વસતી વધારવા South Koreaએ અપનાવ્યો આ રસ્તો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-08 16:46:57

એક તરફ વિશ્વના અનેક દેશો છે જ્યાં પોપ્યુલેશન કેવી રીતે નિયંત્રણમાં લાવવું તે અંગે વિચારણા થઈ રહી છે. વધતી વસતી અનેક પડકારોને લઈને આવે છે. જનસંખ્યા કેવી રીતે વધતી રોકવી તે વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. આપણે હંમેશા આવા સમાચારો વાંચતા હોઈએ છીએ, પરંતુ આજે વાત એક એવા દેશની કરવી છે જ્યાં સરકાર જ યુવાન-યુવતીઓ ડેટ કરવા માટે ક્રાર્યક્રમ ગોઠવે છે. જે દેશની અમે વાત કરી રહ્યા છીએ તે દેશ છે સાઉથ કોરિયા. આ એવો દેશ છે જ્યાં વસતી ઓછી હોવાને કારણે સરકારની ચિંતા વધી છે. લોકો લગ્ન કરી વસતી વધારે તે માટે સરકારે બ્લાઈન્ડ ડેટનું આયોજન કર્યું.     



દક્ષિણ કોરિયા એક એવો દેશ જ્યાં ઓછી વસતી ચિંતાનું કારણ છે

આજની જનરેશન એવી છે જે લગ્નથી દૂર ભાગી રહી છે. યુવાનોને લગ્ન કરવા નથી. યુવાનોને લગ્ન જફા જેવી લાગે છે. લગ્ન ન થવાને કારણે દેશની વસતી વધતી નથી. અનેક દેશો એવા છે જ્યાં વસતી વધારો મુશ્કેલી સર્જતી હોય છે, વસતીને નિયંત્રણમાં રાખવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે દક્ષિણ કોરિયા એક એવો દેશ જે ઓછી વસતી તે દેશની ચિંતાનું કારણ છે. લોકો લગ્ન કરવા પ્રેરાય તે માટે અનેક શહેરોની સરકાર દ્વારા મેચમેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયામાં છેલ્લા ત્રણ વર્ષમાં ફર્ટિલિટી રેટ સૌથી ઓછો નોંધાયો હતો. 


લગ્ન પ્રત્યે યુવાનો પ્રોત્સાહિત થાય તે માટે કરાયું બ્લાઈન્ડ ડેટનું આયોજન 

યુવાનો લગ્ન પ્રત્યે આકર્ષાય તે માટે એક ડેટનું આયોજન કરવામાં આવ્યું. હોટલની રૂમમાં ગુલાબી ફૂગ્ગા લગાવવામાં આવ્યા હતા, રોમાન્ટિક ગીતો વાગતા હતા અને સિંગલ યુવાન યુવતીએ એક બીજાને મળી રહ્યા હતા. "દક્ષિણ કોરિયન સમાજમાં લગ્ન પ્રત્યે નકારાત્મક વલણ સતત ફેલાઈ રહ્યું છે," સિઓલની બાજુમાં આવેલા શહેર સિઓંગનામના મેયર શિન સાંગ-જિને જણાવ્યું હતું. આ એ જગ્યાના મેયર છે જ્યં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે "મને લાગે છે કે જે લોકો તેમના જીવનસાથી શોધવા માટે લગ્ન કરવા માગે છે તેમના માટે શરતો બનાવવાની સ્થાનિક સરકારોની ભૂમિકા છે." આ વખતે યોજાયેલી બ્લાઈન્ડ ડેટને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, આ ઈવેન્ટમાં ભાગ લેવા 1000 જેટલા યુવાન-યુવતીઓ ઉત્સુક હતા. પરંતુ આ  મહિનામાં માત્ર 100 યુવાન યુવતીઓને ચાન્સ મળ્યો હતો.         




નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.