શુભમન ગીલે ગુજરાત ટાયટન્સને ટાટા બાય-બાય કહ્યું !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:46:44

IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સે આજે એક મોટી જાણકારી ટ્વિટર પર શેર કરી જણાવ્યું કે શુભમન ગિલે ફ્રેન્ચાઈઝીનો સાથ છોડી દીધો છે.2022માં ટીમની જીત પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા શુભમન ગિલે ભજવી હતી . તેણે આ સીઝનમાં 400થી વધુ રન બનાવ્યા હતા. જોકે આ મામલે વધુ જાણકારી સામે નથી આવી.   

શું કર્યું ટ્વીટ ? 

ગુજરાત ટાઈટન્સે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી લખ્યું કે તમારી આ સફર યાદગાર રહી છે. આવનારા ભવિષ્ય માટે તમને શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને IPL 2022 પહેલા જ પ્રી-ઓક્શનમાં હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન સાથે 8 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. ગિલે ફ્રેન્ચાઈઝીના આ ટ્વીટને રિટ્વીટ કર્યું અને તેના પર હાર્ટ ઈમોજી સાથે રિપ્લાય પણ કર્યો.

IPL 2022માં શુભમનનું શાનદાર પ્રદર્શન 

શુભમન ગિલે  IPL 2022માં પોતાનું અદ્વિતીય પ્રદર્શન કર્યું હતું અને તેમણે ચાર અડધી સદી ફટકારી હતી. તેણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા 16 મેચોમાં 483 રન બનાવ્યા હતા. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 96 રન હતો . 







જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.