થ્રી ઈડિયટસ ફિલ્મથી જાણીતા સોનમ વાંગચુકે -40 ડિગ્રીમાં ભૂખ હડતાળની કરી જાહેરાત, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-23 20:01:59

લદ્દાખના જાણીતા શિક્ષણકાર, સમાજ સુધારક અને જેમના જીવન પર ફિલ્મ થ્રી ઈડિયટ બની હતી તે સોનમ વાંગચુક લદ્દાખમાં ક્લાઈમેટ ચેન્જના મુદ્દે પાંચ દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે વડાપ્રધાન મોદીને લદ્દાખના ગ્લેશિયર બચાવવા માટે અપીલ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, અહીં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર લુપ્ત થવાને આરે છે. 


સોનમ વાંગચુકે ઉપવાસનું હથિયાર ઉગામ્યું


સોનમ વાંગચુકે એક વીડિયો જાહેર કરી -40 ડિગ્રી ટેમ્પરેચરવાળા ખાર્દુંગલામાં 26 જાન્યુઆરીથી પાંચ દિવસ સુધી ભૂખ હડતાળ કરવાની પણ ઘોષણા કરી હતી. લદ્દાખની પર્યાવરણ સહિતની વિવિધ સમસ્ચાઓના મુદ્દે PMનું ધ્યાન આકર્ષવા માટે તેમણે ઉપવાસનું આ હથિયાર ઉગામ્યું છે.  સોનમે આ ઉપવાસને ક્લાઈમેટ ફાસ્ટ ગણાવ્યું છે. આ વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લદ્દાખ અંગે હાઈ લેવલ પર એક્શન લેવાની માગ કરી છે. તેમણે કહ્યું- પીએમ મોદીને મારી અપીલ છે કે, લદ્દાખ અને અન્ય હિમાલયન પ્રદેશોને ઓદ્યોગિક શોષણથી બચાવે કેમ કે, એ લદ્દાખના લોકોના જીવન પર અસર કરશે. તે ઉપરાંત વીડિયો તેમણે લદ્દાખની જનજાતિઓ, ઉદ્યોગો અને ગ્લેશિયરની સહિતની વિવિધ સમસ્યાઓ અંગે વાત કરી હતી. 


ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે- સોનમ વાંગચુક


સોનમ વાંગચુકે વીડિયોના માધ્યમથી સરકારને વિનંતી કરતા કહ્યું કે, લદ્દાખમાં બેદરકારી ચાલુ રહી, લદ્દાખને ઉદ્યોગોથી સુરક્ષા ન અપાઈ, તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. કેમ કે ઉદ્યોગના કારણે અહીં પાણીની કમી ઉદ્ભવશે. લદ્દાખના લોકો પાંચ લિટર પ્રતિ દિવસ પ્રમાણે પાણીનો ઉપયોગ કરે છે. જો અહીં સેંકડો ઉદ્યોગ ઊભા થયા, માઈનિંગ થયું તો ધૂળ અને ધુમાડાથી ગ્લેશિયર ખતમ થઈ જશે. તેમણે પોતાના અંગે કહ્યું કે જો -40 ડિગ્રી ટેમ્પરેચરમાં હું જીવતો રહીશ તો લોકોને મળીશ. તે ઉપરાંત તેમણે કહ્યું કે  કાશ્મીર યુનિવર્સિટી અને અન્ય રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, જો લદ્દાખ પર ધ્યાન આપવામાં ન આવ્યું તો લેહ-લદ્દાખમાં બે તૃતીયાંશ ગ્લેશિયર સમાપ્ત થઈ જશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.