બે શાળાઓમાં થઈ ગોળીબારી, ઘટનામાં 3ના થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-26 11:03:51

બ્રાજિલની સ્કુલમાં ફાયરિંગની ઘટના બની છે. શુક્રવારના દિવસે બ્રાજિલની બે શાળાઓમાં ફાયરિંગ થયું હતું. દક્ષિણપૂર્વીય વિસ્તારમાં આવેલી બે સ્કુલોમાં નકાબ પહેરા લોકો ઘૂસી આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 11 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે વિદ્યાર્થીઓ છે જ્યારે એક શિક્ષક છે. 


Brazil school shooting: At least 3 dead and 11 injured | CNN

Brazil school shooting: At least 3 dead and 11 injured | CNN

Brazil Mass Shooting: 3 killed, over dozen injured as gunman attacks 2  Brazil schools

સ્થાનિક મીડિયા અનુસાર બુલેટપ્રુફ જેકેટ પહેરી શાળામાં ઘૂસી આવ્યા હતા અને ગોળીબારી કરી હતી. 2 સ્કુલોમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ બંને હુમલા એસ્પિરરિટો સેન્ટો રાજ્યની રાજધાની વિટોરીયાથી થોડા કિલોમીટર દૂર આવેલી શાળામાં આ ગોળીબાર થયો છે. સુરક્ષા સચિવાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોળીબાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને એક ખાનગી શાળા પર થયો હતો. પોલીસે આ ગોળીબાર કરનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.      




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.