લગ્નના બંધનમાં બંધાશે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, સંગીતમાં પરિવારના સભ્યોએ કર્યો સ્પેશિયલ ડાન્સ


  • Published By :
  • Published Date : 2023-02-07 12:44:13

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવર કપલ ગણાતા કિયારા અડવાણી તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નના બંધનમાં બંધાવાના છે. જેસલમેરના સૂર્યગઢ ખાતે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. મેરેજ ફંક્શન 5 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા હતા. પરિવારજનો, નજીકના મિત્રોની હાજરીમાં તેઓ લગ્ન કરવાના છે.  

कियारा-सिड की सोमवार रात मेहंदी और म्यूजिक पार्टी हुई। रोशनी से सजा सूर्यगढ़ होटल।

બંને પરિવારોએ કર્યો સ્પેશિયલ ડાન્સ 

સોમવારના દિવસે સંગીત તેમજ મહેંદીની રસ્મ થઈ હતી. સંગીતમાં આખી રાત ધમાલમસ્તી કરવામાં આવી હતી. કપલે પાવરફુલ ડાન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું, તે સિવાય શાહિદ-મીરા, જૂહી ચાવલા સહિત અનેક સ્ટોર્સએ ડાન્સ પરફોમ કર્યો હતો. ગુલાબી કલરની લાઈટથી આખા પેલેસની લાઈટિંગ કરવામાં આવી હતી. સંગીતમાં સિદ્ધાર્થ તેમજ કિયારાના પરિવારજનોએ પણ સ્પેશિયલ ડાન્સ કર્યો હતો. કાલા ચશ્મા, બિજલી, ડિસ્કો દિવાને જેવા અનેક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 4 ફેબ્રુઆરીથી મહેમાનોએ પેલેસમાં પહોંચવાનું શરૂ કરી દીધું હતું. પોતાના પરિવાર સાથે સિદ્ધાર્થ અને કિયારા 5 તારીખે પહોંચ્યા હતા.      


Kiara Advani and Sidharth Malhotra To Host a Grand Reception On Feb 12?
સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ શરૂ! - siddharth malhotra kiara advani  wedding – News18 Gujarati


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી