દક્ષિણ આફ્રિકા 10 વર્ષમાં 100 ચિત્તા ભારતને આપશે, ફેબ્રુઆરીમાં આવશે 12 ચિત્તા


  • Published By :
  • Published Date : 2023-01-30 13:34:10

ભારતને તેનો મિત્ર દેશ દક્ષિણ આફ્રિકા 10 વર્ષમાં 100 ચિત્તા આપશે. તેની શરૂઆત ફેબ્રુઆરીમાં 12 ચિત્તા મોકલવાથી થશે. આ તમામ ચિત્તા કોનૂ નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. આ તમામ ચિત્તા ભારતને આપવા માટે દક્ષિણ આફ્રિકાએ એક સમજુતી કરી છે. ભારતમાંથી ચિત્તા લગભગ 70 વર્ષ પહેલા જ લુપ્ત થઈ ગયા હતા. 


દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગે શું કહ્યું?



દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે શરૂઆતમાં ફેબ્રુઆરી 2023માં 12 ચિત્તાનો જથ્થો ભારત લાવવામાં આવશે. આ તમામ નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાની સાથે જ રહેશે. પહેલાના 8 ચિત્તાને ફેબ્રુઆરીમાં ખુલ્લા જંગલમાં જ છોડી દેવામાં આવશે. 8 ચિત્તામાં 3 નર અને 5 માદા છે. પાર્ક ઓથોરિટી ચિત્તા ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકારના નિરિક્ષણમાં મોટા ચિત્તાને ખુલ્લામાં છોડવાની સાથે પર્યટકો માટે પાર્ક તૈયારીના છેલ્લા તબક્કામાં છે. એક ચિત્તો હાલ બીમાર છે.


નામીબિયાએ આપ્યા હતા 8 ચિત્તા


અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે જ નામીબિયા પાસેથી ભારતને 8 ચિત્તા મળ્યા હતા. સપ્ટેમ્બર 2022માં નામીબિયા પાસેથી 8 ચિત્તા મળ્યા હતા. તે ચિત્તાને ભારતના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. ચિત્તાને એક ખાસ વિમાન દ્વારા લાવવામાં આવ્યા હતા. પહેલી વખત જંગલી ચિત્તાને એક ટાપુથી બીજા દ્વિપ મોકલવામાં આવ્યા.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.