સિગારેટના બંધાણી માટે માઠા સમાચાર, 'સિંગલ સિગારેટ'ના વેચાણ પર પ્રતિબંધની શક્યતા


  • Published By :
  • Published Date : 2022-12-11 20:48:22

દેશમાં સિગારેટના બંધાણીની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. દેશમાં મોટા પ્રમાણે સિગારેટનું સેવન સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. તેથી જ દેશમાં તમાકુ ઉત્પાદનો અને આલ્કોહોલના વપરાશ પર અસરકારક પ્રતિબંધ માટે ભલામણો કરવામાં આવી છે. સિંગલ સિગારેટ પર પ્રતિબંધની માગ કરવામાં આવી છે.


સંસદીય સમિતિએ કરી ભલામણ


સંસદની સ્થાયી સમિતિએ પણ સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિનું માનવું છે કે સિંગલ સિગારેટના વેચાણથી જ્યાં વપરાશ વધે છે ત્યાં તમાકુ નિયંત્રણ અભિયાનોને પણ ફટકો પડે છે. આ સાથે સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ એરપોર્ટના સ્મોકિંગ ઝોનને પણ બંધ કરવાની ભલામણ કરી છે.


તમાકુના સેવનથી કેન્સરનું જોખમ


કમિટીના જણાવ્યા અનુસાર GST લાગુ થયા બાદ પણ તમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં બહુ વધારો થયો નથી. આવી સ્થિતિમાં સામાન્ય બજેટમાં તમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં વધારો થાય તેવી શક્યતા છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરને ટાંકીને સમિતિએ કહ્યું છે કે આલ્કોહોલ અને તમાકુના સેવનથી કેન્સરનું જોખમ વધી જાય છે.


ગુટખા, તમાકુ અને માઉથ ફ્રેશનર્સ પર પણ પ્રતિબંધ


કમિટિએ માત્ર સિગારેટ પર જ નહીં પણ ગુટખા, સુગંધી તમાકુ અને માઉથ ફ્રેશનર્સના નામે વેચાતી પ્રોડક્ટ પર પણ પ્રતિબંધ મૂકવાની હિમાયત કરી છે. તમાકુના ઉત્પાદનોમાંથી એકત્ર કરાયેલા ટેક્સનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. ઉપરાંત, વધારાની રકમનો ઉપયોગ તમાકુ સામે જાગૃતિ ફેલાવવા માટે થવો જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વધારવાથી કેન્સરના કેસમાં ઘટાડો થઈ શકે છે.



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.