ક્રિતી સેનન અને ડાયરેક્ટના કિસ વિવાદ પર રામાયણ સિરીયલના સીતાજીએ આપી પ્રતિક્રિયા! સીતાજી વિશે દીપિકા ચીખલિયાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-09 15:35:29

આદિપુરૂષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. ફિલ્મમાં પાત્ર નિભાવનાર કલાકારો સતત ચર્ચામાં આવી રહ્યા છે. ફિલ્મના રિલીઝ પહેલા ફિલ્મ હીટ જાય તે માટે કલાકારો ભગવાનના શરણે જતા હોય છે. ત્યારે ફિલ્મમાં સીતાનું પાત્ર નિભાવનાર ક્રિતી સેનન વિવાદમાં ફસાઈ છે. ટ્રેલર લોન્ચ થયા બાદ વેંકટેશ્વર મંદિરના દર્શને ક્રિતી સેનન અને ડિરેક્ટર ઓમ રાઉત ગયા હતા ત્યારે ઓમ રાઉતે ક્રિતી સેનને ગાલ પર કિસ કરી અને હગ કરી હતી. મંદિરમાં આ પ્રકારનું વર્તન કરતા મંદિરના પૂજારી તેમજ ધાર્મિક ગુરૂઓએ નારાજગી દર્શાવી હતી. ત્યારે આ મામલે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દિપીકા ચીખલિયાએ પ્રતિક્રિયા આપી છે.


પાત્રની ગરિમા જાળવવી જરૂરી છે - દિપીકા ચીખલિયા

રામાયણના સિરીયલના સીતાજીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ક્રિતીએ વિચારવું જોઈએ કે તે સીતાનું પાત્ર ભજવી રહી છે. તેઓ હજુ સુધી આ પાત્રના મહત્ત્વથી વાકેફ નથી. સીતાજી લોકો માટે લાગણી સમાન છે. તેથી જ આ ભૂમિકાની ગરિમા જાળવવી જરૂરી છે.' દીપિકાએ કહ્યું કે 'જ્યારે તેઓ રામાયણનું શૂટિંગ કરતાં હતાં, ત્યારે તેઓ એકબીજાને ગળે લગાવતાં પણ નહોતાં, સેટ પર કિસની વાત તો દૂરની છે.'       


ધર્મગુરૂઓએ દર્શાવી હતી નારાજગી!

ક્રિતી સેનને અનેક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે મંગળવારે તિરૂપતિમાં ફિલ્મનું અંતિમ રિલીઝ થયું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. ટ્રેલર રિલીઝ થયા બાદ ક્રિતી સેનન અને ફિલ્મ નિર્માતાઓ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ક્રિતી સેનન જ્યારે બહાર આવી રહી હતી તે દરમિયાન ઓમ રાઉતે કૃતિના ગાલ પર ચૂંબન કર્યું હતું. આ વાતનો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ધર્મગુરૂઓએ વીડિયો સામે આવતા પોતાની નારાજગી દર્શાવી છે. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા પૂજારીએ કહ્યું કે આ નિંદનીય કૃત્ય છે. પતિ પત્ની પણ ત્યાં સાથે નથી જતા. તમારૂં વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી