સોનાલી ફોગાટને સેક્સ ઉત્તેજના કે મારવા માટે આપવામાં આવ્યું હતું મેથામ્ફેટામાઈન?, જાણો કેટલું છે ખતરનાક?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 12:55:39

ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેતા સોનાલી ફોગાટના મોત મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. આરોપીઓએ સોનાલીને ગોવાની કર્લીઝ રેસ્ટોરન્ટમાં મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ આપ્યું હતું. અંજુના પોલીસે કર્લીઝ રેસ્ટોરન્ટના વોશરૂમમાંથી ડ્રગ્સ કબજે કર્યું હતું. આ ડ્રગ્સની તપાસ બાદ તે મેથામ્ફેટામાઈન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સોનાલી ફોગાટના અંગત સહાયક સુધીર સાંગવાન, અન્ય સહયોગી સુખવિંદર સિંહ, રેસ્ટોરન્ટના માલિક એડવિન ન્યૂન્સ અને કથિત ડ્રગ સ્મગલર દત્તા પ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. સુખવિંદર અને સુધીર સાંગવાન સામે હત્યાની કલમો હેઠળ જ્યારે ગાંવકર અને ન્યૂન્સ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસમાં જાણવા મળ્યું છે કે દત્તા પ્રસાદ ગાંવકરે કથિત રીતે સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને માદક દ્રવ્ય પહોચાડ્યું હતું. ગાંવકર તે અંજુના હોટેલનો કર્મચારી છે જ્યાં ફોગાટ રોકાઈ હતી. બંને આરોપીઓએ તેમના નિવેદનમાં શંકાસ્પદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યાનું કબૂલ્યું હતું, ત્યારબાદ શંકાસ્પદ ડ્રગ સ્મગલર દત્તાપ્રસાદ ગાંવકરને અંજુનાથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.


મેથામ્ફેટામાઇન ડ્ર્ગ્સ શું છે?


નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ એબ્યુઝ (NIDA) અનુસાર, મેથામ્ફેટામાઇન ખૂબ જ ખતરનાક અને શક્તિશાળી ડ્રગ્સ છે. જો કોઈ તેનું સેવન કરે છે, તો તે ખૂબ જ ઝડપથી વ્યસની બની જાય છે. આનું કારણ એ છે કે મેથામ્ફેટામાઇન ડ્રગ તેનું સેવન કરનારાની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે.


મેથામ્ફેટામાઇનની અસરો?

-મેથામ્ફેટામાઇન મૂડને સુધારી શકે છે, થુબ જ થાકેલી વ્યક્તિઓમાં સતર્કતા, એકાગ્રતા અને ઊર્જા વધારી શકે છે.

- ભૂખ ઓછી લાગે છે અને વજન પણ ઘટે છે.

- શરીરમાં ઉત્તેજક મનોવિકૃતિ (દા.ત., પેરાનોઇયા, મતિભ્રમ અને ચિત્તભ્રમણા) ને ઉત્તેજિત કરે છે અને હિંસક વર્તનને તીવ્ર બનાવે છે.

- જાતીય ઉત્તેજના વધારે છે. તેના માટે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ ઘણા દિવસો સુધી તેનું સેવન કરે તો વૃદ્ધાવસ્થામાં પણ સેક્સ માટે તેની ઉત્તેજના વધી જાય છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.