જૈસલમેરના આલિશાન પેલેસમાં સિદ્ધાર્થ અને કિયારા બંધાશે લગ્નના બંધનમાં, અનેક મહેમાનોને અપાયું છે આમંત્રણ


  • Published By :
  • Published Date : 2023-02-02 16:07:31

ફેબ્રુઆરી મહિનામાં વધુ એક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાવાના છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા એક પેલેસ ખાતે લગ્નનો ભવ્ય સમારોહ યોજાવાનો છે. લગ્નને લઈ અનેક વખત તેઓ સાથે જોવા મળતા હતા પરંતુ લગ્નને લઈ તેમણે કોઈ વાત  કરી ન હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઈ ચર્ચઓ ચાલી રહી છે. 

Sidharth Malhotra, Kiara Advani Wedding To Take Place In Rajasthan In  February Says Report | Sidharth Kiara Marriage: સિદ્ધાર્થ અને કિયારા આ  દિવસે કરશે લગ્ન, તારીખ અને સ્થળની માહિતી આવી સામે

લગ્નના બંધનમાં બંધાશે કિયારા અને સિદ્ધાર્થ! 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્ન કરી રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવરફુલ કપલ સાત ફેરા લેવાની છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા પેલેસ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમના લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના છે. મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગાડીઓ તેમજ રૂમો બુક કરવામાં આવ્યા છે. 


અલગ અલગ ક્ષેત્રોના લોકોને અપાયુ છે આમંત્રણ  

આ વિવાહ સમારોહમાં અનેક મોટી હસ્તીઓ મહેમાન બનવાના છે. જેમાં બોલિવુડથી લઈ અનેક ફિલ્ડના લોકોનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચનથી લઈ શાહરુખ ખાન, કરણ જોહર સહિતના અનેક કલાકારો આ લગ્નમાં ભાગ લેવાના છે. તે સિવાય ઈશા અંબાણી સહિતના લોકો પણ આ લગ્નમાં ભાગ લેવાના છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ સામેલ થવાના છે. તે સિવાય તેમના જૂના મિત્રો પણ સામેલ થવાના છે. મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ અને કિયારાના પ્રી-વેડિંગ ફન્શન ચાર અને પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે. જેસેલમેરમાં લગ્ન બાદ મુંબઈ ખાતે ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે.       




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.