KKRના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની વાપસી, IPL 2024 સીઝનમાં ટીમનું કરશે નેતૃત્વ


  • Published By :
  • Published Date : 2023-12-14 15:48:30

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે થનારા ઓક્શન પહેલા કોલકાતા નાઈટરાઈડર્સે મોટા સમાચાર આપ્યા છે. ફ્રેન્ચાઈઝીના સીઈઓ વેંકી મૈસુરે મોટી જાહેરાત કરી છે કે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અને ઉપ કપ્તાનના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રેયસ અય્યર આઈપીએલ 2024 માટે કેકેઆરના કેપ્ટન જ્યારે નીતીશ રાણા તેમના ડેપ્યુટી કેપ્ટન રહેશે.


શ્રેયસ ઐયરની KKRમાં વાપસી 


વેંકીએ જણાવ્યું કે વાસ્તવમાં દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ ઘાયલ થવાના કારણે આઈપીએલ 2023 રમવાથી ચૂકી ગયા હતા. અમને આનંદ છે કે હવે તે પાછા આવી ગયા છે અને કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. જે પ્રકારે તેમણે ઘાયલ થવાથી ઉગરવા માટે ઘણી મહેનત કરી છે, જે ફોર્મમાં તે છે તે તેમના નેતૃત્વનો પુરાવો છે.ઉલ્લેખનિય છે કે આઈપીએલ 2023 શરૂ થાય તે પહેલા જ શ્રેયસ અય્યર ઘાયલ થઈ ગયા હતા, અને તેમને સમગ્ર સીઝન માટે બહાર બેસવું પડ્યું હતું. તેમના સ્થાને ટીમનું નેતૃત્વ નીતીશ રાણાને સોંપવામાં આવી હતી.


શ્રેયસ અય્યરે શું કહ્યું?


શ્રેયસ ઐયરે ટીમમાં તેમની વાપસી અંગે કહ્યું કે ગત સીઝનમાં અમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમાં ઘાયલ થવાથી મારૂ ટીમ માટે નહીં રમવાનું પણ સામેલ છે. નીતીશે ટીમ માટે શાનદાર નેતૃત્વ કર્યું હતું, મને આનંદ છે કે કેકેઆરે તેમને ઉપકપ્તાન બનાવ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે આ નેતૃત્વ ટીમને વધુ મજબુત બનાવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.