શ્રદ્ધા મર્ડર કેસ: મેહરૌલીના વનમાંથી મળેલા હાડકા શ્રધ્ધાના જ હોવાનો DNA રિપોર્ટમાં ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-12-15 16:51:10

દેશભરમાં ચકચાર મચાવી દેનારા શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ તપાસ દરમિયાન મળેલા શ્રદ્ધાના હાડકાના DNA સેમ્પલ શ્રદ્ધાના પિતાના હાડકા સાથે મેચ થયા છે. દિલ્હી પોલીસે મેહરૌલી અને ગુરુગ્રામના જંગલોમાંથી હાડકાં કબજે કર્યા હતા. સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા. આરોપી આફતાબે પોલીસને આ હાડકાં વિશે જણાવ્યું હતું.


પોલીસને આફતાબના પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ મળ્યો


શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં આફતાબે ટેસ્ટમાં પુછાયેલા મોટા ભાગના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપ્યા હતા. આફતાબે પોલીગ્રાફ ટેસ્ટમાં પણ શ્રદ્ધાની હત્યાની કબૂલાત કરી હતી, જોકે એ સમયે તેણે કહ્યું હતું કે તેને હત્યાનો પસ્તાવો નથી. આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટમાંથી પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં સ્થિત FSLના સૂત્રોનું કહેવું છે કે આ રિપોર્ટ દક્ષિણ દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જોકે, પોલીસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. પોલિગ્રાફ રિપોર્ટમાં પોલીસને ઘણી નવી વસ્તુઓ મળી છે. જોકે, આ ટેસ્ટમાં પણ આફતાબે પોલીસની પૂછપરછ દરમિયાન જે વાત કરી હતી તે જ મોટાભાગની વાતોનું પુનરાવર્તન કર્યું હતું. પરંતુ આ તમામ અહેવાલો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, પોલીસ કસ્ટડીમાં આરોપીએ આપેલા નિવેદનોને કોર્ટમાં બહુ મહત્વ મળતું નથી. તેથી, આ અહેવાલો પોલીસને આફતાબનો ગુનો કોર્ટમાં સાબિત કરવામાં મદદ કરશે. નાર્કો ટેસ્ટનો રિપોર્ટ પણ ટૂંક સમયમાં તૈયાર કરીને પોલીસને સોંપવામાં આવશે.


શ્રદ્ધાની હત્યા બાદ એક ડોક્ટરને ડેટ કરી


આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ શ્રદ્ધા હત્યા કર્યા બાદ નવી ડેટ કર્યાનો પણ ખુલાસો થયો છે. આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ એક ડોક્ટરને ડેટ કરી હતી. તે આ છોકરીને ડેટિંગ એપ બમ્બલ દ્વારા મળ્યો હતો અને જ્યારે શ્રદ્ધાના શરીરનાં અંગો ફ્રિજમાં રાખવામાં આવ્યાં હતાં ત્યારે તેને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી પોલીસે યુવતીની ઓળખ કરી લીધી છે. તે વ્યવસાયે સાઇકોલોજિસ્ટ છે. આફતાબ અને શ્રદ્ધા પણ બમ્બલ એપ પર મળ્યાં હતાં.


શ્રદ્ધા હત્યા કેસ શું છે?


દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબ અમીન પૂનાવાલાએ 18 મેની સાંજે તેની 'લિવ-ઇન પાર્ટનર' શ્રદ્ધા વાલ્કર (27)ની કથિત રીતે ગળું દબાવી હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આરોપીએ શરીરના અંગોને લગભગ ત્રણ અઠવાડિયા સુધી દક્ષિણ દિલ્હીના મહેરૌલી સ્થિત તેના નિવાસસ્થાને એક મોટા ફ્રિજમાં 18 દિવસ સુધી રાખ્યા અને પછી દરરોજ રાત્રે 2 વાગે જંગલમાં મૃતદેહના ટુકડા ફેંકવા માટે જતો હતો. ઘણા દિવસો સુધી તેણે આ રીતે શરીરના અલગ-અલગ ભાગો જંગલમાં ફેંક્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.