સિધ્ધાર્થ અને કિયારા સાત જન્મોના અતૂટ બંધનથી બંધાયા, આ સેલેબ્સ હાજર રહ્યા


  • Published By :
  • Published Date : 2023-02-07 19:06:28

બોલિવુડ અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ આજે પ્રભુતામાં પગલા માંડ્યા છે. આજે 7 ફેબ્રુઆરીએ બંનેએ સાત વચનો સાથે તમામ રીત-રિવાજો વિધિવત રીતે પુરા કર્યા છે. સિધ્ધાર્થ અને કિયારાના આ લગ્ન પરંપરાગત પંજાબી વિધિ પ્રમાણે થઈ હતી. આ ગ્રાંડ વેડિંગમાં બંનેના પરિવારજનો અને નજીકના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સિડ અને કિયારા સાત જન્મોના સાથી બની ગયા છે. 


જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા લગ્ન


રાજસ્થાનના સૂર્યગઢના પેલેસમાં બંનેના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે. વરરાજા સિધ્ધાર્થ ઘોડા પર બેસીને ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સિધ્ધાર્થ ઘોડા પર બેસીને આવ્યો ત્યારે બોલિવુડ ગીત સાજનજી ઘર આયેની ધુનથી માહોલ ગાંજી ઉઠ્યો હતો. લગ્ન માટે સૂર્યગઢ પેલેસને પણ નવવધુની જેમ સજાવવામાં આવ્યો હતો, રાત્રીના અંધકારમાં આ વિશાળ મહેલનો મનમોહક નજારો જોવા જેવો હતો. 


આ સેલેબ્સ ઉપસ્થિત રહ્યા?


સિધ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્નમાં લગભગ 100 થી 125 મહેમાનો ઉપસ્થિત રહ્ય હતા, નજીકના મિત્રો અને પરિવારજનો ઉપરાંત બોલિવુડ કલાકારોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં સોનાક્ષી સિંહા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા, મલાઈકા અરોરા, અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, કરણ જોહર, ફિલ્મ પ્રોડ્યુસર આરતી શેટ્ટી, પૂજા શેટ્ટી, ફિલ્મ ડાયરેક્ટર શકુન બત્રા અને મુકેશ અંબાણીની પુત્રી અને કિયારાની સારી મિત્ર ઈશા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. 


મહેમાનોએ વિવિધ વાનગીઓની મજા માણી 


સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના આ લગ્નમાં મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ બનાવવામાં આવી હતી. 50થી વધુ સ્ટૉલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સપર્ટ દિલ્હી-મુંબઈથી આવ્યા હતાં. ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ હતું. રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચૂરમા, બાજરાનો રોટલો ખીચડી પણ હતાં. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી હતી, જેમાં મકાઈનો રોટલો, પાલક-સરસોનું શાક, છોલે-ભટૂરે સામેલ હતાં. બ્રેકફાસ્ટ, લંચમાં પણ અનેક ડિશ રાખવામાં આવી હતી.




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.