વસતી વધારવા South Koreaએ અપનાવ્યો આ રસ્તો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-08 16:46:57

એક તરફ વિશ્વના અનેક દેશો છે જ્યાં પોપ્યુલેશન કેવી રીતે નિયંત્રણમાં લાવવું તે અંગે વિચારણા થઈ રહી છે. વધતી વસતી અનેક પડકારોને લઈને આવે છે. જનસંખ્યા કેવી રીતે વધતી રોકવી તે વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. આપણે હંમેશા આવા સમાચારો વાંચતા હોઈએ છીએ, પરંતુ આજે વાત એક એવા દેશની કરવી છે જ્યાં સરકાર જ યુવાન-યુવતીઓ ડેટ કરવા માટે ક્રાર્યક્રમ ગોઠવે છે. જે દેશની અમે વાત કરી રહ્યા છીએ તે દેશ છે સાઉથ કોરિયા. આ એવો દેશ છે જ્યાં વસતી ઓછી હોવાને કારણે સરકારની ચિંતા વધી છે. લોકો લગ્ન કરી વસતી વધારે તે માટે સરકારે બ્લાઈન્ડ ડેટનું આયોજન કર્યું.     



દક્ષિણ કોરિયા એક એવો દેશ જ્યાં ઓછી વસતી ચિંતાનું કારણ છે

આજની જનરેશન એવી છે જે લગ્નથી દૂર ભાગી રહી છે. યુવાનોને લગ્ન કરવા નથી. યુવાનોને લગ્ન જફા જેવી લાગે છે. લગ્ન ન થવાને કારણે દેશની વસતી વધતી નથી. અનેક દેશો એવા છે જ્યાં વસતી વધારો મુશ્કેલી સર્જતી હોય છે, વસતીને નિયંત્રણમાં રાખવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે દક્ષિણ કોરિયા એક એવો દેશ જે ઓછી વસતી તે દેશની ચિંતાનું કારણ છે. લોકો લગ્ન કરવા પ્રેરાય તે માટે અનેક શહેરોની સરકાર દ્વારા મેચમેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયામાં છેલ્લા ત્રણ વર્ષમાં ફર્ટિલિટી રેટ સૌથી ઓછો નોંધાયો હતો. 


લગ્ન પ્રત્યે યુવાનો પ્રોત્સાહિત થાય તે માટે કરાયું બ્લાઈન્ડ ડેટનું આયોજન 

યુવાનો લગ્ન પ્રત્યે આકર્ષાય તે માટે એક ડેટનું આયોજન કરવામાં આવ્યું. હોટલની રૂમમાં ગુલાબી ફૂગ્ગા લગાવવામાં આવ્યા હતા, રોમાન્ટિક ગીતો વાગતા હતા અને સિંગલ યુવાન યુવતીએ એક બીજાને મળી રહ્યા હતા. "દક્ષિણ કોરિયન સમાજમાં લગ્ન પ્રત્યે નકારાત્મક વલણ સતત ફેલાઈ રહ્યું છે," સિઓલની બાજુમાં આવેલા શહેર સિઓંગનામના મેયર શિન સાંગ-જિને જણાવ્યું હતું. આ એ જગ્યાના મેયર છે જ્યં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે "મને લાગે છે કે જે લોકો તેમના જીવનસાથી શોધવા માટે લગ્ન કરવા માગે છે તેમના માટે શરતો બનાવવાની સ્થાનિક સરકારોની ભૂમિકા છે." આ વખતે યોજાયેલી બ્લાઈન્ડ ડેટને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, આ ઈવેન્ટમાં ભાગ લેવા 1000 જેટલા યુવાન-યુવતીઓ ઉત્સુક હતા. પરંતુ આ  મહિનામાં માત્ર 100 યુવાન યુવતીઓને ચાન્સ મળ્યો હતો.         




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.