SIPએ બનાવ્યો રેકોર્ડ, ઈક્વિટી ફંડમાં રોકાણ ત્રણ ગણું વધ્યું, આંકડો 13,573 કરોડને પાર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:33:39

એક સમય હતો જ્યારે લોકો તેમની બચતની રકમની બેંકમાં એફ ડી કરાવતા હતા. જો કે હવે આજની પેઢી બેંકમાં એફડી કરાવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરાવવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે દેશમાં દર વર્ષે SIP રોકાણ વધી રહ્યું છે. Association of Mutual Funds in India (AMFI)એ ડિસેમ્બર મહિના માટે જાહેર કરેલા ડેટા મુજબ SIP ઈન્ફ્લોનો આંકડો પહેલી વખત 13,500 કરોડને વટાવી ગયો છે. ઈક્વિટી ફંડ પ્રત્યે રોકાણકારોનો ભરોસો વધ્યો છે.


શેર બજાર તુટ્યું પણ SIP રોકાણ વધ્યું


રસપ્રદ બાબત એ છે કે ડિસેમ્બર મહિનામાં Niftyમાં ઘટાડો નોંધાયો છે તેમ છતાં ઈક્વિટી ફંડ રોકાણમાં ત્રણ ગણો ઉછાળો નોંધાયો છે. ઈક્વિટી ફંડ કેટેગરી હેઠળ 380 સ્કીમોમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ સ્કીમોમાં કુલ 7,303 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કેટેગરીમાં સૌથી વધું સ્મોલ કેપ ફંડોમાં 2,245 કરોડનું રોકાણ આવ્યું છે.  નબેમ્બરમાં ઈક્વિટી ફંડમાં કુલ 2,258 કરોડ રૂપિયાનો ઇનફ્લો આવ્યો હતો. જો કે ટોટલ એસેટ અંડર મેનેજમેન્ટ 40 લાખ કરોડથી થોડું ઓછું થયું છે. અને તેમાં નવેમ્બરની તુલનામાં 50 હજાર કરોડનો ઘટાડો નોંધાયો છે.   


શા માટે SIPમાં રોકાણ વધ્યું?


ડિસેમ્બર 2022માં SIP ખાતાઓમાં 7,85,102ની વૃધ્ધી થઈ છે. AMFIના CEO એન.એસ. વેંકટેશે કહ્યું, લોન્ગ ટર્મ લક્ષ્ય માટે ઈક્વિટી બજારોમાં SIP મારફતે રોકાણનું મહત્વ રિટેલ રોકાણકારોને સમજાઈ રહ્યું છે. રોકાણકારો તેમના લાંબાગાળાના આર્થિક લક્ષ્યો સિધ્ધ કરવા માટે SIP પર ભરોસો કરી રહ્યા છે, કારણ કે લાંબાગાળે SIP રોકાણમાં સારૂ રિટર્ન મળે છે. આ જ કારણ છે કે દેશભરના રોકાણકારો SIP તરફ આકર્ષાયા છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.