Shreyas Talpadeને આવ્યો Heart Attack, અભિનેતાની કરાઈ એન્જિયોપ્લાસ્ટી, જાણો કેવી છે તબિયત?


  • Published By :
  • Published Date : 2023-12-15 09:46:50

હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થયો છે. પ્રતિદિન એવા સમાચાર આવતા હોય છે કે હાર્ટ એટેકને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરના લોકો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. કોરોના પછી આ હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર બોલિવુડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. આવનારી ફિલ્મ માટે તેઓ શૂટિંગ કરી રહ્યા હતા, શૂટિંગ પૂર્ણ કરી જ્યારે તેઓ ઘરે ગયા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. અભિનેતાની તબિયત સુધારા પર છે તેવું ડોક્ટરે જણાવ્યું છે.

Breaking News: 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ દરમિયાન એક્ટર શ્રેયસ તલપડેને  આવ્યો હાર્ટ એટેક - Gujarati News | Actor shreyas talpade heart attack  during welcome again shoot - actor shreyas talpade ...

હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ 

છેલ્લા થોડા સમયથી બોલિવુડથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા સીઆઈડીમાં કામ કરતા ફ્રેડીનું નિધન થઈ ગયું, તે પછી જુનિયર મહેમુદનું નિધન થઈ ગયું. ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી સામે આવ્યા છે. અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શૂટિંગ પૂર્ણ કરી અભિનેતા ઘરે ગયા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, અને તેમની તબિયત હવે સારી છે અને ડોક્ટરની નજર હેઠળ તેમને રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

Welcome to the Jungle (2024) - IMDb

આ ફિલ્મ માટે શ્રેયસ તલપડે કરી રહ્યા છે શૂટિંગ

અભિનેતા શ્રેયસ તલપડે પોતાની આગામી ફિલ્મ વેલકમ ટૂ ધી જંગલની શૂટિંગ કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર શૂટિંગ પૂર્ણ કરી જ્યારે તે ઘરે ગયા ત્યારે તેમને તેમની તબિયતમાં ગડબડ લાગી, તેઓ હોસ્પિટલ ગયા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. જે ફિલ્મ માટે તે શૂટિંગ કરી રહ્યા છે તે વેલકમ ટૂ ધી જંગલ છે અને તે વેલકમની ત્રીજી સિરિઝ છે. આ ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલા જ કરવામાં આવી છે.      



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .