સોનાલી ફોગાટને સેક્સ ઉત્તેજના કે મારવા માટે આપવામાં આવ્યું હતું મેથામ્ફેટામાઈન?, જાણો કેટલું છે ખતરનાક?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 12:55:39

ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેતા સોનાલી ફોગાટના મોત મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. આરોપીઓએ સોનાલીને ગોવાની કર્લીઝ રેસ્ટોરન્ટમાં મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ આપ્યું હતું. અંજુના પોલીસે કર્લીઝ રેસ્ટોરન્ટના વોશરૂમમાંથી ડ્રગ્સ કબજે કર્યું હતું. આ ડ્રગ્સની તપાસ બાદ તે મેથામ્ફેટામાઈન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સોનાલી ફોગાટના અંગત સહાયક સુધીર સાંગવાન, અન્ય સહયોગી સુખવિંદર સિંહ, રેસ્ટોરન્ટના માલિક એડવિન ન્યૂન્સ અને કથિત ડ્રગ સ્મગલર દત્તા પ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. સુખવિંદર અને સુધીર સાંગવાન સામે હત્યાની કલમો હેઠળ જ્યારે ગાંવકર અને ન્યૂન્સ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસમાં જાણવા મળ્યું છે કે દત્તા પ્રસાદ ગાંવકરે કથિત રીતે સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને માદક દ્રવ્ય પહોચાડ્યું હતું. ગાંવકર તે અંજુના હોટેલનો કર્મચારી છે જ્યાં ફોગાટ રોકાઈ હતી. બંને આરોપીઓએ તેમના નિવેદનમાં શંકાસ્પદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યાનું કબૂલ્યું હતું, ત્યારબાદ શંકાસ્પદ ડ્રગ સ્મગલર દત્તાપ્રસાદ ગાંવકરને અંજુનાથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.


મેથામ્ફેટામાઇન ડ્ર્ગ્સ શું છે?


નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ એબ્યુઝ (NIDA) અનુસાર, મેથામ્ફેટામાઇન ખૂબ જ ખતરનાક અને શક્તિશાળી ડ્રગ્સ છે. જો કોઈ તેનું સેવન કરે છે, તો તે ખૂબ જ ઝડપથી વ્યસની બની જાય છે. આનું કારણ એ છે કે મેથામ્ફેટામાઇન ડ્રગ તેનું સેવન કરનારાની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે.


મેથામ્ફેટામાઇનની અસરો?

-મેથામ્ફેટામાઇન મૂડને સુધારી શકે છે, થુબ જ થાકેલી વ્યક્તિઓમાં સતર્કતા, એકાગ્રતા અને ઊર્જા વધારી શકે છે.

- ભૂખ ઓછી લાગે છે અને વજન પણ ઘટે છે.

- શરીરમાં ઉત્તેજક મનોવિકૃતિ (દા.ત., પેરાનોઇયા, મતિભ્રમ અને ચિત્તભ્રમણા) ને ઉત્તેજિત કરે છે અને હિંસક વર્તનને તીવ્ર બનાવે છે.

- જાતીય ઉત્તેજના વધારે છે. તેના માટે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ ઘણા દિવસો સુધી તેનું સેવન કરે તો વૃદ્ધાવસ્થામાં પણ સેક્સ માટે તેની ઉત્તેજના વધી જાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.