લગ્નના બંધનમાં બંધાશે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, સંગીતમાં પરિવારના સભ્યોએ કર્યો સ્પેશિયલ ડાન્સ


  • Published By :
  • Published Date : 2023-02-07 12:44:13

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવર કપલ ગણાતા કિયારા અડવાણી તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નના બંધનમાં બંધાવાના છે. જેસલમેરના સૂર્યગઢ ખાતે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. મેરેજ ફંક્શન 5 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા હતા. પરિવારજનો, નજીકના મિત્રોની હાજરીમાં તેઓ લગ્ન કરવાના છે.  

कियारा-सिड की सोमवार रात मेहंदी और म्यूजिक पार्टी हुई। रोशनी से सजा सूर्यगढ़ होटल।

બંને પરિવારોએ કર્યો સ્પેશિયલ ડાન્સ 

સોમવારના દિવસે સંગીત તેમજ મહેંદીની રસ્મ થઈ હતી. સંગીતમાં આખી રાત ધમાલમસ્તી કરવામાં આવી હતી. કપલે પાવરફુલ ડાન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું, તે સિવાય શાહિદ-મીરા, જૂહી ચાવલા સહિત અનેક સ્ટોર્સએ ડાન્સ પરફોમ કર્યો હતો. ગુલાબી કલરની લાઈટથી આખા પેલેસની લાઈટિંગ કરવામાં આવી હતી. સંગીતમાં સિદ્ધાર્થ તેમજ કિયારાના પરિવારજનોએ પણ સ્પેશિયલ ડાન્સ કર્યો હતો. કાલા ચશ્મા, બિજલી, ડિસ્કો દિવાને જેવા અનેક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 4 ફેબ્રુઆરીથી મહેમાનોએ પેલેસમાં પહોંચવાનું શરૂ કરી દીધું હતું. પોતાના પરિવાર સાથે સિદ્ધાર્થ અને કિયારા 5 તારીખે પહોંચ્યા હતા.      


Kiara Advani and Sidharth Malhotra To Host a Grand Reception On Feb 12?
સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ શરૂ! - siddharth malhotra kiara advani  wedding – News18 Gujarati


જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.