Shreyas Talpadeને આવ્યો Heart Attack, અભિનેતાની કરાઈ એન્જિયોપ્લાસ્ટી, જાણો કેવી છે તબિયત?


  • Published By :
  • Published Date : 2023-12-15 09:46:50

હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થયો છે. પ્રતિદિન એવા સમાચાર આવતા હોય છે કે હાર્ટ એટેકને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરના લોકો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. કોરોના પછી આ હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર બોલિવુડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. આવનારી ફિલ્મ માટે તેઓ શૂટિંગ કરી રહ્યા હતા, શૂટિંગ પૂર્ણ કરી જ્યારે તેઓ ઘરે ગયા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. અભિનેતાની તબિયત સુધારા પર છે તેવું ડોક્ટરે જણાવ્યું છે.

Breaking News: 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ દરમિયાન એક્ટર શ્રેયસ તલપડેને  આવ્યો હાર્ટ એટેક - Gujarati News | Actor shreyas talpade heart attack  during welcome again shoot - actor shreyas talpade ...

હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ 

છેલ્લા થોડા સમયથી બોલિવુડથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા સીઆઈડીમાં કામ કરતા ફ્રેડીનું નિધન થઈ ગયું, તે પછી જુનિયર મહેમુદનું નિધન થઈ ગયું. ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી સામે આવ્યા છે. અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શૂટિંગ પૂર્ણ કરી અભિનેતા ઘરે ગયા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, અને તેમની તબિયત હવે સારી છે અને ડોક્ટરની નજર હેઠળ તેમને રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

Welcome to the Jungle (2024) - IMDb

આ ફિલ્મ માટે શ્રેયસ તલપડે કરી રહ્યા છે શૂટિંગ

અભિનેતા શ્રેયસ તલપડે પોતાની આગામી ફિલ્મ વેલકમ ટૂ ધી જંગલની શૂટિંગ કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર શૂટિંગ પૂર્ણ કરી જ્યારે તે ઘરે ગયા ત્યારે તેમને તેમની તબિયતમાં ગડબડ લાગી, તેઓ હોસ્પિટલ ગયા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. જે ફિલ્મ માટે તે શૂટિંગ કરી રહ્યા છે તે વેલકમ ટૂ ધી જંગલ છે અને તે વેલકમની ત્રીજી સિરિઝ છે. આ ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલા જ કરવામાં આવી છે.      



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.