દક્ષિણ આફ્રિકા 10 વર્ષમાં 100 ચિત્તા ભારતને આપશે, ફેબ્રુઆરીમાં આવશે 12 ચિત્તા


  • Published By :
  • Published Date : 2023-01-30 13:34:10

ભારતને તેનો મિત્ર દેશ દક્ષિણ આફ્રિકા 10 વર્ષમાં 100 ચિત્તા આપશે. તેની શરૂઆત ફેબ્રુઆરીમાં 12 ચિત્તા મોકલવાથી થશે. આ તમામ ચિત્તા કોનૂ નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. આ તમામ ચિત્તા ભારતને આપવા માટે દક્ષિણ આફ્રિકાએ એક સમજુતી કરી છે. ભારતમાંથી ચિત્તા લગભગ 70 વર્ષ પહેલા જ લુપ્ત થઈ ગયા હતા. 


દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગે શું કહ્યું?



દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે શરૂઆતમાં ફેબ્રુઆરી 2023માં 12 ચિત્તાનો જથ્થો ભારત લાવવામાં આવશે. આ તમામ નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાની સાથે જ રહેશે. પહેલાના 8 ચિત્તાને ફેબ્રુઆરીમાં ખુલ્લા જંગલમાં જ છોડી દેવામાં આવશે. 8 ચિત્તામાં 3 નર અને 5 માદા છે. પાર્ક ઓથોરિટી ચિત્તા ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકારના નિરિક્ષણમાં મોટા ચિત્તાને ખુલ્લામાં છોડવાની સાથે પર્યટકો માટે પાર્ક તૈયારીના છેલ્લા તબક્કામાં છે. એક ચિત્તો હાલ બીમાર છે.


નામીબિયાએ આપ્યા હતા 8 ચિત્તા


અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે જ નામીબિયા પાસેથી ભારતને 8 ચિત્તા મળ્યા હતા. સપ્ટેમ્બર 2022માં નામીબિયા પાસેથી 8 ચિત્તા મળ્યા હતા. તે ચિત્તાને ભારતના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. ચિત્તાને એક ખાસ વિમાન દ્વારા લાવવામાં આવ્યા હતા. પહેલી વખત જંગલી ચિત્તાને એક ટાપુથી બીજા દ્વિપ મોકલવામાં આવ્યા.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.