SIPએ બનાવ્યો રેકોર્ડ, ઈક્વિટી ફંડમાં રોકાણ ત્રણ ગણું વધ્યું, આંકડો 13,573 કરોડને પાર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:33:39

એક સમય હતો જ્યારે લોકો તેમની બચતની રકમની બેંકમાં એફ ડી કરાવતા હતા. જો કે હવે આજની પેઢી બેંકમાં એફડી કરાવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરાવવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે દેશમાં દર વર્ષે SIP રોકાણ વધી રહ્યું છે. Association of Mutual Funds in India (AMFI)એ ડિસેમ્બર મહિના માટે જાહેર કરેલા ડેટા મુજબ SIP ઈન્ફ્લોનો આંકડો પહેલી વખત 13,500 કરોડને વટાવી ગયો છે. ઈક્વિટી ફંડ પ્રત્યે રોકાણકારોનો ભરોસો વધ્યો છે.


શેર બજાર તુટ્યું પણ SIP રોકાણ વધ્યું


રસપ્રદ બાબત એ છે કે ડિસેમ્બર મહિનામાં Niftyમાં ઘટાડો નોંધાયો છે તેમ છતાં ઈક્વિટી ફંડ રોકાણમાં ત્રણ ગણો ઉછાળો નોંધાયો છે. ઈક્વિટી ફંડ કેટેગરી હેઠળ 380 સ્કીમોમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ સ્કીમોમાં કુલ 7,303 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કેટેગરીમાં સૌથી વધું સ્મોલ કેપ ફંડોમાં 2,245 કરોડનું રોકાણ આવ્યું છે.  નબેમ્બરમાં ઈક્વિટી ફંડમાં કુલ 2,258 કરોડ રૂપિયાનો ઇનફ્લો આવ્યો હતો. જો કે ટોટલ એસેટ અંડર મેનેજમેન્ટ 40 લાખ કરોડથી થોડું ઓછું થયું છે. અને તેમાં નવેમ્બરની તુલનામાં 50 હજાર કરોડનો ઘટાડો નોંધાયો છે.   


શા માટે SIPમાં રોકાણ વધ્યું?


ડિસેમ્બર 2022માં SIP ખાતાઓમાં 7,85,102ની વૃધ્ધી થઈ છે. AMFIના CEO એન.એસ. વેંકટેશે કહ્યું, લોન્ગ ટર્મ લક્ષ્ય માટે ઈક્વિટી બજારોમાં SIP મારફતે રોકાણનું મહત્વ રિટેલ રોકાણકારોને સમજાઈ રહ્યું છે. રોકાણકારો તેમના લાંબાગાળાના આર્થિક લક્ષ્યો સિધ્ધ કરવા માટે SIP પર ભરોસો કરી રહ્યા છે, કારણ કે લાંબાગાળે SIP રોકાણમાં સારૂ રિટર્ન મળે છે. આ જ કારણ છે કે દેશભરના રોકાણકારો SIP તરફ આકર્ષાયા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.