કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું પૂર્ણ થયું શૂટિંગ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો


  • Published By :
  • Published Date : 2023-01-21 16:20:55

પોતાના નિવેદનને કારણે કંગના રનૌત હમેશા વિવાદોમાં રહેતી હોય છે. પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા છે. સાથે સાથે ઈમોશનલ નોટ પણ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું કે ફિલ્મ માટે તેમણે બધી સંપત્તિ ગીરવે મૂકી દીધી હતી.

  

સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે આજે એક એક્ટર તરીકે ઈમરજન્સી ફિલ્મનું શુટિંગ પૂર્ણ કરી લીધું છે. મને મહેસુસ થયું કે આ મારા જીવનના સૌથી સારા પળો હતા જે આજે પૂરા થયા છે. લોકોને લાગે આ એકદમ સરળતાથી થઈ ગયું પરંતુ હકીકતમાં વાસ્તવીક્તા એકદમ અલગ છે. આ ફિલ્મનું શુટિંગ કરવા મેં મારી બધી જમીન ગીરવે મૂકી દીધી હતી.  


મણિકર્ણિકા ફિલ્મના બેનર હેઠળ બની છે ફિલ્મ

પોતાની પોસ્ટમાં કંગનાએ સમગ્ર કાસ્ટ અને ક્રૂનો ફોયો શેર કર્યો હતો અને તમામનો આભાર માન્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે જેઓ મારી કાળજી કરે છે, હું તમને જણાવી દઉં કે હું અત્યારે સુરક્ષિત જગ્યા પર છું. મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે. આ ફિલ્મમાં કંગના ન કેવળ અદાકારા છે પરંતુ ફિલ્મનું ડાયરેક્શન પણ કરી રહ્યા છે. આ ફિલ્મના ડાયલોગ રિતેશ શાહે લખ્યા છે. આ ફિલ્મ કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મસના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.   



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.