પટનામાં મળેલી વિપક્ષી એકતા બેઠક પર ભાજપના નેતાઓએ કર્યો કટાક્ષ, સ્મૃતિ ઈરાની તેમજ અમિત શાહે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-06-23 14:57:44

બિહારના પટનામાં વિપક્ષ એકતા બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં ભાગ લેવા અનેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સમાવેશ થાય છે. ત્યારે આ બેઠકને લઈ ભાજપે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કર્યો છે. અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. જનસભા દરમિયાન તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.       

સ્મૃતિ ઈરાનીએ કર્યો કટાક્ષ

લોકસભાની ચૂંટણી પહેલા બિહારના પટના ખાતે વિપક્ષી પાર્ટીઓ દ્વારા એકતા બેઠક બોલાવવામાં આવી છે. જેમાં 15 જેટલા રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. ભાજપના નેતાઓ દ્વારા આ વાતને લઈ કટાક્ષ કરવામાં આવ્યો છે. આ મામલે પહેલા સ્મૃતિ ઈરાનીએ પ્રતિક્રિયા આપી હતી તે બાદ અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. બેઠકને લઈ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું કોંગ્રેસના આભાર માનું છું કે તેમણે જાહેર કરી દીધું કે તે પીએમ મોદીને એકલા હરાવવા માટે સક્ષમ નથી. તેમને આ કરવા માટે બીજાના સહારાની જરૂરત છે.


પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે - અમિત શાહ

જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા અમિત શાહે પણ પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે આજે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. બધા વિપક્ષના નેતાઓ એક મંચ પર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ભાજપ તેમજ મોદીજીને પડકાર આપીશું. વિપક્ષને કહેવા માંગુ છું કે જેટલા પણ હાથ મલાવી દો, તમે લોકો એક સાથે નહીં આવી શકે. અને જો સાથે આવી પણ ગયા તો 2024માં મોદીજીની 300થી વધારે સીટો આવવાની ફાઈનલ છે. તે સિવાય અમિત શાહ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. મહત્વનું છે કે રાહુલ ગાંધી પટના પહોંચે તે પહેલા દેવદાસ સાથે તેમને સરખાવવામાં આવ્યા હોય તેવા પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.