પંજાબની જેલમાં ગેંગવોર, સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું મોત


  • Published By :
  • Published Date : 2023-02-26 19:52:34

પંજાબના જાણીતા ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું જેલમાં જ મોત થતા સનસનાટી મચી ગઈ છે. પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આરોપીઓ વચ્ચે લોહીયાળ ગેંગવોર થયું હતું. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપીઓ પૈકી મનદીપ તુફાન, મનમોહન સિંહ અને કેશવ વચ્ચે રવિવારે સાંજે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ગેંગસ્ટર મનદીપ તુફાન અને મનમોહન માર્યા ગયા છે. જ્યારે ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો હતો, હાલ ઘાયલ આરોપીની અમૃતસરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


જેલમાં ગેંગવોર ફાટી નિકળ્યું 


ડીએસપી જસપાલ સિંહના જણાવ્યા પ્રમાણે પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આજે રવિવારે બપોરે અચાનક જ ગેંગવોર ફાટી નિકળ્યું હતું. જેમાં બે લોકોના મોત થયા છે. જેલમાં બદમાશોની બે ટોળકી વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં મનદીપ સિંહ તુફાન અને મનમોહન સિંહ માર્યા ગયા હતા. ત્રીજો ગેંગસ્ટર કેશવ જે ભટિંડાનો રહેવાસી છે ગંભીર રીતે ઘાયલ થયો છે.  


ઘાયલ કેશવની મુન્દ્રાથી ધરપકડ 


અત્રે ઉલ્લેખનિય છે કે ગેંગવોરમાં ઘાયલ થયેલા કેશવને ગુજરાતના મુન્દ્રાથી દિલ્હી પોલીસ વિશેષ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, મૃતક ગેંગસ્ટર મોહન સિંહ પર મૂસેવાલાની હત્યા પહેલા રેકી કરવાનો આરોપ હતો અને તે મનસાનો રહેવાસી હતો. તો, મનદીપ તુફાનને સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બેકઅપ સૂટર તરીકે રાખવામાં આવ્યો હતો. આ આરોપીઓની પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


મામલો શું હતો?


પંજાબના જાણીતા સિંગર શુભદીપ સિંહ સિદ્ધુ કે જેઓ સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતો હતો. તેની ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરી છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.