નવરાત્રીના પાંચમા નોરતે થાય છે સ્કંદમાતાની ઉપાસના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 09:41:10

નવરાત્રીના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની ઉપાસના કરવામાં આવે છે. દેવી ભાગવત અનુસાર દેવીના અલગ-અલગ સ્વરૂપો સ્ત્રીના જીવનના અલગ અલગ તબક્કાને દર્શાવે છે. માતા પાર્વતી તેમજ ભગવાન શંકરના સંતાન કાર્તિકેય ભગવાનને સ્કંદ પણ કહેવામાં આવે છે. સ્કંદની માતા હોવાથી તેઓ સ્કંદમાતા કહેવાયા છે. માતાજી આ સ્વરૂપ ધારણ કરી ભક્તો રૂપી પોતાના સંતાનોની રક્ષા કરે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે જ્યારે દેવરાજ ઈન્દ્રએ કાર્તિકેયને હેરાન કર્યા હતા ત્યારે માતાજીએ સિંહ પર સવાર થઈ કાર્તિકેય સ્વામીની રક્ષા કરી તેમને પોતાના ખોળામાં લઈ લીધા હતા. જેના કારણે દેવરાજ ઈન્દ્ર ડરી ગયા અને માતા સ્કંદમાતાને પ્રાર્થના કરવા લાગ્યા.  

Skanthmata Puja Vidhi Five Day Of Navratri | અમોઘ ફળદાયિની છે માનું પાંચમું  સ્વરૂપ સ્કંધમાતા, આ રીતે પૂજન કરવાથી અપાર સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ


કેવું છે માતા સ્કંદમાતાનું સ્વરૂપ

માતાજીના સ્વરૂપની જો વાત કરીએ તો, માતા સિંહ પર સવાર થયા છે. પોતાની બે ભૂજામાં કમળ ધારણ કર્યું છે, એક હસ્તથી સ્વામી કાર્તિકેયનું રક્ષણ કરી રહ્યા છે અને એક હાથથી ભક્તોને આશીર્વાદ આપે છે. નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવા સાધકે સાધના કરી જોઈએ. માતાની ઉપાસના કરવાથી કુંડલિની જાગૃત થાય છે. તેમને પ્રસન્ન કરવા આ મંત્રનો જપ કરવો જોઈએ.  

चैत्र नवरात्रि: पांचवें दिन इस प्रभावशाली मंत्र से करें ''स्कंदमाता'' की  पूजा, मिलेगा मनचाहा वरदान | Hari Bhoomi

માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવાનો મંત્ર

“सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी."

અર્થાત સિંહ પર સવારી કરનાર અને  પોતાના બે હાથોમાં પદ્મ એટલે કમળ ધારણ કરનાર સ્કંદમાતા અમારૂ કલ્યાણ કરો અને અમને યશ આપો. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેના પર દેવી કૃપા દ્રષ્ટિ રાખે છે. પોતાના બાળ જેવી સંભાળ રાખે છે.એવું માનવામાં  આવે છે માતા સ્કંદની આરાધના કરતા પહેલા કુમાર સ્કંદને પ્રસન્ન કરવા જોઈએ. જો સંતાન પ્રસન્ન હશે તો માતા અવશ્ય પ્રસન્ન થઈ જશે. દેવીની કૃપાથી ઘરમાં સુખ,શાંતી અને સમૃદ્ધિનો વાસ રહે છે. માતાજીને નૈવેદ્ય તરીકે કેળા અર્પણ કરવામાં આવે છે. 









ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .