પંજાબની જેલમાં ગેંગવોર, સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું મોત


  • Published By :
  • Published Date : 2023-02-26 19:52:34

પંજાબના જાણીતા ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું જેલમાં જ મોત થતા સનસનાટી મચી ગઈ છે. પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આરોપીઓ વચ્ચે લોહીયાળ ગેંગવોર થયું હતું. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપીઓ પૈકી મનદીપ તુફાન, મનમોહન સિંહ અને કેશવ વચ્ચે રવિવારે સાંજે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ગેંગસ્ટર મનદીપ તુફાન અને મનમોહન માર્યા ગયા છે. જ્યારે ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો હતો, હાલ ઘાયલ આરોપીની અમૃતસરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


જેલમાં ગેંગવોર ફાટી નિકળ્યું 


ડીએસપી જસપાલ સિંહના જણાવ્યા પ્રમાણે પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આજે રવિવારે બપોરે અચાનક જ ગેંગવોર ફાટી નિકળ્યું હતું. જેમાં બે લોકોના મોત થયા છે. જેલમાં બદમાશોની બે ટોળકી વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં મનદીપ સિંહ તુફાન અને મનમોહન સિંહ માર્યા ગયા હતા. ત્રીજો ગેંગસ્ટર કેશવ જે ભટિંડાનો રહેવાસી છે ગંભીર રીતે ઘાયલ થયો છે.  


ઘાયલ કેશવની મુન્દ્રાથી ધરપકડ 


અત્રે ઉલ્લેખનિય છે કે ગેંગવોરમાં ઘાયલ થયેલા કેશવને ગુજરાતના મુન્દ્રાથી દિલ્હી પોલીસ વિશેષ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, મૃતક ગેંગસ્ટર મોહન સિંહ પર મૂસેવાલાની હત્યા પહેલા રેકી કરવાનો આરોપ હતો અને તે મનસાનો રહેવાસી હતો. તો, મનદીપ તુફાનને સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બેકઅપ સૂટર તરીકે રાખવામાં આવ્યો હતો. આ આરોપીઓની પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


મામલો શું હતો?


પંજાબના જાણીતા સિંગર શુભદીપ સિંહ સિદ્ધુ કે જેઓ સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતો હતો. તેની ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરી છે. 




સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...