પટનામાં મળેલી વિપક્ષી એકતા બેઠક પર ભાજપના નેતાઓએ કર્યો કટાક્ષ, સ્મૃતિ ઈરાની તેમજ અમિત શાહે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-06-23 14:57:44

બિહારના પટનામાં વિપક્ષ એકતા બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં ભાગ લેવા અનેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સમાવેશ થાય છે. ત્યારે આ બેઠકને લઈ ભાજપે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કર્યો છે. અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. જનસભા દરમિયાન તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.       

સ્મૃતિ ઈરાનીએ કર્યો કટાક્ષ

લોકસભાની ચૂંટણી પહેલા બિહારના પટના ખાતે વિપક્ષી પાર્ટીઓ દ્વારા એકતા બેઠક બોલાવવામાં આવી છે. જેમાં 15 જેટલા રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. ભાજપના નેતાઓ દ્વારા આ વાતને લઈ કટાક્ષ કરવામાં આવ્યો છે. આ મામલે પહેલા સ્મૃતિ ઈરાનીએ પ્રતિક્રિયા આપી હતી તે બાદ અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. બેઠકને લઈ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું કોંગ્રેસના આભાર માનું છું કે તેમણે જાહેર કરી દીધું કે તે પીએમ મોદીને એકલા હરાવવા માટે સક્ષમ નથી. તેમને આ કરવા માટે બીજાના સહારાની જરૂરત છે.


પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે - અમિત શાહ

જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા અમિત શાહે પણ પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે આજે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. બધા વિપક્ષના નેતાઓ એક મંચ પર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ભાજપ તેમજ મોદીજીને પડકાર આપીશું. વિપક્ષને કહેવા માંગુ છું કે જેટલા પણ હાથ મલાવી દો, તમે લોકો એક સાથે નહીં આવી શકે. અને જો સાથે આવી પણ ગયા તો 2024માં મોદીજીની 300થી વધારે સીટો આવવાની ફાઈનલ છે. તે સિવાય અમિત શાહ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. મહત્વનું છે કે રાહુલ ગાંધી પટના પહોંચે તે પહેલા દેવદાસ સાથે તેમને સરખાવવામાં આવ્યા હોય તેવા પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.