પંજાબની જેલમાં ગેંગવોર, સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું મોત


  • Published By :
  • Published Date : 2023-02-26 19:52:34

પંજાબના જાણીતા ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું જેલમાં જ મોત થતા સનસનાટી મચી ગઈ છે. પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આરોપીઓ વચ્ચે લોહીયાળ ગેંગવોર થયું હતું. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપીઓ પૈકી મનદીપ તુફાન, મનમોહન સિંહ અને કેશવ વચ્ચે રવિવારે સાંજે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ગેંગસ્ટર મનદીપ તુફાન અને મનમોહન માર્યા ગયા છે. જ્યારે ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો હતો, હાલ ઘાયલ આરોપીની અમૃતસરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


જેલમાં ગેંગવોર ફાટી નિકળ્યું 


ડીએસપી જસપાલ સિંહના જણાવ્યા પ્રમાણે પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આજે રવિવારે બપોરે અચાનક જ ગેંગવોર ફાટી નિકળ્યું હતું. જેમાં બે લોકોના મોત થયા છે. જેલમાં બદમાશોની બે ટોળકી વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં મનદીપ સિંહ તુફાન અને મનમોહન સિંહ માર્યા ગયા હતા. ત્રીજો ગેંગસ્ટર કેશવ જે ભટિંડાનો રહેવાસી છે ગંભીર રીતે ઘાયલ થયો છે.  


ઘાયલ કેશવની મુન્દ્રાથી ધરપકડ 


અત્રે ઉલ્લેખનિય છે કે ગેંગવોરમાં ઘાયલ થયેલા કેશવને ગુજરાતના મુન્દ્રાથી દિલ્હી પોલીસ વિશેષ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, મૃતક ગેંગસ્ટર મોહન સિંહ પર મૂસેવાલાની હત્યા પહેલા રેકી કરવાનો આરોપ હતો અને તે મનસાનો રહેવાસી હતો. તો, મનદીપ તુફાનને સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બેકઅપ સૂટર તરીકે રાખવામાં આવ્યો હતો. આ આરોપીઓની પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


મામલો શું હતો?


પંજાબના જાણીતા સિંગર શુભદીપ સિંહ સિદ્ધુ કે જેઓ સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતો હતો. તેની ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.