જૈસલમેરના આલિશાન પેલેસમાં સિદ્ધાર્થ અને કિયારા બંધાશે લગ્નના બંધનમાં, અનેક મહેમાનોને અપાયું છે આમંત્રણ


  • Published By :
  • Published Date : 2023-02-02 16:07:31

ફેબ્રુઆરી મહિનામાં વધુ એક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાવાના છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા એક પેલેસ ખાતે લગ્નનો ભવ્ય સમારોહ યોજાવાનો છે. લગ્નને લઈ અનેક વખત તેઓ સાથે જોવા મળતા હતા પરંતુ લગ્નને લઈ તેમણે કોઈ વાત  કરી ન હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઈ ચર્ચઓ ચાલી રહી છે. 

Sidharth Malhotra, Kiara Advani Wedding To Take Place In Rajasthan In  February Says Report | Sidharth Kiara Marriage: સિદ્ધાર્થ અને કિયારા આ  દિવસે કરશે લગ્ન, તારીખ અને સ્થળની માહિતી આવી સામે

લગ્નના બંધનમાં બંધાશે કિયારા અને સિદ્ધાર્થ! 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્ન કરી રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવરફુલ કપલ સાત ફેરા લેવાની છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા પેલેસ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમના લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના છે. મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગાડીઓ તેમજ રૂમો બુક કરવામાં આવ્યા છે. 


અલગ અલગ ક્ષેત્રોના લોકોને અપાયુ છે આમંત્રણ  

આ વિવાહ સમારોહમાં અનેક મોટી હસ્તીઓ મહેમાન બનવાના છે. જેમાં બોલિવુડથી લઈ અનેક ફિલ્ડના લોકોનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચનથી લઈ શાહરુખ ખાન, કરણ જોહર સહિતના અનેક કલાકારો આ લગ્નમાં ભાગ લેવાના છે. તે સિવાય ઈશા અંબાણી સહિતના લોકો પણ આ લગ્નમાં ભાગ લેવાના છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ સામેલ થવાના છે. તે સિવાય તેમના જૂના મિત્રો પણ સામેલ થવાના છે. મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ અને કિયારાના પ્રી-વેડિંગ ફન્શન ચાર અને પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે. જેસેલમેરમાં લગ્ન બાદ મુંબઈ ખાતે ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે.       




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી