સિધ્ધાર્થ અને કિયારા સાત જન્મોના અતૂટ બંધનથી બંધાયા, આ સેલેબ્સ હાજર રહ્યા


  • Published By :
  • Published Date : 2023-02-07 19:06:28

બોલિવુડ અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ આજે પ્રભુતામાં પગલા માંડ્યા છે. આજે 7 ફેબ્રુઆરીએ બંનેએ સાત વચનો સાથે તમામ રીત-રિવાજો વિધિવત રીતે પુરા કર્યા છે. સિધ્ધાર્થ અને કિયારાના આ લગ્ન પરંપરાગત પંજાબી વિધિ પ્રમાણે થઈ હતી. આ ગ્રાંડ વેડિંગમાં બંનેના પરિવારજનો અને નજીકના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સિડ અને કિયારા સાત જન્મોના સાથી બની ગયા છે. 


જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા લગ્ન


રાજસ્થાનના સૂર્યગઢના પેલેસમાં બંનેના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે. વરરાજા સિધ્ધાર્થ ઘોડા પર બેસીને ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સિધ્ધાર્થ ઘોડા પર બેસીને આવ્યો ત્યારે બોલિવુડ ગીત સાજનજી ઘર આયેની ધુનથી માહોલ ગાંજી ઉઠ્યો હતો. લગ્ન માટે સૂર્યગઢ પેલેસને પણ નવવધુની જેમ સજાવવામાં આવ્યો હતો, રાત્રીના અંધકારમાં આ વિશાળ મહેલનો મનમોહક નજારો જોવા જેવો હતો. 


આ સેલેબ્સ ઉપસ્થિત રહ્યા?


સિધ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્નમાં લગભગ 100 થી 125 મહેમાનો ઉપસ્થિત રહ્ય હતા, નજીકના મિત્રો અને પરિવારજનો ઉપરાંત બોલિવુડ કલાકારોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં સોનાક્ષી સિંહા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા, મલાઈકા અરોરા, અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, કરણ જોહર, ફિલ્મ પ્રોડ્યુસર આરતી શેટ્ટી, પૂજા શેટ્ટી, ફિલ્મ ડાયરેક્ટર શકુન બત્રા અને મુકેશ અંબાણીની પુત્રી અને કિયારાની સારી મિત્ર ઈશા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. 


મહેમાનોએ વિવિધ વાનગીઓની મજા માણી 


સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના આ લગ્નમાં મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ બનાવવામાં આવી હતી. 50થી વધુ સ્ટૉલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સપર્ટ દિલ્હી-મુંબઈથી આવ્યા હતાં. ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ હતું. રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચૂરમા, બાજરાનો રોટલો ખીચડી પણ હતાં. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી હતી, જેમાં મકાઈનો રોટલો, પાલક-સરસોનું શાક, છોલે-ભટૂરે સામેલ હતાં. બ્રેકફાસ્ટ, લંચમાં પણ અનેક ડિશ રાખવામાં આવી હતી.




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.