શ્રદ્ધા મર્ડર કેસ: મેહરૌલીના વનમાંથી મળેલા હાડકા શ્રધ્ધાના જ હોવાનો DNA રિપોર્ટમાં ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-12-15 16:51:10

દેશભરમાં ચકચાર મચાવી દેનારા શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ તપાસ દરમિયાન મળેલા શ્રદ્ધાના હાડકાના DNA સેમ્પલ શ્રદ્ધાના પિતાના હાડકા સાથે મેચ થયા છે. દિલ્હી પોલીસે મેહરૌલી અને ગુરુગ્રામના જંગલોમાંથી હાડકાં કબજે કર્યા હતા. સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા. આરોપી આફતાબે પોલીસને આ હાડકાં વિશે જણાવ્યું હતું.


પોલીસને આફતાબના પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ મળ્યો


શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં આફતાબે ટેસ્ટમાં પુછાયેલા મોટા ભાગના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપ્યા હતા. આફતાબે પોલીગ્રાફ ટેસ્ટમાં પણ શ્રદ્ધાની હત્યાની કબૂલાત કરી હતી, જોકે એ સમયે તેણે કહ્યું હતું કે તેને હત્યાનો પસ્તાવો નથી. આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટમાંથી પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં સ્થિત FSLના સૂત્રોનું કહેવું છે કે આ રિપોર્ટ દક્ષિણ દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જોકે, પોલીસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. પોલિગ્રાફ રિપોર્ટમાં પોલીસને ઘણી નવી વસ્તુઓ મળી છે. જોકે, આ ટેસ્ટમાં પણ આફતાબે પોલીસની પૂછપરછ દરમિયાન જે વાત કરી હતી તે જ મોટાભાગની વાતોનું પુનરાવર્તન કર્યું હતું. પરંતુ આ તમામ અહેવાલો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, પોલીસ કસ્ટડીમાં આરોપીએ આપેલા નિવેદનોને કોર્ટમાં બહુ મહત્વ મળતું નથી. તેથી, આ અહેવાલો પોલીસને આફતાબનો ગુનો કોર્ટમાં સાબિત કરવામાં મદદ કરશે. નાર્કો ટેસ્ટનો રિપોર્ટ પણ ટૂંક સમયમાં તૈયાર કરીને પોલીસને સોંપવામાં આવશે.


શ્રદ્ધાની હત્યા બાદ એક ડોક્ટરને ડેટ કરી


આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ શ્રદ્ધા હત્યા કર્યા બાદ નવી ડેટ કર્યાનો પણ ખુલાસો થયો છે. આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ એક ડોક્ટરને ડેટ કરી હતી. તે આ છોકરીને ડેટિંગ એપ બમ્બલ દ્વારા મળ્યો હતો અને જ્યારે શ્રદ્ધાના શરીરનાં અંગો ફ્રિજમાં રાખવામાં આવ્યાં હતાં ત્યારે તેને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી પોલીસે યુવતીની ઓળખ કરી લીધી છે. તે વ્યવસાયે સાઇકોલોજિસ્ટ છે. આફતાબ અને શ્રદ્ધા પણ બમ્બલ એપ પર મળ્યાં હતાં.


શ્રદ્ધા હત્યા કેસ શું છે?


દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબ અમીન પૂનાવાલાએ 18 મેની સાંજે તેની 'લિવ-ઇન પાર્ટનર' શ્રદ્ધા વાલ્કર (27)ની કથિત રીતે ગળું દબાવી હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આરોપીએ શરીરના અંગોને લગભગ ત્રણ અઠવાડિયા સુધી દક્ષિણ દિલ્હીના મહેરૌલી સ્થિત તેના નિવાસસ્થાને એક મોટા ફ્રિજમાં 18 દિવસ સુધી રાખ્યા અને પછી દરરોજ રાત્રે 2 વાગે જંગલમાં મૃતદેહના ટુકડા ફેંકવા માટે જતો હતો. ઘણા દિવસો સુધી તેણે આ રીતે શરીરના અલગ-અલગ ભાગો જંગલમાં ફેંક્યા હતા.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.