મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે આવ્યો સોનિયા ગાંધીનો સંદેશ! હિંસા મુદ્દે ચર્ચા કરવા અમિત શાહે બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-06-22 13:02:01

મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ઘણો સમય વીતિ ગયા પરંતુ મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. દરરોજ ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એક વખત ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. ગુરૂવારે સવારના સમયે ઈમ્ફાલના નોર્થ બોલઝાંદમાં અજાણ્યા વ્યક્તિઓ અને આસામ રાઈફલ્સ વચ્ચે ફાયરિંગ થયું હતું. તે પહેલા બુધવાર સાંજે પણ હિંસાની ઘટના સામે આવી હતી. વધતી હિંસાની પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂનના રોજ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

     


મણિપુરમાં ફરી બની ફાયરિંગની ઘટના!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થતી હિંસાના સમાચારો આપણી સામે આવ્યા છે. હિંસા ભડકે અંદાજીત 50 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ ત્યાં ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસા વધુ ભડકી રહી છે. બુધવારે પણ ત્યાંથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ગુરૂવારે પણ ત્યાં ફાયરિંગ થયા હોવાની ઘટના બની છે. અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા, સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. 


અમિત શાહે બોલાવી સર્વપક્ષીય બેઠક!

અમિત શાહે ભડકેલી હિંસાને લઈ બેઠક બોલાવી હતી ઉપરાંત ત્યાંની મુલાકાત પણ લીધી હતી. પરંતુ પરિસ્થિતિ જાણે ત્યાંની ત્યાં જ હોય તેવું લાગી રહ્યું છે. વધતી હિંસાને જોતા ફરી એક વખત અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને દિલ્હી ખાતે આ બેઠકનું આયોજન 24 જૂનના રોજ થશે. મહત્વનું છે કે પીએમ મોદી આ મામલે કોઈ પગલા લે અને ત્યાંની પરિસ્થિતિ અંગે વાકેફ થાય તે માટે મણિપુરના 9 બીજેપીના ધારાસભ્યોએ પીએમને ચિઠ્ઠી લખી હતી.  


સોનિયા ગાંધીએ વીડિયો દ્વારા આપી પ્રતિક્રિયા!

મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે ભાજપના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં નથી આવી. પરંતુ કોંગ્રેસ દ્વારા અનેક વખત આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પીએમ મોદી આ મામલે કેમ શાંત છે તેવા પ્રશ્નો અનેક વખત કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સોનિયા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ હિંસાએ આપણા રાષ્ટ્રના અંતરાત્મા પર ઊંડો ઘા કર્યો છે. આ હિંસાને કારણે મણિપુરના લોકોના જીવનનો નાશ કર્યો છે હજારો લોકો નિરાધાર બન્યા છે.       


શાળાઓમાં રજાઓ કરાઈ જાહેર!

3 મેથી શરૂ થયેલી આ હિંસાને કારણે રાજ્યને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. લોકો અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. 4 મેથી શાળાઓ બંધ છે અને રજાઓને 1 જુલાઈ સુધી લંબાવામાં આવી છે. તે સિવાય ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભડકેલી હિંસાને શાંત કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કોઈ પણ પ્રયાસ હિંસાને શાંત કરવામાં સફળ નથી થયા. દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.