મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે આવ્યો સોનિયા ગાંધીનો સંદેશ! હિંસા મુદ્દે ચર્ચા કરવા અમિત શાહે બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-06-22 13:02:01

મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ઘણો સમય વીતિ ગયા પરંતુ મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. દરરોજ ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એક વખત ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. ગુરૂવારે સવારના સમયે ઈમ્ફાલના નોર્થ બોલઝાંદમાં અજાણ્યા વ્યક્તિઓ અને આસામ રાઈફલ્સ વચ્ચે ફાયરિંગ થયું હતું. તે પહેલા બુધવાર સાંજે પણ હિંસાની ઘટના સામે આવી હતી. વધતી હિંસાની પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂનના રોજ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

     


મણિપુરમાં ફરી બની ફાયરિંગની ઘટના!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થતી હિંસાના સમાચારો આપણી સામે આવ્યા છે. હિંસા ભડકે અંદાજીત 50 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ ત્યાં ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસા વધુ ભડકી રહી છે. બુધવારે પણ ત્યાંથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ગુરૂવારે પણ ત્યાં ફાયરિંગ થયા હોવાની ઘટના બની છે. અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા, સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. 


અમિત શાહે બોલાવી સર્વપક્ષીય બેઠક!

અમિત શાહે ભડકેલી હિંસાને લઈ બેઠક બોલાવી હતી ઉપરાંત ત્યાંની મુલાકાત પણ લીધી હતી. પરંતુ પરિસ્થિતિ જાણે ત્યાંની ત્યાં જ હોય તેવું લાગી રહ્યું છે. વધતી હિંસાને જોતા ફરી એક વખત અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને દિલ્હી ખાતે આ બેઠકનું આયોજન 24 જૂનના રોજ થશે. મહત્વનું છે કે પીએમ મોદી આ મામલે કોઈ પગલા લે અને ત્યાંની પરિસ્થિતિ અંગે વાકેફ થાય તે માટે મણિપુરના 9 બીજેપીના ધારાસભ્યોએ પીએમને ચિઠ્ઠી લખી હતી.  


સોનિયા ગાંધીએ વીડિયો દ્વારા આપી પ્રતિક્રિયા!

મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે ભાજપના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં નથી આવી. પરંતુ કોંગ્રેસ દ્વારા અનેક વખત આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પીએમ મોદી આ મામલે કેમ શાંત છે તેવા પ્રશ્નો અનેક વખત કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સોનિયા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ હિંસાએ આપણા રાષ્ટ્રના અંતરાત્મા પર ઊંડો ઘા કર્યો છે. આ હિંસાને કારણે મણિપુરના લોકોના જીવનનો નાશ કર્યો છે હજારો લોકો નિરાધાર બન્યા છે.       


શાળાઓમાં રજાઓ કરાઈ જાહેર!

3 મેથી શરૂ થયેલી આ હિંસાને કારણે રાજ્યને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. લોકો અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. 4 મેથી શાળાઓ બંધ છે અને રજાઓને 1 જુલાઈ સુધી લંબાવામાં આવી છે. તે સિવાય ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભડકેલી હિંસાને શાંત કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કોઈ પણ પ્રયાસ હિંસાને શાંત કરવામાં સફળ નથી થયા. દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે.    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.