સિગારેટના બંધાણી માટે માઠા સમાચાર, 'સિંગલ સિગારેટ'ના વેચાણ પર પ્રતિબંધની શક્યતા


  • Published By :
  • Published Date : 2022-12-11 20:48:22

દેશમાં સિગારેટના બંધાણીની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. દેશમાં મોટા પ્રમાણે સિગારેટનું સેવન સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. તેથી જ દેશમાં તમાકુ ઉત્પાદનો અને આલ્કોહોલના વપરાશ પર અસરકારક પ્રતિબંધ માટે ભલામણો કરવામાં આવી છે. સિંગલ સિગારેટ પર પ્રતિબંધની માગ કરવામાં આવી છે.


સંસદીય સમિતિએ કરી ભલામણ


સંસદની સ્થાયી સમિતિએ પણ સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિનું માનવું છે કે સિંગલ સિગારેટના વેચાણથી જ્યાં વપરાશ વધે છે ત્યાં તમાકુ નિયંત્રણ અભિયાનોને પણ ફટકો પડે છે. આ સાથે સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ એરપોર્ટના સ્મોકિંગ ઝોનને પણ બંધ કરવાની ભલામણ કરી છે.


તમાકુના સેવનથી કેન્સરનું જોખમ


કમિટીના જણાવ્યા અનુસાર GST લાગુ થયા બાદ પણ તમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં બહુ વધારો થયો નથી. આવી સ્થિતિમાં સામાન્ય બજેટમાં તમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં વધારો થાય તેવી શક્યતા છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરને ટાંકીને સમિતિએ કહ્યું છે કે આલ્કોહોલ અને તમાકુના સેવનથી કેન્સરનું જોખમ વધી જાય છે.


ગુટખા, તમાકુ અને માઉથ ફ્રેશનર્સ પર પણ પ્રતિબંધ


કમિટિએ માત્ર સિગારેટ પર જ નહીં પણ ગુટખા, સુગંધી તમાકુ અને માઉથ ફ્રેશનર્સના નામે વેચાતી પ્રોડક્ટ પર પણ પ્રતિબંધ મૂકવાની હિમાયત કરી છે. તમાકુના ઉત્પાદનોમાંથી એકત્ર કરાયેલા ટેક્સનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. ઉપરાંત, વધારાની રકમનો ઉપયોગ તમાકુ સામે જાગૃતિ ફેલાવવા માટે થવો જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વધારવાથી કેન્સરના કેસમાં ઘટાડો થઈ શકે છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.