સિધ્ધાર્થ અને કિયારા સાત જન્મોના અતૂટ બંધનથી બંધાયા, આ સેલેબ્સ હાજર રહ્યા


  • Published By :
  • Published Date : 2023-02-07 19:06:28

બોલિવુડ અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ આજે પ્રભુતામાં પગલા માંડ્યા છે. આજે 7 ફેબ્રુઆરીએ બંનેએ સાત વચનો સાથે તમામ રીત-રિવાજો વિધિવત રીતે પુરા કર્યા છે. સિધ્ધાર્થ અને કિયારાના આ લગ્ન પરંપરાગત પંજાબી વિધિ પ્રમાણે થઈ હતી. આ ગ્રાંડ વેડિંગમાં બંનેના પરિવારજનો અને નજીકના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સિડ અને કિયારા સાત જન્મોના સાથી બની ગયા છે. 


જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા લગ્ન


રાજસ્થાનના સૂર્યગઢના પેલેસમાં બંનેના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે. વરરાજા સિધ્ધાર્થ ઘોડા પર બેસીને ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સિધ્ધાર્થ ઘોડા પર બેસીને આવ્યો ત્યારે બોલિવુડ ગીત સાજનજી ઘર આયેની ધુનથી માહોલ ગાંજી ઉઠ્યો હતો. લગ્ન માટે સૂર્યગઢ પેલેસને પણ નવવધુની જેમ સજાવવામાં આવ્યો હતો, રાત્રીના અંધકારમાં આ વિશાળ મહેલનો મનમોહક નજારો જોવા જેવો હતો. 


આ સેલેબ્સ ઉપસ્થિત રહ્યા?


સિધ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્નમાં લગભગ 100 થી 125 મહેમાનો ઉપસ્થિત રહ્ય હતા, નજીકના મિત્રો અને પરિવારજનો ઉપરાંત બોલિવુડ કલાકારોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં સોનાક્ષી સિંહા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા, મલાઈકા અરોરા, અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, કરણ જોહર, ફિલ્મ પ્રોડ્યુસર આરતી શેટ્ટી, પૂજા શેટ્ટી, ફિલ્મ ડાયરેક્ટર શકુન બત્રા અને મુકેશ અંબાણીની પુત્રી અને કિયારાની સારી મિત્ર ઈશા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. 


મહેમાનોએ વિવિધ વાનગીઓની મજા માણી 


સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના આ લગ્નમાં મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ બનાવવામાં આવી હતી. 50થી વધુ સ્ટૉલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સપર્ટ દિલ્હી-મુંબઈથી આવ્યા હતાં. ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ હતું. રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચૂરમા, બાજરાનો રોટલો ખીચડી પણ હતાં. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી હતી, જેમાં મકાઈનો રોટલો, પાલક-સરસોનું શાક, છોલે-ભટૂરે સામેલ હતાં. બ્રેકફાસ્ટ, લંચમાં પણ અનેક ડિશ રાખવામાં આવી હતી.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .