મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે આવ્યો સોનિયા ગાંધીનો સંદેશ! હિંસા મુદ્દે ચર્ચા કરવા અમિત શાહે બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-06-22 13:02:01

મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ઘણો સમય વીતિ ગયા પરંતુ મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. દરરોજ ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એક વખત ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. ગુરૂવારે સવારના સમયે ઈમ્ફાલના નોર્થ બોલઝાંદમાં અજાણ્યા વ્યક્તિઓ અને આસામ રાઈફલ્સ વચ્ચે ફાયરિંગ થયું હતું. તે પહેલા બુધવાર સાંજે પણ હિંસાની ઘટના સામે આવી હતી. વધતી હિંસાની પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂનના રોજ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

     


મણિપુરમાં ફરી બની ફાયરિંગની ઘટના!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થતી હિંસાના સમાચારો આપણી સામે આવ્યા છે. હિંસા ભડકે અંદાજીત 50 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ ત્યાં ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસા વધુ ભડકી રહી છે. બુધવારે પણ ત્યાંથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ગુરૂવારે પણ ત્યાં ફાયરિંગ થયા હોવાની ઘટના બની છે. અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા, સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. 


અમિત શાહે બોલાવી સર્વપક્ષીય બેઠક!

અમિત શાહે ભડકેલી હિંસાને લઈ બેઠક બોલાવી હતી ઉપરાંત ત્યાંની મુલાકાત પણ લીધી હતી. પરંતુ પરિસ્થિતિ જાણે ત્યાંની ત્યાં જ હોય તેવું લાગી રહ્યું છે. વધતી હિંસાને જોતા ફરી એક વખત અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને દિલ્હી ખાતે આ બેઠકનું આયોજન 24 જૂનના રોજ થશે. મહત્વનું છે કે પીએમ મોદી આ મામલે કોઈ પગલા લે અને ત્યાંની પરિસ્થિતિ અંગે વાકેફ થાય તે માટે મણિપુરના 9 બીજેપીના ધારાસભ્યોએ પીએમને ચિઠ્ઠી લખી હતી.  


સોનિયા ગાંધીએ વીડિયો દ્વારા આપી પ્રતિક્રિયા!

મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે ભાજપના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં નથી આવી. પરંતુ કોંગ્રેસ દ્વારા અનેક વખત આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પીએમ મોદી આ મામલે કેમ શાંત છે તેવા પ્રશ્નો અનેક વખત કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સોનિયા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ હિંસાએ આપણા રાષ્ટ્રના અંતરાત્મા પર ઊંડો ઘા કર્યો છે. આ હિંસાને કારણે મણિપુરના લોકોના જીવનનો નાશ કર્યો છે હજારો લોકો નિરાધાર બન્યા છે.       


શાળાઓમાં રજાઓ કરાઈ જાહેર!

3 મેથી શરૂ થયેલી આ હિંસાને કારણે રાજ્યને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. લોકો અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. 4 મેથી શાળાઓ બંધ છે અને રજાઓને 1 જુલાઈ સુધી લંબાવામાં આવી છે. તે સિવાય ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભડકેલી હિંસાને શાંત કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કોઈ પણ પ્રયાસ હિંસાને શાંત કરવામાં સફળ નથી થયા. દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.