કફ સિરપ પીવાને કારણે વિશ્વ ભરમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ! WHOએ આપ્યા તપાસના આદેશ, વાંચો


  • Published By :
  • Published Date : 2023-06-21 10:34:46

આપણે અનેક વખત સાંભળ્યું છે કે કફ સિરપને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. જલ્દી સારા થઈ જઈએ તે માટે વપરાતી કફ સિરપ ઘાતક સાબિત થઈ રહી છે. કફ સિરપ પિવાના કારણે દુનિયાભરમાં 300 લોકોના મોત થયા છે, વિશ્વ આરોગ્ય સંસ્થાના ધ્યાનમાં આ વાત આવી તો તેણે તપાસના આદેશ આપ્યા, તપાસમાં મોટો ધડાકો થયો કારણ કે મૂળ જાણવા મળ્યું કે આ ઘાતક કફ સિરફ ભારત અને ઈન્ડોનેશિયામાં બની હતી. ટૂંકમાં ભારત અને ઈન્ડોનેશિયાની દવાના કારણે દુનિયાના 300 લોકોના મોત થઈ ગયા છે જે અતિ ગંભીર છે. આ ઘટના આપણી આરોગ્ય વિભાગ પર આંગળી ચીંધે છે.   


ખરાબ દવાઓને કારણે થયા 300 જેટલા લોકોના મોત! 

વિશ્વમાં કફ સિરપ, કફની દવાઓ, પેરાસિટામોલ અને વિટામિન્સ જેવી દવાઓથી 300 જેટલા લોકોના મોત થયા છે. આ બનાવો મામલે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ દવા ભારતમાં બની હતી. આ બધી જ દવાઓ હરિયાણા, નોઈડા અને પંજાબની દવા બનાવતી કંપનીમાં બની હતી. ગયા વર્ષે આફ્રિકાના ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં પંદર દવા બાબતે પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તમને ખબર હશે ગાંબિયામાં 88 મોત થઈ ગયા હતા જેને ભારતની દવા સાથે જોડવામાં આવ્યું હતું. ઈન્ડોનેશિયાના માઈક્રોનેશિયા અને માર્શલ આઈલેન્ડમાં પણ 200 લોકોના મોત થયા હતા. જુનમાં નાઈજિરિયન ડ્રગ કન્ટ્રોલે પણ પેરાસિટામોલ સિરપમાં અજીબ પ્રકારની વસ્તુ જોવા મળી હતી જેથી તેમણે અલર્ટ જાહેર કર્યું હતું.


વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપ્યા તપાસના આદેશ!

આ મામલે તપાસ કરવામાં આવી હતી, જાણવા એવું મળ્યું કે આ દવા મુંબઈની કંપનીએ બનાવી હતી. આવા મોતના બનાવો સતત બીજા દેશોમાંપણ જોવા મળતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ અલર્ટ બહાર પાડ્યું અને તપાસ કરી કે આવું થઈ કેમ રહ્યું છે અને કયા દેશની દવાઓથી આવું થાય છે તે જાણવા નોટીસ બહાર પાડી. વિશ્વ આરોગ્ય સંસ્થાની તપાસમાં જાણવા મળ્યું કે આ સિરપમાંથી સાત સિરપ તો ભારતમાં બની છે. જો કે એ વાત અલગ છે કે ભારતની દવાના કારણે મો થયા છે એ સ્થાપિત નથી થયું. ભારતની દવા મામલે અલ્ટિમેટમ અપાયા બાદ આપણી આરોગ્ય સંસ્થા પણ સજાગ થઈ ગઈ કારણ કે આ તો આંતરરાષ્ટ્રીય ફજેતી થાય તેવી વાત કહી. ફજેતી તો દૂર લોકો મરી રહ્યા હતા જે ગંભીર વિષય હતો. તો જે દવાઓ બીજા દેશમાં મોકલવામાં આવે છે તેને જહાજમાં ચઢાવવા પહેલા એકવાર ચેક કરવાનો આદેશ અપાયો. 


બાળકો માટે ઘાતક સાબિત થતી કફ સિરપ!

વિગતવાર વાત કરીએ તો ગયા વર્ષે ગામ્બિયામાં 70 બાળકોના ઘાતક કફ સિરપના કારણે મોત થયા હતા, એ પછી ઉઝબેકિસ્તાનમાં ભારતની બે સિરપના કારણે 18 બાળકોને કિડનીની તકલીફ થઈ હતી. અને હવે ઈન્ડોનેશિયામાં 200 બાળકોને કિડની ફેલ થઈ હોવાના કારણે મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બધી દવાઓ ભારતના હરિયાણા, પંજાબ અને નોયડામાં બની છે. આ વિષયની વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક મોત પણ બહુ ગંભીર ઘટના હોય છે અને વિશ્વમાં ખરાબ દવાઓના કારણે 300 લોકોના મોત થઈ ગયા છે. આ મામલે એક ચોક્કસ સિસ્ટમ ઉભી કરવી જોશે. જો નહીં થાય તો બોગસ કંપનીઓ આવી દવા બનાવતી રહેશે અને ભારત આવી જ રીતે બદનામ થતું રહેશે,



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.