શુભમન ગીલે ગુજરાત ટાયટન્સને ટાટા બાય-બાય કહ્યું !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:46:44

IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સે આજે એક મોટી જાણકારી ટ્વિટર પર શેર કરી જણાવ્યું કે શુભમન ગિલે ફ્રેન્ચાઈઝીનો સાથ છોડી દીધો છે.2022માં ટીમની જીત પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા શુભમન ગિલે ભજવી હતી . તેણે આ સીઝનમાં 400થી વધુ રન બનાવ્યા હતા. જોકે આ મામલે વધુ જાણકારી સામે નથી આવી.   

શું કર્યું ટ્વીટ ? 

ગુજરાત ટાઈટન્સે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી લખ્યું કે તમારી આ સફર યાદગાર રહી છે. આવનારા ભવિષ્ય માટે તમને શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને IPL 2022 પહેલા જ પ્રી-ઓક્શનમાં હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન સાથે 8 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. ગિલે ફ્રેન્ચાઈઝીના આ ટ્વીટને રિટ્વીટ કર્યું અને તેના પર હાર્ટ ઈમોજી સાથે રિપ્લાય પણ કર્યો.

IPL 2022માં શુભમનનું શાનદાર પ્રદર્શન 

શુભમન ગિલે  IPL 2022માં પોતાનું અદ્વિતીય પ્રદર્શન કર્યું હતું અને તેમણે ચાર અડધી સદી ફટકારી હતી. તેણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા 16 મેચોમાં 483 રન બનાવ્યા હતા. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 96 રન હતો . 







ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?