દક્ષિણ આફ્રિકા 10 વર્ષમાં 100 ચિત્તા ભારતને આપશે, ફેબ્રુઆરીમાં આવશે 12 ચિત્તા


  • Published By :
  • Published Date : 2023-01-30 13:34:10

ભારતને તેનો મિત્ર દેશ દક્ષિણ આફ્રિકા 10 વર્ષમાં 100 ચિત્તા આપશે. તેની શરૂઆત ફેબ્રુઆરીમાં 12 ચિત્તા મોકલવાથી થશે. આ તમામ ચિત્તા કોનૂ નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. આ તમામ ચિત્તા ભારતને આપવા માટે દક્ષિણ આફ્રિકાએ એક સમજુતી કરી છે. ભારતમાંથી ચિત્તા લગભગ 70 વર્ષ પહેલા જ લુપ્ત થઈ ગયા હતા. 


દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગે શું કહ્યું?



દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે શરૂઆતમાં ફેબ્રુઆરી 2023માં 12 ચિત્તાનો જથ્થો ભારત લાવવામાં આવશે. આ તમામ નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાની સાથે જ રહેશે. પહેલાના 8 ચિત્તાને ફેબ્રુઆરીમાં ખુલ્લા જંગલમાં જ છોડી દેવામાં આવશે. 8 ચિત્તામાં 3 નર અને 5 માદા છે. પાર્ક ઓથોરિટી ચિત્તા ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકારના નિરિક્ષણમાં મોટા ચિત્તાને ખુલ્લામાં છોડવાની સાથે પર્યટકો માટે પાર્ક તૈયારીના છેલ્લા તબક્કામાં છે. એક ચિત્તો હાલ બીમાર છે.


નામીબિયાએ આપ્યા હતા 8 ચિત્તા


અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે જ નામીબિયા પાસેથી ભારતને 8 ચિત્તા મળ્યા હતા. સપ્ટેમ્બર 2022માં નામીબિયા પાસેથી 8 ચિત્તા મળ્યા હતા. તે ચિત્તાને ભારતના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. ચિત્તાને એક ખાસ વિમાન દ્વારા લાવવામાં આવ્યા હતા. પહેલી વખત જંગલી ચિત્તાને એક ટાપુથી બીજા દ્વિપ મોકલવામાં આવ્યા.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.