ક્રિતી સેનન અને ડાયરેક્ટના કિસ વિવાદ પર રામાયણ સિરીયલના સીતાજીએ આપી પ્રતિક્રિયા! સીતાજી વિશે દીપિકા ચીખલિયાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-09 15:35:29

આદિપુરૂષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. ફિલ્મમાં પાત્ર નિભાવનાર કલાકારો સતત ચર્ચામાં આવી રહ્યા છે. ફિલ્મના રિલીઝ પહેલા ફિલ્મ હીટ જાય તે માટે કલાકારો ભગવાનના શરણે જતા હોય છે. ત્યારે ફિલ્મમાં સીતાનું પાત્ર નિભાવનાર ક્રિતી સેનન વિવાદમાં ફસાઈ છે. ટ્રેલર લોન્ચ થયા બાદ વેંકટેશ્વર મંદિરના દર્શને ક્રિતી સેનન અને ડિરેક્ટર ઓમ રાઉત ગયા હતા ત્યારે ઓમ રાઉતે ક્રિતી સેનને ગાલ પર કિસ કરી અને હગ કરી હતી. મંદિરમાં આ પ્રકારનું વર્તન કરતા મંદિરના પૂજારી તેમજ ધાર્મિક ગુરૂઓએ નારાજગી દર્શાવી હતી. ત્યારે આ મામલે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દિપીકા ચીખલિયાએ પ્રતિક્રિયા આપી છે.


પાત્રની ગરિમા જાળવવી જરૂરી છે - દિપીકા ચીખલિયા

રામાયણના સિરીયલના સીતાજીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ક્રિતીએ વિચારવું જોઈએ કે તે સીતાનું પાત્ર ભજવી રહી છે. તેઓ હજુ સુધી આ પાત્રના મહત્ત્વથી વાકેફ નથી. સીતાજી લોકો માટે લાગણી સમાન છે. તેથી જ આ ભૂમિકાની ગરિમા જાળવવી જરૂરી છે.' દીપિકાએ કહ્યું કે 'જ્યારે તેઓ રામાયણનું શૂટિંગ કરતાં હતાં, ત્યારે તેઓ એકબીજાને ગળે લગાવતાં પણ નહોતાં, સેટ પર કિસની વાત તો દૂરની છે.'       


ધર્મગુરૂઓએ દર્શાવી હતી નારાજગી!

ક્રિતી સેનને અનેક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે મંગળવારે તિરૂપતિમાં ફિલ્મનું અંતિમ રિલીઝ થયું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. ટ્રેલર રિલીઝ થયા બાદ ક્રિતી સેનન અને ફિલ્મ નિર્માતાઓ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ક્રિતી સેનન જ્યારે બહાર આવી રહી હતી તે દરમિયાન ઓમ રાઉતે કૃતિના ગાલ પર ચૂંબન કર્યું હતું. આ વાતનો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ધર્મગુરૂઓએ વીડિયો સામે આવતા પોતાની નારાજગી દર્શાવી છે. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા પૂજારીએ કહ્યું કે આ નિંદનીય કૃત્ય છે. પતિ પત્ની પણ ત્યાં સાથે નથી જતા. તમારૂં વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .