SIPએ બનાવ્યો રેકોર્ડ, ઈક્વિટી ફંડમાં રોકાણ ત્રણ ગણું વધ્યું, આંકડો 13,573 કરોડને પાર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:33:39

એક સમય હતો જ્યારે લોકો તેમની બચતની રકમની બેંકમાં એફ ડી કરાવતા હતા. જો કે હવે આજની પેઢી બેંકમાં એફડી કરાવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરાવવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે દેશમાં દર વર્ષે SIP રોકાણ વધી રહ્યું છે. Association of Mutual Funds in India (AMFI)એ ડિસેમ્બર મહિના માટે જાહેર કરેલા ડેટા મુજબ SIP ઈન્ફ્લોનો આંકડો પહેલી વખત 13,500 કરોડને વટાવી ગયો છે. ઈક્વિટી ફંડ પ્રત્યે રોકાણકારોનો ભરોસો વધ્યો છે.


શેર બજાર તુટ્યું પણ SIP રોકાણ વધ્યું


રસપ્રદ બાબત એ છે કે ડિસેમ્બર મહિનામાં Niftyમાં ઘટાડો નોંધાયો છે તેમ છતાં ઈક્વિટી ફંડ રોકાણમાં ત્રણ ગણો ઉછાળો નોંધાયો છે. ઈક્વિટી ફંડ કેટેગરી હેઠળ 380 સ્કીમોમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ સ્કીમોમાં કુલ 7,303 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કેટેગરીમાં સૌથી વધું સ્મોલ કેપ ફંડોમાં 2,245 કરોડનું રોકાણ આવ્યું છે.  નબેમ્બરમાં ઈક્વિટી ફંડમાં કુલ 2,258 કરોડ રૂપિયાનો ઇનફ્લો આવ્યો હતો. જો કે ટોટલ એસેટ અંડર મેનેજમેન્ટ 40 લાખ કરોડથી થોડું ઓછું થયું છે. અને તેમાં નવેમ્બરની તુલનામાં 50 હજાર કરોડનો ઘટાડો નોંધાયો છે.   


શા માટે SIPમાં રોકાણ વધ્યું?


ડિસેમ્બર 2022માં SIP ખાતાઓમાં 7,85,102ની વૃધ્ધી થઈ છે. AMFIના CEO એન.એસ. વેંકટેશે કહ્યું, લોન્ગ ટર્મ લક્ષ્ય માટે ઈક્વિટી બજારોમાં SIP મારફતે રોકાણનું મહત્વ રિટેલ રોકાણકારોને સમજાઈ રહ્યું છે. રોકાણકારો તેમના લાંબાગાળાના આર્થિક લક્ષ્યો સિધ્ધ કરવા માટે SIP પર ભરોસો કરી રહ્યા છે, કારણ કે લાંબાગાળે SIP રોકાણમાં સારૂ રિટર્ન મળે છે. આ જ કારણ છે કે દેશભરના રોકાણકારો SIP તરફ આકર્ષાયા છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.