Heart Attackને કારણે એક જ દિવસમાં થયા આટલા લોકોના મોત! જાણો ક્યાંથી આવ્યા બનાવ?


  • Published By :
  • Published Date : 2023-10-19 16:54:45

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. 24 કલાકમાં 6 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવી માહિતી સામે આવી છે. કોઈને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવ્યો છે તો કોઈને ખેતરમાં કામ કરતી વખતે આવે છે. પહેલા એવો સમય હતો જ્યારે માનવામાં આવતું હતું મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે પરંતુ કોરોના બાદ તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવાનો તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. 


એક જ દિવસમાં થયા અનેક લોકોના મોત!

આપણે ત્યાં મૃત્યુને અંતિમ સત્ય માનવામાં આવે છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે જે આવ્યું છે તેનું જવું પણ નિશ્ચિત છે પરંતુ કોઈ ક્યારે અને કેવી રીતે જશે તેની જાણ કોઈને નથી હોતી. મોત ગમે ત્યારે આવી જાય છે. ત્યારે કોરોના બાદ યુવાનોમાં હૃદય હુમલાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક દિવસોથી આવા સમાચાર સતત આવી રહ્યા છે જેમાં આશાવાદી યુવાનો મોતને ભેટી રહ્યા છે. દિવસ દરમિયાન એકાદ સમાચાર તો આવ્યા હોય જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. અનેકો કિસ્સા આપણી સામે છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 


દ્વારકામાં બે યુવાનોએ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો જીવ! 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. અનેક ચુવાનો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે ત્યારે આજે વધુ 6 જેટલા લોકો રાજ્યમાં હાર્ટ એટેકના શિકાર બન્યા છે. બે મોત દ્વારકામાં થયા હોય તેવી માહિતી સામે આવી રહી છે. એક જ દિવસમાં બે ખેડૂતોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે. દ્વારકા જિલ્લાના ઠાકર શેરડી ગામમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી આશંકા તેમના પરિવારજનોને છે. જ્યારે અન્ય એક કિસ્સો ખંભાળિયાના શક્તિનગરમાં બન્યો છે. યુવક ખેતી કામ કરી રહ્યો હતો તે વખતે તે અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. પરિવારજનના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.  


જામનગરથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો!

તે સિવાય અમરેલીમાં રહેતા એક યુવાને પણ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. નવરાત્રી નિમિત્તે રાખવામાં આવેલા કાર્યક્રમમાં તે અચાનક બેભાન થઈ ગયો. તે સિવાય હાર્ટ એટેકના સમાચાર જામનગરથી પણ સામે આવ્યા છે. જામનગરના સેના નગરમાં રહેતો યુવક તાવ તેમજ શરદીની દવા લેવા હોસ્પિટલ જતો હતો.  તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેનું મોત થઈ ગયું.


રિક્ષા ચાલકને અચાનક આવ્યો હાર્ટ એટેક!

તે ઉપરાંત બાબરા-અમરેલી હાઈવે પર રિક્ષા ચલાવી રહેલા ચાલકને અચાનક હૃદય હુમલો ઉપડ્યો અને તેમનું મોત રિક્ષામાં જ થઈ ગયું તેવા સમાચાર સામે આવ્યા છે. તે સિવાય હાર્ટ એટેકના કિસ્સાઓ રાજકોટ, સાબરકાંઠા, મહેસાાણાથી પણ સામે આવ્યા છે.


વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર

મહત્વનું છે કે નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. આજકાલની લાઈફસ્ટાઈલ તેમજ ખાણીપીણીને કારણે, અનિયમિત ઉંઘને કારણે, કસરત ન કરવાને કારણે સહિતના અનેક કારણો હોઈ શકે છે જેને કારણે લોકો શિકાર બની રહ્યા છે હાર્ટ એટેકના. તે સિવાય વધારે સ્ટ્રેસ લેવાને કારણે પણ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. શાળામાં ભણતા બાળકોના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. બાળકોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી રાજકોટ ડીઈઓએ મૌખિકમાં સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ પાસે વધારે શારીરિક શ્રમ ન કરાવો. કોરોના બાદ વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ચિંતાનો વિષય બન્યો છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.