KKRના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની વાપસી, IPL 2024 સીઝનમાં ટીમનું કરશે નેતૃત્વ


  • Published By :
  • Published Date : 2023-12-14 15:48:30

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે થનારા ઓક્શન પહેલા કોલકાતા નાઈટરાઈડર્સે મોટા સમાચાર આપ્યા છે. ફ્રેન્ચાઈઝીના સીઈઓ વેંકી મૈસુરે મોટી જાહેરાત કરી છે કે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અને ઉપ કપ્તાનના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રેયસ અય્યર આઈપીએલ 2024 માટે કેકેઆરના કેપ્ટન જ્યારે નીતીશ રાણા તેમના ડેપ્યુટી કેપ્ટન રહેશે.


શ્રેયસ ઐયરની KKRમાં વાપસી 


વેંકીએ જણાવ્યું કે વાસ્તવમાં દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ ઘાયલ થવાના કારણે આઈપીએલ 2023 રમવાથી ચૂકી ગયા હતા. અમને આનંદ છે કે હવે તે પાછા આવી ગયા છે અને કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. જે પ્રકારે તેમણે ઘાયલ થવાથી ઉગરવા માટે ઘણી મહેનત કરી છે, જે ફોર્મમાં તે છે તે તેમના નેતૃત્વનો પુરાવો છે.ઉલ્લેખનિય છે કે આઈપીએલ 2023 શરૂ થાય તે પહેલા જ શ્રેયસ અય્યર ઘાયલ થઈ ગયા હતા, અને તેમને સમગ્ર સીઝન માટે બહાર બેસવું પડ્યું હતું. તેમના સ્થાને ટીમનું નેતૃત્વ નીતીશ રાણાને સોંપવામાં આવી હતી.


શ્રેયસ અય્યરે શું કહ્યું?


શ્રેયસ ઐયરે ટીમમાં તેમની વાપસી અંગે કહ્યું કે ગત સીઝનમાં અમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમાં ઘાયલ થવાથી મારૂ ટીમ માટે નહીં રમવાનું પણ સામેલ છે. નીતીશે ટીમ માટે શાનદાર નેતૃત્વ કર્યું હતું, મને આનંદ છે કે કેકેઆરે તેમને ઉપકપ્તાન બનાવ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે આ નેતૃત્વ ટીમને વધુ મજબુત બનાવશે.



મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગરમાં પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.