મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે આવ્યો સોનિયા ગાંધીનો સંદેશ! હિંસા મુદ્દે ચર્ચા કરવા અમિત શાહે બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-06-22 13:02:01

મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ઘણો સમય વીતિ ગયા પરંતુ મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. દરરોજ ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એક વખત ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. ગુરૂવારે સવારના સમયે ઈમ્ફાલના નોર્થ બોલઝાંદમાં અજાણ્યા વ્યક્તિઓ અને આસામ રાઈફલ્સ વચ્ચે ફાયરિંગ થયું હતું. તે પહેલા બુધવાર સાંજે પણ હિંસાની ઘટના સામે આવી હતી. વધતી હિંસાની પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂનના રોજ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

     


મણિપુરમાં ફરી બની ફાયરિંગની ઘટના!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થતી હિંસાના સમાચારો આપણી સામે આવ્યા છે. હિંસા ભડકે અંદાજીત 50 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ ત્યાં ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસા વધુ ભડકી રહી છે. બુધવારે પણ ત્યાંથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ગુરૂવારે પણ ત્યાં ફાયરિંગ થયા હોવાની ઘટના બની છે. અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા, સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. 


અમિત શાહે બોલાવી સર્વપક્ષીય બેઠક!

અમિત શાહે ભડકેલી હિંસાને લઈ બેઠક બોલાવી હતી ઉપરાંત ત્યાંની મુલાકાત પણ લીધી હતી. પરંતુ પરિસ્થિતિ જાણે ત્યાંની ત્યાં જ હોય તેવું લાગી રહ્યું છે. વધતી હિંસાને જોતા ફરી એક વખત અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને દિલ્હી ખાતે આ બેઠકનું આયોજન 24 જૂનના રોજ થશે. મહત્વનું છે કે પીએમ મોદી આ મામલે કોઈ પગલા લે અને ત્યાંની પરિસ્થિતિ અંગે વાકેફ થાય તે માટે મણિપુરના 9 બીજેપીના ધારાસભ્યોએ પીએમને ચિઠ્ઠી લખી હતી.  


સોનિયા ગાંધીએ વીડિયો દ્વારા આપી પ્રતિક્રિયા!

મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે ભાજપના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં નથી આવી. પરંતુ કોંગ્રેસ દ્વારા અનેક વખત આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પીએમ મોદી આ મામલે કેમ શાંત છે તેવા પ્રશ્નો અનેક વખત કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સોનિયા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ હિંસાએ આપણા રાષ્ટ્રના અંતરાત્મા પર ઊંડો ઘા કર્યો છે. આ હિંસાને કારણે મણિપુરના લોકોના જીવનનો નાશ કર્યો છે હજારો લોકો નિરાધાર બન્યા છે.       


શાળાઓમાં રજાઓ કરાઈ જાહેર!

3 મેથી શરૂ થયેલી આ હિંસાને કારણે રાજ્યને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. લોકો અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. 4 મેથી શાળાઓ બંધ છે અને રજાઓને 1 જુલાઈ સુધી લંબાવામાં આવી છે. તે સિવાય ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભડકેલી હિંસાને શાંત કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કોઈ પણ પ્રયાસ હિંસાને શાંત કરવામાં સફળ નથી થયા. દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.