લગ્નના બંધનમાં બંધાશે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, સંગીતમાં પરિવારના સભ્યોએ કર્યો સ્પેશિયલ ડાન્સ


  • Published By :
  • Published Date : 2023-02-07 12:44:13

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવર કપલ ગણાતા કિયારા અડવાણી તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નના બંધનમાં બંધાવાના છે. જેસલમેરના સૂર્યગઢ ખાતે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. મેરેજ ફંક્શન 5 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા હતા. પરિવારજનો, નજીકના મિત્રોની હાજરીમાં તેઓ લગ્ન કરવાના છે.  

कियारा-सिड की सोमवार रात मेहंदी और म्यूजिक पार्टी हुई। रोशनी से सजा सूर्यगढ़ होटल।

બંને પરિવારોએ કર્યો સ્પેશિયલ ડાન્સ 

સોમવારના દિવસે સંગીત તેમજ મહેંદીની રસ્મ થઈ હતી. સંગીતમાં આખી રાત ધમાલમસ્તી કરવામાં આવી હતી. કપલે પાવરફુલ ડાન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું, તે સિવાય શાહિદ-મીરા, જૂહી ચાવલા સહિત અનેક સ્ટોર્સએ ડાન્સ પરફોમ કર્યો હતો. ગુલાબી કલરની લાઈટથી આખા પેલેસની લાઈટિંગ કરવામાં આવી હતી. સંગીતમાં સિદ્ધાર્થ તેમજ કિયારાના પરિવારજનોએ પણ સ્પેશિયલ ડાન્સ કર્યો હતો. કાલા ચશ્મા, બિજલી, ડિસ્કો દિવાને જેવા અનેક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 4 ફેબ્રુઆરીથી મહેમાનોએ પેલેસમાં પહોંચવાનું શરૂ કરી દીધું હતું. પોતાના પરિવાર સાથે સિદ્ધાર્થ અને કિયારા 5 તારીખે પહોંચ્યા હતા.      


Kiara Advani and Sidharth Malhotra To Host a Grand Reception On Feb 12?
સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ શરૂ! - siddharth malhotra kiara advani  wedding – News18 Gujarati


રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.