લગ્નના બંધનમાં બંધાશે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, સંગીતમાં પરિવારના સભ્યોએ કર્યો સ્પેશિયલ ડાન્સ


  • Published By :
  • Published Date : 2023-02-07 12:44:13

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવર કપલ ગણાતા કિયારા અડવાણી તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નના બંધનમાં બંધાવાના છે. જેસલમેરના સૂર્યગઢ ખાતે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. મેરેજ ફંક્શન 5 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા હતા. પરિવારજનો, નજીકના મિત્રોની હાજરીમાં તેઓ લગ્ન કરવાના છે.  

कियारा-सिड की सोमवार रात मेहंदी और म्यूजिक पार्टी हुई। रोशनी से सजा सूर्यगढ़ होटल।

બંને પરિવારોએ કર્યો સ્પેશિયલ ડાન્સ 

સોમવારના દિવસે સંગીત તેમજ મહેંદીની રસ્મ થઈ હતી. સંગીતમાં આખી રાત ધમાલમસ્તી કરવામાં આવી હતી. કપલે પાવરફુલ ડાન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું, તે સિવાય શાહિદ-મીરા, જૂહી ચાવલા સહિત અનેક સ્ટોર્સએ ડાન્સ પરફોમ કર્યો હતો. ગુલાબી કલરની લાઈટથી આખા પેલેસની લાઈટિંગ કરવામાં આવી હતી. સંગીતમાં સિદ્ધાર્થ તેમજ કિયારાના પરિવારજનોએ પણ સ્પેશિયલ ડાન્સ કર્યો હતો. કાલા ચશ્મા, બિજલી, ડિસ્કો દિવાને જેવા અનેક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 4 ફેબ્રુઆરીથી મહેમાનોએ પેલેસમાં પહોંચવાનું શરૂ કરી દીધું હતું. પોતાના પરિવાર સાથે સિદ્ધાર્થ અને કિયારા 5 તારીખે પહોંચ્યા હતા.      


Kiara Advani and Sidharth Malhotra To Host a Grand Reception On Feb 12?
સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ શરૂ! - siddharth malhotra kiara advani  wedding – News18 Gujarati


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.