ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી-નારાયણ મંદિરમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા પીએમ મોદી વિરૂદ્ધ નારા


  • Published By :
  • Published Date : 2023-03-04 14:52:51

ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો ખાલિસ્તાનો દ્વારા હુમલા થવાની ઘટના વારંવાર સામે આવતી રહે છે. ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. શ્રી લક્ષ્મી નારાયણ  મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. હુમલાની સાથે સાથે મંદિરની દિવાલો બહાર વિવાદિત સૂત્રો પણ લખ્યા હતા. મંદિરમાં હુમલા થવાની જાણકારી મળતા હિંદુઓ એકત્રિત થઈ ગયા હતા અને આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.    


મંદિર પર હુમલો થવાની બની ચોથી ઘટના 

વિદેશથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચતી હોય તેવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. હિંદુ મંદિરો પર અનેક વખત હુમલા થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં મંદિરો પર હુમલાની આ ચોથી ઘટના છે. આ વખતે બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરને ખાલિસ્તાનીઓએ પોતાનું નિશાન બનાવ્યું છે. શનિવારે હુમલો કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરમાં તોડફોડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. અજાણ્યા લોકોએ મંદિરની દિવાલો પર ભારતના વડાપ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા. તે ઉપરાંત મંદિરમાં તોડફોડ પણ કરી હતી.    


મંદિરો પર હુમલો થતા હિંદુઓમાં જોવા મળ્યો રોષ 

સૌથી પહેલા 12 જાન્યુઆરીએ મેલબર્નમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખાયા હતા. જે બાદ 18 જાન્યુઆરીએ મેલબર્નમાં શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ 23 જાન્યુઆરીએ મેલબર્નમાં આવેલા ઈસ્કોન મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ આજે ફરી હિંદુ મંદિરમાં તોડફોડ થઈ હતી. અવાર-નવાર હિંદુ મંદિરોમાં હુમલા થવાને કારણે હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .