નવરાત્રીના પાંચમા નોરતે થાય છે સ્કંદમાતાની ઉપાસના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 09:41:10

નવરાત્રીના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની ઉપાસના કરવામાં આવે છે. દેવી ભાગવત અનુસાર દેવીના અલગ-અલગ સ્વરૂપો સ્ત્રીના જીવનના અલગ અલગ તબક્કાને દર્શાવે છે. માતા પાર્વતી તેમજ ભગવાન શંકરના સંતાન કાર્તિકેય ભગવાનને સ્કંદ પણ કહેવામાં આવે છે. સ્કંદની માતા હોવાથી તેઓ સ્કંદમાતા કહેવાયા છે. માતાજી આ સ્વરૂપ ધારણ કરી ભક્તો રૂપી પોતાના સંતાનોની રક્ષા કરે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે જ્યારે દેવરાજ ઈન્દ્રએ કાર્તિકેયને હેરાન કર્યા હતા ત્યારે માતાજીએ સિંહ પર સવાર થઈ કાર્તિકેય સ્વામીની રક્ષા કરી તેમને પોતાના ખોળામાં લઈ લીધા હતા. જેના કારણે દેવરાજ ઈન્દ્ર ડરી ગયા અને માતા સ્કંદમાતાને પ્રાર્થના કરવા લાગ્યા.  

Skanthmata Puja Vidhi Five Day Of Navratri | અમોઘ ફળદાયિની છે માનું પાંચમું  સ્વરૂપ સ્કંધમાતા, આ રીતે પૂજન કરવાથી અપાર સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ


કેવું છે માતા સ્કંદમાતાનું સ્વરૂપ

માતાજીના સ્વરૂપની જો વાત કરીએ તો, માતા સિંહ પર સવાર થયા છે. પોતાની બે ભૂજામાં કમળ ધારણ કર્યું છે, એક હસ્તથી સ્વામી કાર્તિકેયનું રક્ષણ કરી રહ્યા છે અને એક હાથથી ભક્તોને આશીર્વાદ આપે છે. નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવા સાધકે સાધના કરી જોઈએ. માતાની ઉપાસના કરવાથી કુંડલિની જાગૃત થાય છે. તેમને પ્રસન્ન કરવા આ મંત્રનો જપ કરવો જોઈએ.  

चैत्र नवरात्रि: पांचवें दिन इस प्रभावशाली मंत्र से करें ''स्कंदमाता'' की  पूजा, मिलेगा मनचाहा वरदान | Hari Bhoomi

માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવાનો મંત્ર

“सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी."

અર્થાત સિંહ પર સવારી કરનાર અને  પોતાના બે હાથોમાં પદ્મ એટલે કમળ ધારણ કરનાર સ્કંદમાતા અમારૂ કલ્યાણ કરો અને અમને યશ આપો. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેના પર દેવી કૃપા દ્રષ્ટિ રાખે છે. પોતાના બાળ જેવી સંભાળ રાખે છે.એવું માનવામાં  આવે છે માતા સ્કંદની આરાધના કરતા પહેલા કુમાર સ્કંદને પ્રસન્ન કરવા જોઈએ. જો સંતાન પ્રસન્ન હશે તો માતા અવશ્ય પ્રસન્ન થઈ જશે. દેવીની કૃપાથી ઘરમાં સુખ,શાંતી અને સમૃદ્ધિનો વાસ રહે છે. માતાજીને નૈવેદ્ય તરીકે કેળા અર્પણ કરવામાં આવે છે. 









ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.