SIPએ બનાવ્યો રેકોર્ડ, ઈક્વિટી ફંડમાં રોકાણ ત્રણ ગણું વધ્યું, આંકડો 13,573 કરોડને પાર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:33:39

એક સમય હતો જ્યારે લોકો તેમની બચતની રકમની બેંકમાં એફ ડી કરાવતા હતા. જો કે હવે આજની પેઢી બેંકમાં એફડી કરાવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરાવવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે દેશમાં દર વર્ષે SIP રોકાણ વધી રહ્યું છે. Association of Mutual Funds in India (AMFI)એ ડિસેમ્બર મહિના માટે જાહેર કરેલા ડેટા મુજબ SIP ઈન્ફ્લોનો આંકડો પહેલી વખત 13,500 કરોડને વટાવી ગયો છે. ઈક્વિટી ફંડ પ્રત્યે રોકાણકારોનો ભરોસો વધ્યો છે.


શેર બજાર તુટ્યું પણ SIP રોકાણ વધ્યું


રસપ્રદ બાબત એ છે કે ડિસેમ્બર મહિનામાં Niftyમાં ઘટાડો નોંધાયો છે તેમ છતાં ઈક્વિટી ફંડ રોકાણમાં ત્રણ ગણો ઉછાળો નોંધાયો છે. ઈક્વિટી ફંડ કેટેગરી હેઠળ 380 સ્કીમોમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ સ્કીમોમાં કુલ 7,303 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કેટેગરીમાં સૌથી વધું સ્મોલ કેપ ફંડોમાં 2,245 કરોડનું રોકાણ આવ્યું છે.  નબેમ્બરમાં ઈક્વિટી ફંડમાં કુલ 2,258 કરોડ રૂપિયાનો ઇનફ્લો આવ્યો હતો. જો કે ટોટલ એસેટ અંડર મેનેજમેન્ટ 40 લાખ કરોડથી થોડું ઓછું થયું છે. અને તેમાં નવેમ્બરની તુલનામાં 50 હજાર કરોડનો ઘટાડો નોંધાયો છે.   


શા માટે SIPમાં રોકાણ વધ્યું?


ડિસેમ્બર 2022માં SIP ખાતાઓમાં 7,85,102ની વૃધ્ધી થઈ છે. AMFIના CEO એન.એસ. વેંકટેશે કહ્યું, લોન્ગ ટર્મ લક્ષ્ય માટે ઈક્વિટી બજારોમાં SIP મારફતે રોકાણનું મહત્વ રિટેલ રોકાણકારોને સમજાઈ રહ્યું છે. રોકાણકારો તેમના લાંબાગાળાના આર્થિક લક્ષ્યો સિધ્ધ કરવા માટે SIP પર ભરોસો કરી રહ્યા છે, કારણ કે લાંબાગાળે SIP રોકાણમાં સારૂ રિટર્ન મળે છે. આ જ કારણ છે કે દેશભરના રોકાણકારો SIP તરફ આકર્ષાયા છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.