કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈ સિદ્ધારમૈયાનો દાવો, કહ્યું 'અનેક ધારાસભ્યો મને મુખ્યમંત્રી બનાવા માગે છે'! મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા!


  • Published By :
  • Published Date : 2023-05-15 16:41:09

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોંગ્રેસમાં વિચારણા ચાલી રહી છે. સીએમની રેસમાં હજી સુધી બે નામ ચર્ચામાં હતા. ડી.કે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે રેસ ચાલી રહી હતી. આ બધા વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. 

 

મુખ્યમંત્રી બનવા અંગે સિદ્ધારમૈયાનું નિવદેન!

કોંગ્રેસમાં હાલ મનોમંથન ચાલી રહ્યું છે કે કર્ણાટકના મુખ્યમંત્રી કોને બનાવામાં આવે? અનેક બેઠકો કરવામાં આવી રહી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પણ આ મામલે ચર્ચા થઈ હતી. સીએમના ચહેરા તરીકે બે લોકોના નામ ચર્ચામાં છે. ડી.કે.શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે કાંટાની ટક્કર થતી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ અંગે નિર્ણય લેવાવાનો છે. આ બધા વચ્ચે  પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. મહત્વનું છે કે ડી.કે શિવકુમાર પણ મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યા છે. 


સિદ્ધારમૈયાની રાજકીય સફર! 

જો સિદ્ધારમૈયાની વાત કરીએ તો તે કુરૂબા સમાજથી આવે છે. સિદ્ધારમૈયા પહેલા જેડીએસમાં હતા પરંતુ ત્યાંથી તેમને બર્ખાસ્ત કરવામાં આવ્યા હતા. તે વખતે રાજનીતિથી સન્યાસ લેવાની વાત તેમણે કરી હતી. પરંતુ 1983માં લોકદળની સીટ પરથી ચૂંટણી લડી હતી અને વિધાનસભા પહોંચ્યા હતા. તે બાદ પાંચ વખત ત્યાંથી તેમણે જીત હાંસલ કરી છે. 


 મલ્લિકાર્જુન ખડગે લેશે અંતિમ નિર્ણય!

મહત્વનું છે કે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ હશે તે અંગે નિર્ણય લેવાયો નથી. અસમંજસ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બેઠકો ચાલી રહી છે. આ બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અનેક ધારાસભ્યો તેમને સીએમ બનાવવા માગે છે. એવી માહિતી પણ સામે આવી હતી કે સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર વચ્ચે સંબંધો તંગ થઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી અંગેની ઘોષણા આજે કરી દેવામાં આવશે. મહત્વનું છે કે મલ્લિકાર્જુન ખડગે આ વાતનો અંતિમ નિર્ણય લેવાના છે. હવે જોવાનું એ રહ્યું છે કોના નામ પર અંતિમ મોહર લાગે છે અને કોણ બને છે કર્ણાટકના સીએમ? સિદ્ધારમૈયા દિલ્હી પહોંચ્યા છે.          




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.