Shreyas Talpadeને આવ્યો Heart Attack, અભિનેતાની કરાઈ એન્જિયોપ્લાસ્ટી, જાણો કેવી છે તબિયત?


  • Published By :
  • Published Date : 2023-12-15 09:46:50

હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થયો છે. પ્રતિદિન એવા સમાચાર આવતા હોય છે કે હાર્ટ એટેકને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરના લોકો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. કોરોના પછી આ હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર બોલિવુડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. આવનારી ફિલ્મ માટે તેઓ શૂટિંગ કરી રહ્યા હતા, શૂટિંગ પૂર્ણ કરી જ્યારે તેઓ ઘરે ગયા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. અભિનેતાની તબિયત સુધારા પર છે તેવું ડોક્ટરે જણાવ્યું છે.

Breaking News: 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ દરમિયાન એક્ટર શ્રેયસ તલપડેને  આવ્યો હાર્ટ એટેક - Gujarati News | Actor shreyas talpade heart attack  during welcome again shoot - actor shreyas talpade ...

હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ 

છેલ્લા થોડા સમયથી બોલિવુડથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા સીઆઈડીમાં કામ કરતા ફ્રેડીનું નિધન થઈ ગયું, તે પછી જુનિયર મહેમુદનું નિધન થઈ ગયું. ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી સામે આવ્યા છે. અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શૂટિંગ પૂર્ણ કરી અભિનેતા ઘરે ગયા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, અને તેમની તબિયત હવે સારી છે અને ડોક્ટરની નજર હેઠળ તેમને રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

Welcome to the Jungle (2024) - IMDb

આ ફિલ્મ માટે શ્રેયસ તલપડે કરી રહ્યા છે શૂટિંગ

અભિનેતા શ્રેયસ તલપડે પોતાની આગામી ફિલ્મ વેલકમ ટૂ ધી જંગલની શૂટિંગ કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર શૂટિંગ પૂર્ણ કરી જ્યારે તે ઘરે ગયા ત્યારે તેમને તેમની તબિયતમાં ગડબડ લાગી, તેઓ હોસ્પિટલ ગયા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. જે ફિલ્મ માટે તે શૂટિંગ કરી રહ્યા છે તે વેલકમ ટૂ ધી જંગલ છે અને તે વેલકમની ત્રીજી સિરિઝ છે. આ ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલા જ કરવામાં આવી છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.