પટનામાં મળેલી વિપક્ષી એકતા બેઠક પર ભાજપના નેતાઓએ કર્યો કટાક્ષ, સ્મૃતિ ઈરાની તેમજ અમિત શાહે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-06-23 14:57:44

બિહારના પટનામાં વિપક્ષ એકતા બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં ભાગ લેવા અનેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સમાવેશ થાય છે. ત્યારે આ બેઠકને લઈ ભાજપે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કર્યો છે. અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. જનસભા દરમિયાન તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.       

સ્મૃતિ ઈરાનીએ કર્યો કટાક્ષ

લોકસભાની ચૂંટણી પહેલા બિહારના પટના ખાતે વિપક્ષી પાર્ટીઓ દ્વારા એકતા બેઠક બોલાવવામાં આવી છે. જેમાં 15 જેટલા રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. ભાજપના નેતાઓ દ્વારા આ વાતને લઈ કટાક્ષ કરવામાં આવ્યો છે. આ મામલે પહેલા સ્મૃતિ ઈરાનીએ પ્રતિક્રિયા આપી હતી તે બાદ અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. બેઠકને લઈ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું કોંગ્રેસના આભાર માનું છું કે તેમણે જાહેર કરી દીધું કે તે પીએમ મોદીને એકલા હરાવવા માટે સક્ષમ નથી. તેમને આ કરવા માટે બીજાના સહારાની જરૂરત છે.


પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે - અમિત શાહ

જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા અમિત શાહે પણ પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે આજે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. બધા વિપક્ષના નેતાઓ એક મંચ પર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ભાજપ તેમજ મોદીજીને પડકાર આપીશું. વિપક્ષને કહેવા માંગુ છું કે જેટલા પણ હાથ મલાવી દો, તમે લોકો એક સાથે નહીં આવી શકે. અને જો સાથે આવી પણ ગયા તો 2024માં મોદીજીની 300થી વધારે સીટો આવવાની ફાઈનલ છે. તે સિવાય અમિત શાહ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. મહત્વનું છે કે રાહુલ ગાંધી પટના પહોંચે તે પહેલા દેવદાસ સાથે તેમને સરખાવવામાં આવ્યા હોય તેવા પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.