતુ ફિલ્મનું ડાયરેક્શન પણ કરી રહ્યા છે. આ ફિલ્મના ડાયલોગ રિતેશ શાહે લખ્યા છે. આ ફિલ્મ કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મસના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી