કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું પૂર્ણ થયું શૂટિંગ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો


  • Published By :
  • Published Date : 2023-01-21 16:20:55

પોતાના નિવેદનને કારણે કંગના રનૌત હમેશા વિવાદોમાં રહેતી હોય છે. પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા છે. સાથે સાથે ઈમોશનલ નોટ પણ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું કે ફિલ્મ માટે તેમણે બધી સંપત્તિ ગીરવે મૂકી દીધી હતી.

  

સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે આજે એક એક્ટર તરીકે ઈમરજન્સી ફિલ્મનું શુટિંગ પૂર્ણ કરી લીધું છે. મને મહેસુસ થયું કે આ મારા જીવનના સૌથી સારા પળો હતા જે આજે પૂરા થયા છે. લોકોને લાગે આ એકદમ સરળતાથી થઈ ગયું પરંતુ હકીકતમાં વાસ્તવીક્તા એકદમ અલગ છે. આ ફિલ્મનું શુટિંગ કરવા મેં મારી બધી જમીન ગીરવે મૂકી દીધી હતી.  


મણિકર્ણિકા ફિલ્મના બેનર હેઠળ બની છે ફિલ્મ

પોતાની પોસ્ટમાં કંગનાએ સમગ્ર કાસ્ટ અને ક્રૂનો ફોયો શેર કર્યો હતો અને તમામનો આભાર માન્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે જેઓ મારી કાળજી કરે છે, હું તમને જણાવી દઉં કે હું અત્યારે સુરક્ષિત જગ્યા પર છું. મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે. આ ફિલ્મમાં કંગના ન કેવળ અદાકારા છે પરંતુ ફિલ્મનું ડાયરેક્શન પણ કરી રહ્યા છે. આ ફિલ્મના ડાયલોગ રિતેશ શાહે લખ્યા છે. આ ફિલ્મ કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મસના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.