ક્રિતી સેનન અને ડાયરેક્ટના કિસ વિવાદ પર રામાયણ સિરીયલના સીતાજીએ આપી પ્રતિક્રિયા! સીતાજી વિશે દીપિકા ચીખલિયાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-09 15:35:29

આદિપુરૂષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. ફિલ્મમાં પાત્ર નિભાવનાર કલાકારો સતત ચર્ચામાં આવી રહ્યા છે. ફિલ્મના રિલીઝ પહેલા ફિલ્મ હીટ જાય તે માટે કલાકારો ભગવાનના શરણે જતા હોય છે. ત્યારે ફિલ્મમાં સીતાનું પાત્ર નિભાવનાર ક્રિતી સેનન વિવાદમાં ફસાઈ છે. ટ્રેલર લોન્ચ થયા બાદ વેંકટેશ્વર મંદિરના દર્શને ક્રિતી સેનન અને ડિરેક્ટર ઓમ રાઉત ગયા હતા ત્યારે ઓમ રાઉતે ક્રિતી સેનને ગાલ પર કિસ કરી અને હગ કરી હતી. મંદિરમાં આ પ્રકારનું વર્તન કરતા મંદિરના પૂજારી તેમજ ધાર્મિક ગુરૂઓએ નારાજગી દર્શાવી હતી. ત્યારે આ મામલે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દિપીકા ચીખલિયાએ પ્રતિક્રિયા આપી છે.


પાત્રની ગરિમા જાળવવી જરૂરી છે - દિપીકા ચીખલિયા

રામાયણના સિરીયલના સીતાજીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ક્રિતીએ વિચારવું જોઈએ કે તે સીતાનું પાત્ર ભજવી રહી છે. તેઓ હજુ સુધી આ પાત્રના મહત્ત્વથી વાકેફ નથી. સીતાજી લોકો માટે લાગણી સમાન છે. તેથી જ આ ભૂમિકાની ગરિમા જાળવવી જરૂરી છે.' દીપિકાએ કહ્યું કે 'જ્યારે તેઓ રામાયણનું શૂટિંગ કરતાં હતાં, ત્યારે તેઓ એકબીજાને ગળે લગાવતાં પણ નહોતાં, સેટ પર કિસની વાત તો દૂરની છે.'       


ધર્મગુરૂઓએ દર્શાવી હતી નારાજગી!

ક્રિતી સેનને અનેક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે મંગળવારે તિરૂપતિમાં ફિલ્મનું અંતિમ રિલીઝ થયું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. ટ્રેલર રિલીઝ થયા બાદ ક્રિતી સેનન અને ફિલ્મ નિર્માતાઓ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ક્રિતી સેનન જ્યારે બહાર આવી રહી હતી તે દરમિયાન ઓમ રાઉતે કૃતિના ગાલ પર ચૂંબન કર્યું હતું. આ વાતનો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ધર્મગુરૂઓએ વીડિયો સામે આવતા પોતાની નારાજગી દર્શાવી છે. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા પૂજારીએ કહ્યું કે આ નિંદનીય કૃત્ય છે. પતિ પત્ની પણ ત્યાં સાથે નથી જતા. તમારૂં વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.