બે શાળાઓમાં થઈ ગોળીબારી, ઘટનામાં 3ના થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-26 11:03:51

બ્રાજિલની સ્કુલમાં ફાયરિંગની ઘટના બની છે. શુક્રવારના દિવસે બ્રાજિલની બે શાળાઓમાં ફાયરિંગ થયું હતું. દક્ષિણપૂર્વીય વિસ્તારમાં આવેલી બે સ્કુલોમાં નકાબ પહેરા લોકો ઘૂસી આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 11 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે વિદ્યાર્થીઓ છે જ્યારે એક શિક્ષક છે. 


Brazil school shooting: At least 3 dead and 11 injured | CNN

Brazil school shooting: At least 3 dead and 11 injured | CNN

Brazil Mass Shooting: 3 killed, over dozen injured as gunman attacks 2  Brazil schools

સ્થાનિક મીડિયા અનુસાર બુલેટપ્રુફ જેકેટ પહેરી શાળામાં ઘૂસી આવ્યા હતા અને ગોળીબારી કરી હતી. 2 સ્કુલોમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ બંને હુમલા એસ્પિરરિટો સેન્ટો રાજ્યની રાજધાની વિટોરીયાથી થોડા કિલોમીટર દૂર આવેલી શાળામાં આ ગોળીબાર થયો છે. સુરક્ષા સચિવાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોળીબાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને એક ખાનગી શાળા પર થયો હતો. પોલીસે આ ગોળીબાર કરનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.      




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .