ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી-નારાયણ મંદિરમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા પીએમ મોદી વિરૂદ્ધ નારા


  • Published By :
  • Published Date : 2023-03-04 14:52:51

ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો ખાલિસ્તાનો દ્વારા હુમલા થવાની ઘટના વારંવાર સામે આવતી રહે છે. ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. શ્રી લક્ષ્મી નારાયણ  મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. હુમલાની સાથે સાથે મંદિરની દિવાલો બહાર વિવાદિત સૂત્રો પણ લખ્યા હતા. મંદિરમાં હુમલા થવાની જાણકારી મળતા હિંદુઓ એકત્રિત થઈ ગયા હતા અને આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.    


મંદિર પર હુમલો થવાની બની ચોથી ઘટના 

વિદેશથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચતી હોય તેવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. હિંદુ મંદિરો પર અનેક વખત હુમલા થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં મંદિરો પર હુમલાની આ ચોથી ઘટના છે. આ વખતે બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરને ખાલિસ્તાનીઓએ પોતાનું નિશાન બનાવ્યું છે. શનિવારે હુમલો કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરમાં તોડફોડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. અજાણ્યા લોકોએ મંદિરની દિવાલો પર ભારતના વડાપ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા. તે ઉપરાંત મંદિરમાં તોડફોડ પણ કરી હતી.    


મંદિરો પર હુમલો થતા હિંદુઓમાં જોવા મળ્યો રોષ 

સૌથી પહેલા 12 જાન્યુઆરીએ મેલબર્નમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખાયા હતા. જે બાદ 18 જાન્યુઆરીએ મેલબર્નમાં શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ 23 જાન્યુઆરીએ મેલબર્નમાં આવેલા ઈસ્કોન મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ આજે ફરી હિંદુ મંદિરમાં તોડફોડ થઈ હતી. અવાર-નવાર હિંદુ મંદિરોમાં હુમલા થવાને કારણે હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.